Mankrit Aulakh Biography : સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સિંગર મનકીરત ઔલખની તપાસ ચાલી રહી છે, જાણો કેવી રીતે બન્યો પંજાબી ઈન્ડસ્ટ્રીનો બાદશાહ?

|

May 31, 2022 | 9:23 AM

Punjabi Singer Mankrit Aulakh Profile: પંજાબી સિંગર મનકીરત ઔલખના મેનેજરનું નામ પણ આ કેસમાં જોડવામાં આવ્યું છે. મનકીરત ઔલખનું નામ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

Mankrit Aulakh Biography : સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સિંગર મનકીરત ઔલખની તપાસ ચાલી રહી છે, જાણો કેવી રીતે બન્યો પંજાબી ઈન્ડસ્ટ્રીનો બાદશાહ?
punjabi singer mankrit aulakh biography

Follow us on

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moose Wala Shot Dead)ની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ તેનું મોત હવે રહસ્ય બની રહ્યું છે. ત્યારે આ દર્દનાક હત્યા બાદ એકથી વધુ સનસનીખેજ ખુલાસા પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા મોટા નામો પણ સામે આવ્યા છે. ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની જવાબદારી કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) અને ગોલ્ડી બ્રારના (Goldi Brar) સાથીદારે લીધી છે. તે જ સમયે, આ કેસની પૂછપરછમાં શાહરૂખ નામના આરોપીએ મોટો દાવો કર્યો છે.

સ્પેશિયલ સેલની પૂછપરછમાં એક જ વ્યક્તિએ ખુલાસો કર્યો છે કે, આ હત્યા પાછળ ગોલ્ડી બ્રાર અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો હાથ છે. આ પહેલા પણ બંને દ્વારા સિદ્ધુ પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે સિક્યુરિટીની કાળજીના કારણે સિદ્ધુનો જીવ બચી ગયો હતો. તે જ સમયે, આ પૂછપરછમાં, આરોપી શાહરૂખે 8 નામોનો ખુલાસો કર્યો છે. જેના વધુ એક પંજાબી સિંગરનું નામ સામે આવ્યું છે. પંજાબી સિંગર મનકીરત ઔલખના મેનેજરનું નામ પણ આ કેસમાં જોડવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, ગાયક મનકીરત ઔલખનો મેનેજર આ હત્યામાં સંપૂર્ણ રીતે સામેલ હતો. સોશિયલ મીડિયા પર પણ મનકીરત ઔલખનું નામ ટ્રેન્ડ કરી રહ્યું છે.

કોણ છે મનકીરત ઔલખ?

2 ઓક્ટોબર 1990ના રોજ જન્મેલા મનકીરત ઔલખે પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે. તેમનો જન્મ હરિયાણા રાજ્યના ફતેહાબાદ જિલ્લામાં થયો હતો. સિંગર મનકીરત ઔલખે પંજાબી સિનેમામાં ઘણા ગીતો આપ્યા છે. આજે પોતાના અવાજના આધારે તેણે ખૂબ જ ઓછા સમયમાં તેના ચાહકોની સાથે દુશ્મનોની યાદી તૈયાર કરી છે. સિંગર મનકીરત ઔલખ કે જેઓ પરિવારના ખૂબ જ શોખીન છે, તેમને તેમના પરિવાર અને મિત્રો પ્રેમથી ‘મની’ તરીકે બોલાવે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગાયકના પ્રખ્યાત ગીતો કયા છે?

સિંગર મનકીરત ઔલખે ઘણા સુપરહિટ ગીતોથી પંજાબી સિનેમાને દિવાના બનાવ્યા છે. તેમના પ્રખ્યાત ગીતોમાં જુગાડી જટ્ટ અને કુવારી સૌથી વધુ લોકપ્રિય છે. હાલમાં જ મનકીરતનું નવું ગીત રિલીઝ થવા માટે તૈયાર છે. તેના નવા ગીત પુર્જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય તેનું કોલેજ ગીત પણ ખૂબ વાયરલ થયું છે.

ગાયન ઉપરાંત આ રમતમાં રસ છે

સિંગર મનકીરત ઔલખ ફતેહાબાદના તેના ગામ બેહબલપુરમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેના વધુ અભ્યાસ માટે ચંદીગઢ ગયો. તેણે ચંદીગઢમાં તેની ગાયક કારકિર્દીની શરૂઆત કરી હતી. સિંગર સિવાય તેને કબડ્ડી રમવાનો પણ ઘણો શોખ છે. વર્ષ 2013માં કુસ્તીની રમતમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ગાયકીમાં રસ જાગવા માટે તેઓ કોલેજના યુવા ઉત્સવમાં ગીતો ગાતા હતા.

વર્ષ 2016માં સિંગર તરીકે કર્યું હતું ડેબ્યૂ

આ પછી, વર્ષ 2016માં મનકીરત ઔલખે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ પગ મૂક્યો. તેણે તે જ વર્ષે પંજાબી ફિલ્મ ‘મૈં તેરી તુ મેરા’થી ગાયક તરીકેની શરૂઆત કરી હતી.

Mankirat Aulakh કેટલી કમાણી કરે છે?

પંજાબી સિંગર મનકીરત ઔલખ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. તેની ટૂંકી કારકિર્દીમાં, 2.57 લોકોએ તેની YouTube ચેનલ પર સિંગરને સબ્સ્ક્રાઇબ કર્યું. તે જ સમયે, તેના જબરદસ્ત ફેન ફોલોઈંગને કારણે, 5.97 મિલિયન લોકો તેને Instagram પર ફોલો કરે છે. નેટવર્થની વાત કરીએ તો સિંગર 6.74 મિલિયનના માલિક છે. પરંતુ, આ વધતી લોકપ્રિયતાને જોતા તેમની નેટવર્થ 9 મિલિયનની નજીક રહેવાની ધારણા છે.

સિંગરને ધમકીઓ મળી રહી છે

હાલમાં, સમાચાર અનુસાર, લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના દર્દનાક મૃત્યુ પછી, હવે મનકીરત ઔલખને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આની પાછળ બીજું કોઈ નહીં પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને કેનેડામાં બેઠેલા તેના પાર્ટનર ગોલ્ડી બ્રારને જણાવવામાં આવી રહ્યું છે.

Published On - 4:19 pm, Mon, 30 May 22

Next Article