Indian Idol 12 Shocking: શોમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, ગ્રાન્ડ ફિનાલેમાં જોવા મળશે આ મોટો બદલાવ

|

Aug 09, 2021 | 7:52 AM

ઇન્ડિયન આઈડલ 12 માં લેવાયો શોકિંગ નિર્ણય. એવી અપેક્ષા હતી કે સેમીફાઈનલમાં આ રિયાલિટી શોના મંચ પરથી એકને બહાર કાઢવામાં આવશે. પરંતુ મેકર્સે લીધો અલગ નિર્ણય.

Indian Idol 12 Shocking: શોમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, ગ્રાન્ડ ફિનાલેમાં જોવા મળશે આ મોટો બદલાવ
Not the top five but six contestants will fight in the grand finale of Indian Idol 12

Follow us on

સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) માં, બધા દર્શકોએ અપેક્ષા રાખી હતી કે સેમી ફાયનલના એપિસોડમાં એક સ્પર્ધક શોમાંથી આઉટ થઈ જશે અને ટોચના 5 સ્પર્ધકો ફિનાલે માટે જશે. પરંતુ આજના એપિસોડના અંતે આઈડલના નિર્માતાઓએ લીધેલા નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. આઈડલના ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ નહીં પરંતુ 6 સ્પર્ધકો અંતિમ રાઉન્ડમાં જઈ રહ્યા છે. આ નિર્ણયને કારણે, દરેકને પસંદ કરતા ફેન્સે અને ટેન્શનમાં રહેલા સ્પર્ધકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે.

હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી, સન્મુખ પ્રિયાના Shanmukha priya) ઇન્ડિયન આઈડલ 12 ના શોમાંથી બહાર નીકળવાના સમાચાર વાયરલ થઇ રહ્યા હતા. આ સમાચાર બાદ સન્મુખ પ્રિયાના ચાહકોમાં ભારે ગુસ્સો હતો અને પવનદીપ રાજન (Pawandeep Rajan), અરુણિતા (Arunita), સાયલી કાંબલે (Sayli Kamble), નિહાલ અને દાનિશ ખાનના ફેન્સમાં ખુશીનો માહોલ હતો. પરંતુ કરણ જોહરની હાજરીમાં સમાપ્ત થયેલા સેમીફાયનલ એપિસોડમાં, સ્પર્ધકોને સારા સમાચાર આપવામાં આવ્યા હતા કે તેમાંથી કોઈ પણ આજે શોમાંથી બહાર નીકળી રહ્યું નથી. ઇન્ડિયન આઈડલના તમામ ટોપ 6 સ્પર્ધકોને ફાઇનલમાં પોતાનો દેખાવ કરવાની તક મળી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ સિઝન યાદગાર રહી

લગભગ 10 મહિના સુધી ચાલેલી ઇન્ડિયન આઈડલ 12 ની યાત્રા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. આ શોએ ચેનલને ઘણી ટીઆરપી તેમજ નવા દર્શકો આપ્યા. આ રિયાલિટી શોએ લોકડાઉન દરમિયાન લોકોનું ઘણું મનોરંજન પણ કર્યું. ટીઆરપી તેમજ ઘણા ફેરફારોને કારણે આ શો દર અઠવાડિયે ચર્ચામાં રહેતો હતો. આઈડલની 12 મી સીઝન એવી સિઝન છે જ્યાં જજને ઘણી વખત બદલવામાં આવ્યા. નેહા કક્કર, વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા સાથે શરૂ થયેલો શો હવે સોનુ કક્કર, અનુ મલિક અને હિમેશ રેશમિયા દ્વારા જજ કરવામાં આવી રહ્યો છે.

12 કલાક ફિનાલે

આઈડલનું ગ્રાન્ડ ફિનાલે આખો દિવસ ચાલશે. આ અંતિમ એપિસોડમાં, આઈડલના જૂના વિજેતાઓ, જૂના જજ, પ્રખ્યાત સંગીતકારો, ગાયકો પણ સામેલ થવા જઈ રહ્યા છે. આ ફાઇનલ 12 કલાક ચાલશે. ચાહકો પવનદીપને ઈન્ડિયન આઈડલનો વિજેતા માને છે, પરંતુ કેટલાક ચાહકો માને છે કે છેલ્લી ટક્કર અરુણિતા કાંજીલાલ અને દાનિશ ખાન વચ્ચે હોઈ શકે છે.

 

આ પણ વાંચો: ખરાબ તબિયતમાં પણ ફેન્સ માટે કરતા રહ્યા શૂટિંગ, અનુપમ શ્યામે 64 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો: Bell Bottom : રોમેન્ટિક સીન શૂટ કરતી વખતે અક્ષય કુમાર અને વાણી કપૂર સાથે થયુ કઇંક એવુ જેને જોઇ ટીમ પણ ચોંકી ગઇ

Published On - 7:51 am, Mon, 9 August 21

Next Article