Dubai News: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીને દુબઈમાંથી કાઢી મૂકવામાં આવશે? સરકારે મોકલી નોટિસ, જાણો મામલો

|

Sep 08, 2023 | 5:36 PM

બોલિવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનું (Nawazuddin siddiqui) ફેમિલી સ્ટ્રગલ પૂરું થઈ રહ્યું નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો એક્ટરની પત્નીને દુબઈમાંથી કાઢી મૂકવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તે ભાડું ચૂકવી શકી ન હતી જેના કારણે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ આ કારણે તેને હવે દુબઈ સરકાર તરફથી નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે હવે તેને કુલ 27,183.00 દિરહમ ચૂકવવા પડશે.

Dubai News: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીને દુબઈમાંથી કાઢી મૂકવામાં આવશે? સરકારે મોકલી નોટિસ, જાણો મામલો
Nawazuddin siddiqui wife aaliya siddiqui
Image Credit source: Social Media

Follow us on

Dubai News: નવાઝુદ્દીન સિદ્દીકીથી (Nawazuddin siddiqui) અલગ થયેલી તેની પત્ની મુશ્કેલીમાં છે. એવી વાત સામે આવી છે કે તેની પત્ની આલિયાને દુબઈથી કાઢી મૂકવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયાએ દુબઈમાં તેનું ભાડું ચૂકવ્યું નથી. રિપોર્ટ્સ મુજબ આ કારણે તેને હવે દુબઈ સરકાર તરફથી નોટિસ મોકલવામાં આવી છે. 7 સપ્ટેમ્બરના રોજ દુબઈના ‘રેન્ટલ ડિસ્પ્યુટ્સ સેન્ટર’ના કેટલાક અધિકારીઓ આલિયાનું નિવાસસ્થાન ખાલી કરવાની નોટિસ લઈને પહોંચ્યા હતા.

નવાઝુદ્દીનની પત્ની ભારતીય એમ્બેસીની માંગશે મદદ?

એક રિપોર્ટ મુજબ બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ નવાઝુદ્દીનને નાણાકીય લેવડદેવડ કરવી પડી હતી. કેટલાક કારણોસર તે આમ કરી શક્યો નહીં. બસ આ જ કારણે આ નોટિસ આલિયાના ઘરે આવી. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે હવે તેને કુલ 27,183.00 દિરહમ ચૂકવવા પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમને દુબઈ તરફથી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. હવે આ ડરને કારણે આલિયા દુબઈમાં ભારતીય એમ્બેસીનો દરવાજો ખટખટાવશે.

આલિયાએ શું કહ્યું?

આલિયા કહે છે, “હું ઈચ્છું છું કે તે તેના નામે દુબઈ હાઉસનો એગ્રીમેન્ટ કરાવે. જ્યાં સુધી તેના હિસ્સાના પૈસાની વાત છે, નવાઝુદ્દીન હવે કોર્ટના આદેશ મુજબ ચૂકવણી કરી રહ્યો છે. મને લાગે છે કે અમારે જલ્દીથી એગ્રીમેન્ટ પર સમાધાન કરી લેવું જોઈએ.” મે મહિનામાં આવેલા રિપોર્ટ મુજબ નવાઝુદ્દીન પ્રોપર્ટીના સંબંધમાં તેને દુબઈમાં મળવા પણ જતો હતો.

અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share

આ પણ વાંચો: જવાન પછી શું જવાન 2 પણ આવશે? આ સીન પરથી મળેલા મોટા સંકેતને કારણે થઈ રહી છે ચર્ચા

નવાઝુદ્દીન સિદ્દીકીની લાઈફ

નવાઝુદ્દીન તેની પત્ની આલિયાથી અલગ રહે છે. તમને જણાવી દઈએ કે તેમના બંને બાળકો શોરા અને યાની તેમની માતા સાથે દુબઈમાં રહે છે. તે દુબઈમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યા છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડાને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેમના અભ્યાસમાં ડિસ્ટર્બ થાય છે.

આલિયા સિદ્દીકી પોતાની પ્રોફેશનલ લાઈફમાં ઘણી પ્રગતિ કરી રહી છે. એક તરફ પતિ નવાઝુદ્દીનની ‘હડ્ડી’ તાજેતરમાં રિલીઝ થઈ છે.’બિગ બોસ ઓટીટી’ના ઘરમાંથી બહાર આવ્યા પછી, આલિયાએ ફરી એક વખત તેના કરિયર પર ધ્યાન આપી રહી છે અને ઘણા પ્રોજેક્ટ્સનો ભાગ પણ બની છે. હાલમાં જ દુબઈ સરકારે આલિયાના દુબઈના ઘરને લઈને નોટિસ મોકલી છે. જેમાં તેમને ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article