Kangana Ranaut Post: નિતેશ તિવારીની રામાયણ પર કંગનાએ આપી પ્રતિક્રિયા, રણબીર કપૂરનું નામ લીધા વિના તેને કહ્યો – ‘પાતળો સફેદ ઉંદર’

|

Jun 10, 2023 | 6:16 PM

Kangana Ranaut Post: બોલિવુડની બેધડક સ્ટાર કંગના રનૌતે (Kangana Ranaut) નિતેશ તિવારીની રામાયણ પર જોરદાર પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસે ડિરેક્ટરની કાસ્ટિંગ પર પણ સવાલો ઉઠાવ્યા છે. કંગનાએ એક પોસ્ટ શેર કરી છે.

Kangana Ranaut Post: નિતેશ તિવારીની રામાયણ પર કંગનાએ આપી પ્રતિક્રિયા, રણબીર કપૂરનું નામ લીધા વિના તેને કહ્યો - પાતળો સફેદ ઉંદર
Kangana Ranaut
Image Credit source: Social Media

Follow us on

Kangana Ranaut Post: બોલિવુડની બેધડક સ્ટાર કંગના રનૌત (Kangana Ranaut) દરેક મુદ્દા પર પોતાના અભિપ્રાય સાથે વ્યક્ત કરે છે. નિતેશ તિવારીની રામાયણની કાસ્ટ બોલિવુડના કોરિડોરમાં ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે નિતેશે પોતાની રામાયણ માટે રણબીર કપૂરને (Ranbir kapoor) રામ માટે ફાઈનલ કર્યો છે. એવું પણ માનવામાં આવે છે કે આલિયા ભટ્ટ (Alia Bhatt) સીતા તરીકે જોવા મળી શકે છે.

આલિયા પહેલા આ ફિલ્મ માટે સાઉથ એક્ટ્રેસ સઈ પલ્લવીનું નામ સામે આવ્યું હતું. પરંતુ બાદમાં સમાચાર આવ્યા કે આલિયા ભટ્ટે તે રોલ મળશે અને હવે આલિયા રણબીરની અપોઝિટ જોવા મળશે. પરંતુ અમે આ અહેવાલોની પુષ્ટિ કરતા નથી, ન તો ફિલ્મની ટીમ અથવા નિતેશ તિવારી તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું છે. પરંતુ હવે કંગના રનૌતે આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે.

Kangana Ranaut Postએન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નિતેશ તિવારીની રામાયણને લઈને કંગનાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી છે અને તેનો અભિપ્રાય આપ્યો છે. કંગના રનૌતે રણબીર કપૂર અને નિતેશ તિવારીના નામ લીધા નથી. પરંતુ તેની વાત સાંભળીને બધા સમજી જશે કે એક્ટ્રેસનો આ ટોણો માત્ર રણબીર કપૂર માટે છે. કંગનાએ લખ્યું કે હાલમાં જ તેણે બીજી આવનારી બોલિ રામાયણના સમાચાર સાંભળ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રણબીરનું નામ લીધા વિના, તેણે આગળ લખ્યું કે જેમાં એક પાતળો સફેદ ઉંદર (કહેવાતો એક્ટર) જેને કેટલાક સન ટેન અને વિવેકની સખત જરૂર છે, તે લગભગ દરેક વિશે ખરાબ પીઆર કરવા માટે બદનામ છે. મહિલાઓ અને ડ્રગ્સ માટે જાણીતો તે ટ્રાયોલોજીમાં પોતાને ભગવાન શિવ તરીકે સાબિત કરવા માટે બેસ્ટ પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. (જે કોઈએ જોયું નથી અને તે તેના વધુ પાર્ટસ્ બનાવવા માંગે છે.)

આ પણ વાંચો : Satyaprem Ki Katha: સાસુ અને મમ્મી સાથે ફિલ્મના પ્રમોશન માટે જોવા મળી કિયારા અડવાણી, પિંક સાડીમાં લાગી સુંદર

કંગનાએ આગળ લખ્યું કે તે હવે ભગવાન રામ બનવા માટે એક્સાઈટેડ છે. જ્યારે દક્ષિણના એક યુવા સુપરસ્ટારનું વાલ્મિકી જીના વર્ણન મુજબ, જેઓ સ્વ-નિર્મિત હોવા માટે જાણીતા છે, એક સમર્પિત પારિવારિક માણસ એક પરંપરાવાદી પણ છે, તે પોતાના રંગ, વ્યવહાર અને ચહેરાની વિશેષતાઓમાં ભગવાન રામ જેવો દેખાય છે. કંગનાની આ પોસ્ટને દરેક લોકો રણબીર માટે જ માની રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article