કૃતિ સેનન પ્રભાસ સાથે ક્યારે કરશે લગ્ન? આ વાત પર એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

|

Dec 01, 2022 | 11:45 PM

પ્રભાસ અને કૃતિ સેનન (Kriti Sanon) પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ પ્રભાસ બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનનને ડેટ કરી રહ્યો છે અને કૃતિને પ્રપોઝ પણ કર્યું છે. પરંતુ હવે કૃતિએ આ સવાલો પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે લખ્યું- ના તો આ પ્રેમ છે કે ના પીઆર.

કૃતિ સેનન પ્રભાસ સાથે ક્યારે કરશે લગ્ન? આ વાત પર એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
Kriti Sanon-Prabhas

Follow us on

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન હાલમાં તેમની રિલેશનશિપને લઈને સતત લાઈમલાઈટમાં છે. પરંતુ બંનેએ હજુ સુધી પોતાના રિલેશનશિપનો ઓફિશિયલ સ્વીકાર કર્યો નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃતિ સેનને એક ઈન્ટરવ્યુમાં પ્રભાસ સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. કૃતિ સેનને કહ્યું હતું કે જો તેને તક મળશે તો તે પ્રભાસ સાથે લગ્ન કરવા માંગશે. બંનેના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા છે. બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાણવા ફેન્સ એક્સાઈટેડ છે. હવે કૃતિએ પોતે પ્રભાસ સાથેના લગ્ન અને અફેરના સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે.

વરુણ ધવને આપી હિન્ટ

પ્રભાસ સાથે રિલેશનશિપમાં હોવાના સમાચાર પર કૃતિએ અત્યાર સુધી મૌન રાખ્યું હતું. પરંતુ હવે કૃતિએ એક પોસ્ટ દ્વારા પ્રભાસ અને તેના રિલેશનશિપ વિશે ખુલાસો કર્યો છે. કૃતિએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેયર કરી છે. તેણે લખ્યું – ના તો આ પ્રેમ છે કે ના પીઆર.… અમારો ભેડિયા (વરુણ ધવન) રિયાલિટી શોમાં થોડો વધારે જ વાઈલ્ડ થઈ ગયો હતો. તેની ફની વાતો બાદ અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે.

Kriti Sanon Instagram Story

કેવી રીતે ફેલાઈ પ્રભાસ-કૃતિના અફેરની અફવા?

હાલમાં જ કૃતિ સેનન અને વરુણ ધવન ઝલક દિખલા જા શોમાં તેમની ફિલ્મ ભેડિયાના પ્રમોશન માટે ગયા હતા. ત્યારબાદ વરુણ કૃતિની લવ લાઈફ વિશે વાત કરતો જોવા મળ્યો હતો. વરુણ ધવને કહ્યું હતું- કૃતિનું નામ કોઈના દિલમાં છે. આના પર કરણ જોહરે પૂછ્યું હતું – કોના દિલમાં છે? પછી વરુણ ધવને કહ્યું- એક એવો માણસ છે જે મુંબઈમાં નથી, તે અત્યારે દીપિકા પાદુકોણ સાથે શૂટિંગ કરી રહ્યો છે. વરુણ ધવનનો આ જવાબ સાંભળીને કૃતિ સેનન હસવા લાગી. જ્યારે કરણ જોહર સાંભળીને હેરાન થઈ ગયો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કૃતિ સેનને રિલેશનશિપના સમાચાર પર તોડ્યું મૌન

કૃતિ સેનને જે રીતે વરુણ ધવનની વાત પર પ્રતિક્રિયા આપી, ઘણા લોકોને લાગ્યું કે વરુણ પ્રભાસ અને કૃતિના રિલેશનશિપ વિશે વાત કરી રહ્યો છે. ઘણા લોકોને લાગ્યું કે વરુણ ધવન કૃતિ અને પ્રભાસની રિલેશનશિપને વાતવાતમાં કન્ફર્મ કરી રહ્યો છે. ત્યારથી બંને સ્ટાર્સના લવ અફેરના સમાચારે આગની જેમ ફેલાઈ ગયા હતા. બંનેના લગ્ન સુધી અફવાઓ સામે આવી હતી. હવે આ અફવાઓ પર રિએક્શન આપતા કૃતિએ સત્ય કહ્યું છે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ આદિપુરુષ

પ્રભાસ અને કૃતિ આદિપુરુષ ફિલ્મમાં એકસાથે જોવા મળશે. બંનેની ફિલ્મ આવતા વર્ષે 2023માં થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કૃતિ અને પ્રભાસ સિવાય સૈફ અલી ખાન પણ છે. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત છે.

Next Article