Gadar 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ, પાકિસ્તાનના લોકોએ કહ્યું અમને તક મળશે તો અત્યારે જ ભારત જતાં રહીશું, જુઓ Video

|

Aug 12, 2023 | 1:31 PM

'ગદર 2' (Gadar 2 )ના ફિલ્મમાં સની દેઓલનો પ્રેમી અને ધાંસુ અવતાર જોવા મળ્યો છે. ટ્રેલરમાં જોવા મળે છે કે કેવી રીતે તારા સિંહ તેના પુત્રને પાકિસ્તાની સેનાથી બચાવે છે અને એકલા હાથે તે લડે છે.

Gadar 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ, પાકિસ્તાનના લોકોએ કહ્યું અમને તક મળશે તો અત્યારે જ ભારત જતાં રહીશું, જુઓ Video

Follow us on

Gadar 2: સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ (Gadar 2) આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. 22 વર્ષ પછી ગદર 2 આવવાથી લોકો દિવાના થયા છે, જેની અસર શરૂઆતના દિવસે જ સ્પષ્ટપણે જોવા મળી હતી. ગદર 2 પ્રથમ દિવસે હાઉસફુલ રહી હતી અને સારી કમાણી કરવામાં સફળ રહી હતી. ત્યારે આ ફિલ્મને લઈ અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે પાકિસ્તાન વિશે ખુલ્લીને વાતો કહી રહ્યા છે.

અડધુ પાકિસ્તાન ભારત આવી જશે

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે પાકિસ્તાનનો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં એક વયક્તિ હોય છે તે કહેતો જોવા મળી રહ્યો છે કે, હાલમાં એક ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ગદર 2, તેમાં કહેવામાં આવ્યું હતુ કે, જો પાકિસ્તાનને એક તક મળે છે તો અડધુ પાકિસ્તાન ભારત આવી જશે. ખાલી થઈ જશે. આ વાત બિલકુલ સાચી છે. અમે માત્ર સોશિયલ મીડિયા પર અપશબ્દો કહીએ છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

 

અમને અત્યારે તક મળે તો અમે અત્યારે જ ભારત જતાં રહીશું. મને ખબર નથી કે પાકિસ્તાનમાં કેટલી ફિલ્મ બને છે રિલીઝ થાય છે પરંતુ શાહરુખ ખાનની કેટલી ફિલ્મ છે અને કઈ ફિલ્મ ક્યારે આવી હતી. તે આજે પણ મને ખબર છે. તેમને પુછવામાં આવ્યું કે, તમે કેમ ભારત જવા માંગો છો તો તેમણે ટેકનોલોજીની વાત કરી છે. ક્યાં ત્યાં ટેકનોલોજી ખુબ સારી છે. ભારતમાં પાકિસ્તાનની તુલનામાં સારું પેકેજ મળે છે.

મોટી કંપનીના સીઈઓ ભારતીય

આખી દુનિયામાં જ્યાં પણ તમે જાવ મોટી કંપનીના સીઈઓ ભારતીય જ હોય છે. મારા કેટલાક મિત્રો છે જે અન્ય દેશમાં મજુરી કરવા ગયા છે તે કહે છે કે, અમારા બોસ હોય છે તે ઈન્ડિયન છે. મને કહે છે હિન્દુ અને મુસ્લમાન શું કરી રહ્યા છે.વિઝા લાગ્યા ત્યારે અનેક વચનો આપવામાં આવ્યા હતા. તમને જોબ મળી જશે અને નોકરી પણ મળી જશે. પરંતુ હું 6 મહિના ભુખો રહ્યા અને મે એક હિન્દુની મારી આપવીતી કહી તો તેમણે મારી સાથે કોઈ વાત ન કરી પરંતુ મને એક જ વાત કરીમારી માટે જમવાનું મંગાવ્યું તેણે કહ્યું તમે હિન્દુ છો કો મુસ્લમાન મને કોઈ ફરક નહિ પડે . પહેલા જમી લો. અને તેમણે પોતાની કંપનીમાં મને કામ પણ અપાવ્યું હતુ. તે વ્યક્તિ આજે હિન્દુને આશીર્વાદ આપી રહ્યો છે અને પાકિસ્તાનને અપશબ્દો કહી રહ્યા છે.

(Source : tan tak)

 

 

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article