Arun Govil On Adipurush: ‘આદિપુરુષ’ પર રામાયણના ‘રામ’ થયા ગુસ્સે, કહ્યું- આસ્થા સાથે છેડછાડ યોગ્ય નથી

|

Jun 18, 2023 | 5:46 PM

Arun Govil On Adipurush: 'આદિપુરુષ'ને (Adipurush) લઈને ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને લઈને સતત નવા વિવાદો સામે આવી રહ્યા છે. હવે આદિપુરુષ પર રામાનંદ સાગરની રામાયણના રામ અરુણ ગોવિલનું નિવેદન સામે આવ્યું છે.

Arun Govil On Adipurush: આદિપુરુષ પર રામાયણના રામ થયા ગુસ્સે, કહ્યું- આસ્થા સાથે છેડછાડ યોગ્ય નથી
Arun Govil On Adipurush

Follow us on

Arun Govil On Adipurush: ‘આદિપુરુષ ‘ રિલીઝ થયા બાદ રામાયણના રામ એટલે કે અરુણ ગોવિલ ફરી એકવાર ચર્ચામાં છે. દર્શકોનું માનવું છે કે અરુણ ગોવિલની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. રામાનંદ સાગરની રામાયણ જોનારા લોકોના મનમાં ભગવાન રામ, માતા સીતા અને હનુમાનજીની જે છબી છે તે આદિપુરુષમાં જોવા મળી ન હતી. ફિલ્મના મેકર્સનું કહેવું છે કે તેઓએ આજના યુગને અનુરૂપ ‘આદિપુરુષ’ ફિલ્મ તૈયાર કરી છે.

સરળ ભાષામાં કહીએ તો દરેક વ્યક્તિ તેને જોઈ અને સમજી શકે. પરંતુ આ વાતો દર્શકો પર અસર કરી રહી નથી. લોકો ‘આદિપુરુષ’નો જોરદાર વિરોધ કરતા જોવા મળે છે. ફિલ્મના મેકર્સ પર હનુમાનજીના પાત્રને ખોટી રીતે બતાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ કેટલાક લોકો એવું પણ માને છે કે આ ફિલ્મ દ્વારા ભગવાન રામની પણ મજાક ઉડાવવામાં આવી છે. પરંતુ મનોજ મુંતશીરે પોતાનો ખુલાસો રજૂ કરતી વખતે ઘણું કહ્યું છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

જાણો અરુણ ગોવિલે શું કહ્યું

પરંતુ હવે રામાયણના રામ અરુણ ગોવિલનું નિવેદન સામે આવ્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અરુણ ગોવિલને ‘આદિપુરુષ’ વિશે સવાલો પૂછવામાં આવ્યા. જ્યાં તેમની વાત પરથી લાગી રહ્યું હતું કે તે ફિલ્મને લઈને ખૂબ જ નિરાશ છે. અરુણ ગોવિલના મતે આ આસ્થાનો મુદ્દો છે. રામાયણ એ બધા માટે આસ્થા છે. તેની સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ. આધુનિકતા અને પૌરાણિકતાની વાત રામાયણ પર ન થવી જોઈએ.

આ પણ વાંચો : Adipurush Memes: આદિપુરુષની રિલીઝ પછી બન્યા ફની મીમ્સ, હસી-હસીને થઈ જશો લોટપોટ

અરુણ ગોવિલે કહ્યું કે વીએફએક્સ અને ઈફેક્ટ્સ બે અલગ વસ્તુઓ છે. પરંતુ પાત્રોને યોગ્ય રીતે રજૂ કરવા જરૂરી છે. રામાયણના રામના કહેવા પ્રમાણે, જો આ ફિલ્મ બાળકો માટે બનાવવામાં આવી છે, તો તેમને જ પૂછો કે શું તેમને આ ગમ્યું છે. ભાષાને લઈને તેમને કહ્યું કે તેને આ પ્રકારની ભાષા પસંદ નથી. અરુણ ગોવિલને આદિપુરુષમાં વપરાયેલી ભાષા જરા પણ પસંદ ન હતી. આ સિવાય તેમને આદિપુરુષ વિશે ઘણું બધું કહ્યું હતું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:12 pm, Sat, 17 June 23

Next Article