Video : અજય દેવગણે જણાવ્યુ કેમ તેની આગામી સિરીઝનું નામ રાખ્યુ – The Great Indian Murder

|

Jan 21, 2022 | 9:00 PM

આ સિરીઝ સિક્સ સસ્પેક્ટ્સ નામની નવલકથા પર આધારિત છે. સિરીઝમાં એક મર્ડર થાય છે અને શંકાની સોય 6 લોકો તરફ ફરે છે.

Video : અજય દેવગણે જણાવ્યુ કેમ તેની આગામી સિરીઝનું નામ રાખ્યુ - The Great Indian Murder
Ajay Devgn reveals story behind name of web series the great Indian murder

Follow us on

અજય દેવગન (Ajay Devgn) નિર્મિત વેબ સિરીઝ ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડરનું (The Great Indian Murder) ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી દરેકના મનમાં એક સવાલ આવી રહ્યો હતો કે સિરીઝનું નામ સિક્સ સસ્પેક્ટ્સ કેમ નથી ? કારણ કે આ સિરીઝ સિક્સ સસ્પેક્ટ્સ નામની નવલકથા પર આધારિત છે. સિરીઝમાં એક મર્ડર થાય છે અને શંકાની સોય 6 લોકો તરફ ફરે છે. તો પછી ટાઈટલ કેમ બદલાયું ? હવે આનું કારણ એક વીડિયોમાં સામે આવ્યું છે, જેમાં અજય, મુખ્ય અભિનેતા પ્રતીક ગાંધી અને નિર્દેશક તિગ્માંશુ ધુલિયા રમૂજી રીતે શોનું  નામ ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર રાખવા પાછળનું કારણ જણાવતા જોવા મળે છે.

વીડિયોમાં અજય કહે છે કે સિરીઝ તૈયાર છે, રિલીઝ થવાની છે, પણ નામ શું રાખવું છે ? આ અંગે પ્રતિક ગાંધી કહે છે કે તેમની પાસે એક સજેશન છે. સિરીઝનું નામ સિક્સ સસ્પેક્ટ્સ જ રાખી દઇએ. પરંતુ અજયે તેના માટે ના પાડી દીધી. એટલામાં તિગ્માંશુ ધુલિયા કહે છે કે તેમનું માનવું છે કે, જે ફિલ્મોના ટાઇટલ ત્રણ શબ્દોના હોવા જોઇએ છે, ત્રણ શબ્દોના ટાઇટલ વાળી ફિલ્મો ખૂબ ચાલે છે જેમકે, અમર અકબર એન્થોની, પાન સિંહ તોમર, સાહબ બીવી ઔર ગેંગસ્ટર. તમને જણાવી દઇએ કે પાન સિંહ તોમર અને સાહબ બીવી ગેંગસ્ટર તિગ્માંશુ દ્વારા નિર્દેશિત ફિલ્મો છે.

આના પર અજય કહે છે કે આ વાર્તા આખા દેશમાં ધૂમ મચાવી રહી છે. આ દરેક શહેરની વાર્તા છે. પછી અજય સૂચવે છે – ધ ગ્રેટ ઈન્ડિયન તમાશા. પ્રતીક સૂચવે છે કે વાર્તામાં સસ્પેન્સ છે અને હત્યા પણ છે. આના પર અજય કહે છે કે – ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર. તિગ્માંશુ સહેજ ખચકાટ સાથે કહે છે – આમાં ચાર શબ્દો છે… પણ તે ઠીક છે. અજયે ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને લખ્યું- ટ્રેલર જુઓ, જુઓ ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડરના ટાઈટલનું રહસ્ય. અમે પાછા જઇને બતાવી રહ્યા છીએ કે શોનું નામ કેવી રીતે રાખવામાં આવ્યું.

 

આ પણ વાંચો –

સોશિયલ મીડિયા પર #WeMissYouSRK થયુ ટ્રેન્ડ, યુઝર્સ આ રીતે કિંગખાનને કરી રહ્યા છે યાદ

આ પણ વાંચો –

Mouni Roy Wedding : કોરોના રિપોર્ટ વિના ‘નો એન્ટ્રી’, અભિનેત્રી મૌની રોયે તેના મહેમાનો પાસે માંગ્યો RT-PCR રિપોર્ટ

Next Article