KBC 13: દીપિકા પાદુકોણે તેના ડિપ્રેશન વિશે કરી ખુલીને વાત, જણાવ્યું કેવી ગંભીર થઈ ગઈ હતી હાલત

|

Sep 11, 2021 | 9:23 AM

અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ 13 માં દીપિકા પાદુકોણ કોરિયોગ્રાફર ફરાહ ખાન સાથે આવી હતી. દીપિકાએ શોમાં ડિપ્રેશન વિશે વાત કરી હતી.

KBC 13: દીપિકા પાદુકોણે તેના ડિપ્રેશન વિશે કરી ખુલીને વાત, જણાવ્યું કેવી ગંભીર થઈ ગઈ હતી હાલત
Deepika padukone talked about her depression in the show Kaun banega crorepati 13

Follow us on

કૌન બનેગા કરોડપતિ 13 ના (Kaun Banega Crorepati 13) શાનદાર શુક્રવારમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને ફરાહ ખાન (Farah Khan) હોટ સીટ પર બેઠા હતા. ગણેશ ચતુર્થીના ખાસ પ્રસંગે દીપિકા અને ફરાહ એક ઉમદા હેતુ માટે આવ્યા હતા. તે આ શોમાંથી જીતેલી રકમનો ઉમદા હેતુ માટે ઉપયોગ કરવા જઈ રહી છે. દીપિકા તેનો ઉપયોગ તેના મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશનમાં કરવા જઈ રહી છે. આ દરમિયાન તેણે પોતાની ડિપ્રેશન વિશે ખુલીને વાત કરી હતી.

દીપિકાએ કહ્યું કે વર્ષ 2014 માં મને ડિપ્રેશન હતું, ત્યારબાદ મેં મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન બનાવ્યું હતું. જેમાં અમે લોકો સાથે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીએ છીએ. દીપિકાના આ ફાઉન્ડેશનનું નામ લાઈવ લવ લાફ છે.

ડિપ્રેશન દરમિયાન લાગતું હતું આવું

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

અમિતાભ બચ્ચને દીપિકાને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે આ ડિપ્રેશન છે? દીપિકાએ કહ્યું કે અચાનક મને લાગ્યું કે પેટમાં અલગ ફિલ થાય છે. મને એક ખાલીપણું લાગવા લાગ્યું. મને લાગ્યું કે મારે કામ પર જવું નથી, મને કોઈને મળવાનું મન થતું ન હતું. મારે બહાર જવું નહોતું, કોઈને મળવું નહોતું. હું કંઈ કરવા માંગતી ન હતી. ઘણી વખત થતું હવે જીવવાની કોઈ ઈચ્છા નથી. મને લાગ્યું કે મારા જીવનમાં કોઈ હેતુ નથી અને હું વારંવાર રડતી હતી.

હેપ્પી ન્યૂ યરના શૂટિંગ દરમિયાન રડતી હતી

દીપિકાએ આગળ કહ્યું કે જેમ હું સીન શૂટ કરી રહી છું. તે સમયે હું હેપ્પી ન્યૂ યરનું શૂટિંગ કરી રહી હતી અને શોટ પૂરો થતાં જ હું વેનની અંદર જઈને રડવા લાગતી હતી. મને ખુદને ખબર નહોતી કે હું કેમ રડી રહી છું અથવા મને આવું કેમ થઈ રહ્યું છે.

દીપિકાએ આગળ કહ્યું કે મારા માતા -પિતા બેંગ્લોરમાં રહેતા હતા. અને તેઓ મુંબઈ આવ્યા હતા. એક દિવસ જ્યારે તે એરપોર્ટ માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક હું ફરી રડવા લાગી. પછી મારી માતાએ જોયું કે મારું આ રડવું અલગ હતું. તે સામાન્ય રુદન નહોતું. કંઇક બ્રેકઅપ થયું છે અથવા કોઈની સાથે ઝઘડો થયો છે અથવા કોઈએ મને કંઈક કહ્યું છે. મારી રડવાની રીત ઘણી અલગ હતી. એવું લાગ્યું કે હું મદદ માટે બોલાવી રહી છું. પછી મારી માતાએ મને કહ્યું કે મનોચિકિત્સાને ફોન કરો. જે સામાન્ય ડોક્ટરથી અલગ છે.

ડોક્ટર રોગ સમજી ગયા હતા

દીપિકાએ આગળ કહ્યું કે જલદી જ મેં મનોચિકિત્સાને ફોન કર્યો, તેણે કહ્યું કે તમારે તાત્કાલિક એપોઇન્ટમેન્ટ લેવાની છે અને તમારે મને મળવાનું છે કારણ કે તેણીને મારા અવાજથી ખબર પડી કે હું બીમાર છું. તેના ઘણા મહિનાઓ પછી હું ઠીક થઇ. પણ માનસિક સ્વાસ્થ્ય એવી વસ્તુ છે જેને તમે સરળતાથી ભૂલી શકતા નથી. હવે મેં મારી જીવનશૈલીમાં ઘણા ફેરફાર કર્યા છે.

 

આ પણ વાંચો: OMG: રિલીઝ પહેલા જ કરોડો કમાઈ લીધા કંગનાની ફિલ્મે, થલાઇવીના ડિજિટલ રાઈટ્સ વેચાયા આટલામાં

આ પણ વાંચો: KBC 13: દીપિકા પાદુકોણ અને ફરાહ ખાને જીત્યા 25 લાખ રૂપિયા, શું તમને આવડે છે આ સવાલનો જવાબ?

Next Article