રણબીર કપૂર (Ranbir Kapoor) આ દિવસોમાં પોતાની બે નવી ફિલ્મોના પ્રમોશનમાં બિઝી છે. ફેન્સ તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, સાથે જ ‘શમશેરા’ના ટ્રેલરે પણ ફેન્સનો ઉત્સાહ વધારી દીધો છે. આ બંને ફિલ્મોમાં રણબીર કપૂર ખૂબ જ અલગ અને જોરદાર રોલ કરતો જોવા મળશે. આ ઉપરાંત તે આ વર્ષે આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથેના પોતાના લગ્ન વિશે પણ સતત વાત કરી રહ્યો છે. હવે રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે હજુ સુધી તેની ‘પહેલી પત્ની’ને મળ્યો નથી. આ પછી તેણે તેના સૌથી ક્રેઝી ફેન્સની વાર્તા કહી હતી. રણબીરે જણાવ્યું કે વર્ષો પહેલા તેના પરિવારના ઘરે એક છોકરી આવી હતી અને તેના બંગલાના ગેટ પર લગ્ન કરી લીધા હતા.
હવે તમે વિચારતા હશો કે આલિયા ભટ્ટ પહેલા રણબીર કપૂરે કોની સાથે લગ્ન કર્યા હતા. તો તે રણબીર કપૂરની એક ફેન વિશે છે. રણબીરે પોતે એક ઈન્ટરવ્યુમાં આ અતરંગી ફેન વિશે જણાવ્યું છે. ઈન્ટરવ્યુમાં પોતાના વિશે ગુગલ કરવામાં આવેલા સવાલોના જવાબ રણબીર કપૂર આપી રહ્યો છે. ત્યારે તેની ‘પહેલી પત્ની’ની વાત પણ બહાર આવી હતી.
રણબીરે કહ્યું ‘એક છોકરી હતી અને હું તેને ક્યારેય મળ્યો નથી. પરંતુ મારા વોચમેને મને કહ્યું કે તે એક પંડિત સાથે આવી હતી અને મારા ઘરના ગેટ સાથે લગ્ન કર્યા હતા. ગેટ પર ટીકો લગાવવામાં આવ્યો હતો અને કેટલાક ફૂલો પણ લટકેલા હતા. તેથી તે એકદમ ક્રેઝી હતું. તેણે આગળ કહ્યું કે ‘હું મારી પહેલી પત્નીને મળ્યો નથી, પરંતુ મને આશા છે કે અમે જીવનના કોઈ એક તબક્કે અમે મળીશું.’
રણબીર કપૂરે 14 એપ્રિલે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ વર્ષે આ કપલ પહેલીવાર ફિલ્મમાં સાથે જોવા મળશે. બંને અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. તેમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળશે. બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.