સુશાંતસિંહ રાજપૂત મોતના મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને વધુ એક સફળતા મળી છે. શનિવાર સાંજે સુશાંતસિંહ રાજપૂતના સ્ટાફના દિપેશ સાવંતની ધરપકડ કરવામાં આવી છે. દિપેશનું નિવેદન એનડીપીએસ અધિનિયમની કલમ 67 હેઠળ નોંધવામાં આવ્યુ છે અને પૂરતા પુરાવાના આધારે તેને એનડીપીએસ એક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે એસપ્નેડ કોર્ટમાં (કિલા કોર્ટ) રજૂ કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ડ્રગ્સનું ડર્ટી કનેક્શન
દિપેશ સાવંત સુશાંતસિંહ રાજપૂતના ઘરની સંભાળ (house help) રાખનાર હતા. સુશાંત જે ડૂપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ત્યાં નીચલા માળના રૂમમાં દિપેશ સાવંત, સિદ્ધાર્થ પિઠાણી, કેશવ અને નીરજ પણ સાથે રહેતા હતા. 14 જૂન રોજ જ્યારે સુશાંતનું મોત થયું. ત્યારે આ તમામ લોકો ત્યાં ઘરમાં હાજર હતા. નાર્કોટિક્સ વિભાગની ચાલુ તપાસમાં અત્યાર સુધીમાં 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ (શૌવિક, સેમ્યુઅલ મીરાંડા અને ઝૈદ) એનસીબી રિમાન્ડ પર છે. હવે આ તમામને સામ-સામે બેસાડીને આ કેસના તમામ તાર જેડવાનો પ્રયાસ હાથ ધરાશે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડેપ્યુટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાના જણાવ્યા પ્રમાણે દીપેશ સાવંતની ધરપકડ ડ્રગ્સની ખરીદી અને હેન્ડલિંગની ભૂમિકા માટે કરવામાં આવી છે. નિવેદનો અને ડિજિટલ પુરાવાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને આવતીકાલે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ધરપકડ કરાયેલા લોકોની ક્રોસ-તપાસ થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:14 pm, Sat, 5 September 20