Breaking News Arijit Singh injured : ઔરંગાબાદમાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગર અરિજીત સિંહ થયા ઈજાગ્રસ્ત, ફેન્સે ખેંચ્યો હાથ-જુઓ Video

|

May 08, 2023 | 5:38 PM

વીડિયોમાં જોઈ શકો છો કે અરિજિત સિંહ ફેને હાથ ખેંચ્યો છે તેથી તેના હાથ પર તરત જ પાટો બાંધવામાં આવ્યો છે. આ ઘટનાથી ચાહકો અને યુઝર્સમાં રોષ ફેલાયો છે.

Breaking News Arijit Singh injured : ઔરંગાબાદમાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગર અરિજીત સિંહ થયા ઈજાગ્રસ્ત, ફેન્સે ખેંચ્યો હાથ-જુઓ Video
Breaking News Arijit Singh injured

Follow us on

અરિજિત સિંહ તેના ગીતોને કારણે અવાર-નવાર લાઈમલાઈટમાં રહે છે, પરંતુ તાજેતરમાં તે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પોતાના કોન્સર્ટને કારણે ચર્ચામાં આવ્યો છે.
ખરેખર આ દિવસોમાં તે દેશભરમાં કોન્સર્ટ કરી રહ્યો છે. અત્યાર સુધી તેણે દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં કોન્સર્ટ કર્યા છે.
રવિવારે ઔરંગાબાદમાં કોન્સર્ટ દરમિયાન એક પ્રશંસકે ગાયક સાથે એવી રીતે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ઘાયલ થઈ ગયો.

આ પણ વાંચો : Arijit Singh Birthday Special : અરિજિત સિંહ પોતાના અવાજથી લોકોના દિલો પર રાજ કરે છે, અહીં જુઓ સિંગરના Superhit Songs ની પ્લેલિસ્ટ…

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

વાતચીત દરમિયાન ચાહકે ખેંચ્યો હાથ

એક મીડિયા રીપોર્ટ મુજબ, એક ચાહકે કથિત રીતે શો દરમિયાન ગાયકને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી તે ઘાયલ થયો હતો. સ્ત્રોત મુજબ, અરિજિત ચાહકો સાથે વાતચીત કરી રહ્યો હતો જ્યારે એક ચાહકે તેને ખેંચવાનો પ્રયાસ કર્યો. ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અરિજીત ફેન્સ સાથે વાત કરતો જોવા મળે છે.
તે કહે છે, “તમે મને ખેંચી રહ્યા છો, મારો હાથ ધ્રૂજી રહ્યો છે. હું મારા હાથની મુવમેન્ટ કરી શકતો નથી.”

બીજા ફેન્સ કરી રહ્યા છે અરિજીતના વખાણ

અરિજીતનો ફેન સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે કેટલાક લોકો આ સ્થિતિમાં શાંત રહેવા માટે ગાયકની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાકે આવા વર્તન માટે ચાહકની ટીકા કરી છે. એકે લખ્યું, ‘ગઈકાલની ઘટના વિશે વિચારવું શરમજનક છે.’ બીજાએ ગાયકની પ્રશંસા કરતા લખ્યું, ‘તેણે પોતાનો ગુસ્સો ગુમાવ્યો નથી અને તે તેને સંસ્કારી રીતે સમજાવી રહ્યો છે.’

જંગીપુરમાં હોસ્પિટલ બનાવશે અરિજિત

તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અરિજિતને ખાતરી આપી છે કે, તેમની સરકાર મુર્શિદાબાદના જંગીપુર વિસ્તારમાં હોસ્પિટલ બનાવવા માટે તેમની મદદ કરવા માટે તમામ પ્રયાસો કરશે. મુખ્યમંત્રીએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ખલીલુર રહેમાનને હોસ્પિટલના નિર્માણમાં ગાયકને સહકાર આપવા સૂચના આપી છે. જણાવી દઈએ કે માતાના નિધન બાદ અરિજિતે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી.

અત્યાર સુધીની સફર

અરિજિત બોલિવૂડનો ફેમસ સિંગર છે, જે પોતાના અવાજથી લોકોને દિવાના બનાવે છે. તેણે સિંગિંગ રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’થી પોતાની સફર શરૂ કરી હતી, જે તે જીતી શક્યો ન હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Published On - 3:14 pm, Mon, 8 May 23

Next Article