Happy birthday Irrfan Khan : BCCIની આ ટૂર્નામેન્ટમાં થઇ હતી દિવંગત એક્ટર ઈરફાન ખાનની પસંદગી, જાણો શા માટે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો?

ઈરફાન ખાનની એક્ટિંગ કરિયર વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે તે એક સમયે ક્રિકેટર પણ હતા? એક્ટર પહેલા ઈરફાનનું ક્રિકેટમાં કરિયર બનાવવાનું સપનું હતું.

Happy birthday Irrfan Khan : BCCIની આ ટૂર્નામેન્ટમાં થઇ હતી દિવંગત એક્ટર ઈરફાન ખાનની પસંદગી, જાણો શા માટે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો?
Irrfan Khan (File Picture)
| Edited By: | Updated on: Jan 07, 2022 | 8:37 AM

દિવંગત ઈરફાન ખાન (Irrfan Khan )એક એવું વ્યક્તિત્વ હતું, જેણે સિનેમેટિક સ્ક્રીન પર દેખાડેલી પોતાની વ્યક્તિત્વ અને અભિનયથી આજે પણ લોકોના દિલમાં પોતાને જીવંત રાખ્યા છે. ઈરફાન ખાનનો 54મોં બર્થડે(Irrfan Khan Birthday)  છે. ઈરફાન ખાન ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તે આજે પણ ફેન્સના દિલમાં છે.

ઈરફાન ખાનને સૌપ્રથમ કેન્સર હોવાનું નિદાન થયું હતું અને જ્યારે તે કેન્સરમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. પરંતુ 29 એપ્રિલ, 2020ના રોજ કોલોન ઈન્ફેક્શનને કારણે મોત નિપજ્યું હતું .ઈરફાન ખાન હિન્દી સિનેમાનો એક એવો એક્ટર હતો જેણે પોતાની પ્રસિદ્ધિને પોતાનો અહંકાર બનવા દીધો ન હતો અને હંમેશા આધાર રાખ્યો હતો.

ઈરફાન ખાને તેની ત્રણ દાયકા લાંબી અભિનય કારકિર્દીમાં ઘણી સિરિયલો અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જેમાં ‘ચંદ્રકાંતા’, ‘જય હનુમાન’, ‘શ્રીકાંત’, ‘કિરદાર’, ‘જસ્ટ મોહબ્બત’ અને ‘પાન સિંહ તોમર’ જેવી સિરિયલોનો સમાવેશ થાય છે. તો ‘હિન્દી મીડિયમ’, ‘લાઈફ ઓફ પાઈ’, ‘જુરાસિક પાર્ક’, ‘મદારી’, ‘ધ જંગલ બુક’, ‘ધ લંચબોક્સ’, ‘ડી ડે’, ‘મકબૂલ’જેવી હિટ ફિલ્મો પણ સામેલ છે.

જાણો ઈરફાન ખાન એક્ટર બનતા પહેલા શેમાં કરિયર બનાવવા માંગતા હતા ?

ઈરફાન ખાનની એક્ટિંગ કરિયર વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે તે એક સમયે ક્રિકેટર પણ હતા? મહાન અભિનેતા બનતા પહેલા ઈરફાનનું ક્રિકેટમાં કરિયર બનાવવાનું સપનું હતું. જો કે, તેણે ક્રિકેટર બનવાનું સપનું છોડી દેવું પડ્યું, કારણ કે તે સમયે તેની પાસે ક્રિકેટ માટે 600 રૂપિયા જમા કરાવવાની ક્ષમતા નહોતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2014માં ઈરફાન ખાને ધ ટેલિગ્રાફને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો.

આ ઇન્ટરવ્યૂમાં તેણે સંઘર્ષના દિવસોને યાદ કર્યા જ્યારે તેણે BCCI દ્વારા આયોજિત કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફી અંડર-23માં રમવા માટે પસંદ કરવામાં આવ્યો હોવા છતાં તેની ક્રિકેટ કરિયરમાંથી નિવૃત્તિ લેવી પડી હતી. રિપોર્ટ અનુસાર, ઈરફાને કહ્યું હતું – હું ક્રિકેટ રમતો હતો. હું ક્રિકેટર બનવા માંગતો હતો. હું ઓલરાઉન્ડર હતો અને મારી જયપુર ટીમમાં સૌથી નાનો હતો. હું આમાં મારી કરિયર બનાવવા માંગતો હતો.

ઇરફાને વધુમાં કહ્યું હતું કે, મારી પસંદગી કર્નલ સીકે ​​નાયડુ ટૂર્નામેન્ટ માટે થઈ હતી અને તે સમયે મને પૈસાની જરૂર હતી. મને ખબર ન હતી કે કોને પૂછવું. તે દિવસે મેં નક્કી કર્યું કે હું તેમાં કરિયર નહીં બનાવું. હું તે સમયે 600 રૂપિયા પણ માંગી શકતો ન હતો. જ્યારે મને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માટે 300 રૂપિયાની જરૂર હતી, ત્યારે મારા માટે વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી. આખરે મારી બહેને મારા માટે વ્યવસ્થા કરી. ક્રિકેટ છોડવું એ જાણી જોઈને લેવામાં આવેલો નિર્ણય હતો. આખા દેશમાં માત્ર 11 ખેલાડીઓ છે. કલાકારોમાં કોઈ મર્યાદા નથી. અભિનયમાં ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી, તમે જેટલી મહેનત કરશો તેટલી વધુ સફળતા મળશે.

આ પણ વાંચો : Farhan-Shibani Wedding Date : ફેન્સની આતુરતાનો આવશે અંત, ફરહાન-શિબાની આ દિવસે કરશે લગ્નની તારીખની જાહેરાત

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરે હોટલ ઇન્ડસ્ટ્રીને 200 કરોડ રૂપિયાનો ફટકો માર્યો, કારોબાર ફરી ઠપ્પ થવાનો ભય

Published On - 7:09 am, Fri, 7 January 22