Prithviraj Special Screening: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ જોશે, 1 જૂને દિલ્હીમાં યોજાશે સ્પેશિયલ સ્ક્રીનિંગ

દર્શકોને અપેક્ષા છે કે દ્વિવેદી પણ ફિલ્મ 'પૃથ્વીરાજ' (Prithviraj ) દ્વારા સારો અભિનય બતાવશે. આ ફિલ્મમાં અક્ષય અને માનુષી ઉપરાંત સંજય દત્ત, સોનુ સૂદ પણ મહત્વના રોલમાં છે.

Prithviraj Special Screening: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અક્ષય કુમારની પૃથ્વીરાજ જોશે, 1 જૂને દિલ્હીમાં યોજાશે સ્પેશિયલ સ્ક્રીનિંગ
Prithviraj Movie Screening
Image Credit source: Instagram
| Edited By: | Updated on: May 25, 2022 | 3:53 PM

અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત માનુષી છિલ્લર (Manushi Chhillar) પણ છે, જે આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ‘પૃથ્વીરાજ’ની થિયેટરમાં રિલીઝ થવાની તૈયારી ચાલી રહી છે અને અહેવાલ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ફિલ્મની રિલીઝ પહેલા અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ જોશે. 1 જૂનના રોજ દિલ્હીમાં ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના નિર્દેશક ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આ વાતની પુષ્ટિ કરી છે.

અમિત શાહ પણ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ જોશે

ફિલ્મના સ્ક્રિનિંગમાં અમિત શાહ હાજર રહેશે તેની પુષ્ટિ કરતા ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું કે હા, આ સમાચાર સાચા છે. આપણા માટે ગૌરવની વાત છે કે દેશના માનનીય ગૃહમંત્રી અમિત શાહ ભારત માતાના બહાદુર પુત્ર ‘પૃથ્વીરાજ’ ચૌહાણની ભવ્ય મહાકાવ્ય ગાથાના સાક્ષી બનશે, જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું.

અક્ષય કુમારની આ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સાહ છે. અક્ષય કુમારે પણ આ ફિલ્મને લઈને પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ ફિલ્મ બાળકોને ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓને બતાવવી જોઈએ. ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે તેમના નિવેદનમાં સરકારને વિનંતી કરી હતી કે અમને પુસ્તકોમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે યોગ્ય રીતે શીખવવામાં આવ્યું નથી. પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા જાણવી દરેક માટે જરૂરી છે. સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે ‘પૃથ્વીરાજ’ ફિલ્મ બતાવવાનું ફરજિયાત બનાવવું જોઈએ.

એક તરફ જ્યાં દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા છે તો બીજી તરફ તેના પર વિવાદ પણ ઉભો થયો છે. સૌથી પહેલા કરણી સેનાએ અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું નામ બદલવાની માંગ કરી હતી. કરણી સેના ફિલ્મના ટાઈટલથી નારાજ છે. તેમનું કહેવું છે કે ફિલ્મનું નામ પૃથ્વીરાજ ચૌહાણ રાખવું જોઈએ. એક તરફ કરણી સેના ફિલ્મના નામે હંગામો મચાવી રહી છે. બીજી તરફ ગુર્જર સમાજ ફિલ્મનું પ્રદર્શન રોકવાની ધમકી આપી રહ્યો છે. રાજસ્થાનમાં ગુર્જર સમુદાયમાં આ ફિલ્મનું પ્રદર્શન રોકવાની ચર્ચા ચાલી રહી છે. સમુદાયનું કહેવું છે કે ફિલ્મમાં પૃથ્વીરાજને રાજપૂત તરીકે દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેઓ ગુર્જર હતા.

તમને જણાવી દઈએ કે ચંદ્રપ્રકાશ દ્વિવેદી 1991માં ફેમસ ટીવી શો ‘ચાણક્ય’ અને 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પિંજર’ માટે જાણીતા છે. દર્શકોને અપેક્ષા છે કે દ્વિવેદી પણ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ દ્વારા સારો અભિનય બતાવશે. આ ફિલ્મમાં અક્ષય અને માનુષી ઉપરાંત સંજય દત્ત, સોનુ સૂદ પણ મહત્વના રોલમાં છે.