આ બદલાવું જોઈએ, અમે ઘણું સહન કરીએ છીએ- પીએમના ફિલ્મવાળા નિવેદન પર અક્ષય કુમારે વ્યક્ત કર્યું દર્દ

|

Jan 22, 2023 | 8:03 PM

Akshay Kumar On PM Modi: ફિલ્મ એક્ટર અક્ષય કુમારે (Akshay Kumar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનું સ્વાગત કર્યું છે, જેમાં પીએમએ નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળવાની સલાહ આપી હતી.

આ બદલાવું જોઈએ, અમે ઘણું સહન કરીએ છીએ- પીએમના ફિલ્મવાળા નિવેદન પર અક્ષય કુમારે વ્યક્ત કર્યું દર્દ
Akshay Kumar - PM Narendra Modi
Image Credit source: PTI

Follow us on

Akshay Kumar On PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ પાર્ટીના નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળવાની સલાહ આપી હતી. તેમના નિવેદનનું બોલિવૂડ તરફથી સ્વાગત કરવામાં આવ્યુ છે. પીએમ મોદીના આ નિવેદન પર હવે એક્ટર અક્ષય કુમારનું રિએક્શન સામે આવ્યું છે. રવિવારે ફિલ્મ સેલ્ફીના ટ્રેલર લોન્ચ દરમિયાન તેમને ફિલ્મ વિશે પીએમના નિવેદન પર વાત કરી હતી. તેને કહ્યું કે હવે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી વધુ આઝાદી સાથે શ્વાસ લઈ શકશે. અક્ષયે પીએમ મોદીના નિવેદનનું સ્વાગત કર્યું.

અક્ષય કુમારે એક સવાલના જવાબમાં કહ્યું, “હવે વધુ સ્વતંત્ર બનીને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી શ્વાસ લઈ શકે છે. પોઝિટિવીટીનું હંમેશા સ્વાગત છે અને ખાસ કરીને જ્યારે આપણા પ્રધાનમંત્રી કંઈક કહી રહ્યા છે, કારણ કે મને લાગે છે કે તેઓ ભારતના સૌથી મોટા પ્રભાવશાળી વ્યક્તિ છે. તે કંઈક કહી રહ્યા છે અને જો પરિસ્થિતિ બદલાય છે તો તે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ સારું હશે. કેમ નહિ? આ બદલાવું જોઈએ. વસ્તુઓ બદલવી જોઈએ કારણ કે અમે ઘણું સહન કરીએ છીએ.”

‘અમે સેન્સર દ્વારા પાસે કરાવીએ છીએ અને પછી..’

અક્ષય કુમારે કહ્યું, “અમે ફિલ્મો બનાવીએ છીએ. સેન્સર બોર્ડમાં લઈ જવાય છે. ત્યાંથી પાસ કરાવી પડે છે. બધું કર્યા પછી…પછી કોઈ કંઈકને કંઈક કહે છે…પછી…ગડબડ થાય છે. તમને જણાવી દઈએ કે હાલમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન સામે જોરદાર બોયકોટ અભિયાન ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ ફિલ્મના પોસ્ટર પણ સળગાવવામાં આવ્યા છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

આ પણ વાંચો : કાર્તિક આર્યને કર્યો ખુલાસો, ફિલ્મોની સફળતાને લઈને સલમાન ખાને તેને આપી હતી આ ખાસ સલાહ

ઘણી ફિલ્મો થઈ છે બોયકોટ

કોરોના કાળ પછી સતત ઘણી ફિલ્મો સામે બોયકોટનો ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો છે. આમાં અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ પણ સામેલ હતી. આ સિવાય આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મલ્ટી સ્ટારર બ્રહ્માસ્ત્ર જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે પઠાનની રિલીઝ પહેલા પણ આવું જ થઈ રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ એક નિવેદન આપ્યું હતું, જેના પછી આશા છે કે ફિલ્મના વિરોધના ટ્રેન્ડમાં થોડો ઘટાડો થશે.

Next Article