શું ખરેખર અર્ચના પુરન સિંહે છોડી દીધો ‘The Kapil Sharma Show’? અભિનેત્રીએ આપ્યો જવાબ

|

Jun 30, 2021 | 5:02 PM

થોડા સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે અર્ચનાએ કપિલ શર્મા શો છોડી દીધો છે. આ વાત પર હવે અર્ચનાએ જવાબ આપ્યો છે. અને શો વિશે વાત કરી છે. જાણો તેના વિશે.

શું ખરેખર અર્ચના પુરન સિંહે છોડી દીધો The Kapil Sharma Show? અભિનેત્રીએ આપ્યો જવાબ
અર્ચના પુરન સિંહ

Follow us on

સોની ટીવીના સૌથી વધુ ફેમસ શો ‘ધ કપિલ શર્મા શો’ જલ્દી જ પરત ફરવાનો છે. લાંબા સમયથી દર્શકો શોની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે શો ફરી શરુ થવાના અહેવાલથી દર્શકોમાં ખુશીનો માહોલ છે. આવામાં સમાચાર આવ્યા હતા કે શોની ખાસ ગેસ્ટ અર્ચના પુરન સિંહે કપિલ શર્મા શોને હંમેશા માટે બાય બાય કહી દીધું છે.

સમાચાર આવ્યા હતા કે અર્ચના કોઈ અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાના કારણે તેમણે શો છોડી દીધો છે. આ અહેવાલો પર અર્ચનાએ હવે મૌન તોડ્યું છે અને જવાબ આપ્યો છે.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર અર્ચનાએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે ‘મને આ બધા અહેવાલો વિશે કોઈ જાણકારી નથી. પરંતુ હું બિલકુલ કપિલ શર્મા શોની આગામી સિઝનનો ભાગ છું. ગયા વર્ષે જ્યારે હું શૂટિંગ કરી રહી હતી ત્યારે પણ આવી અફવાઓ શરુ થઇ હતી. અને આ વખતે જ્યારે મેં વેબ સિરીઝ શરુ કરી ત્યારે પણ લોકોએ માની લીધું કે હું શો છોડી દઈશ. પરંતુ આ અફવાઓમાં કોઈ સત્યતા નથી.’

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અર્ચનાએ કપિલ શર્મા શો વિશે વાત કરતા કહ્યું કે, ‘મને હ્યુમર ખુબ પસંદ છે. અને જ્યારે એક્ટર્સ સ્ટેજ પર પરફોર્મ કરે છે તો મને તેમને જોવા અને માણવા ખુબ ગમે છે. હું પસંદ કરું છું આ શોને. કપિલે મને આ શો માટે પસંદ કરી છે. હું જલ્દી જ નવા સિઝન સાથે આવવાની રાહ જોઈ રહી છું.’

તમને જણાવી દઈએ કે વર્ષ 2019 થી કપિલ શર્મા શોનો ભાગ છે. આ પહેલા નવજોત સિંહ સિદ્ધુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવતા હતા. પરંતુ તે બાદ તેમણે શો છોડી દીધો અને ત્યાર બાદ અર્ચનાએ આ શો જોઈન કર્યો હતો.

21 જુલાઈના રોજ શરુ થઇ શકે છે શો

વાત કરીએ શોની તો આ શોની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે. જો કે શો ફરી શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે આ શો ક્યારથી શરુ થશે તેને લઈને ઘણી અલગ અલગ તારીખો આવી રહી છે. પ્રોડક્શન હાઉસ તરફથી હજુ સુધી તારીખ જાહેર કરવામાં નથી આવી. પરંતુ અહેવાલો અનુસાર શક્યતા છે કે શો જુલાઈના છેલ્લા અઠવાડિયા કે 21 જુલાઈના રોજ શરુ થઇ શકે છે.

 

આ પણ વાંચો: ‘Taarak Mehta…’ ની ‘રોશન ભાભી’ એ તેમના ગળામાં આ શું પહેરી રાખ્યું છે ? જોઈને બધા ચોંકી ગયા

Next Article