Naagin 6: એકતા કપૂરના સુપર નેચરલ શોમાં અદા ખાનની ફરીથી એન્ટ્રી, ‘નાગિન’ બનીને ફેન્સને કરશે થ્રિલ

નાગીનના ચાહકોની રાહ સમાપ્ત થવાના આરે છે, કારણ કે શોની પ્રથમ કાસ્ટ જાહેર કરવામાં આવી છે. અદા ખાન (Adaa Khan) આ શોમાં નાગિનના રૂપમાં ફરી જોવા મળશે.

Naagin 6: એકતા કપૂરના સુપર નેચરલ શોમાં અદા ખાનની ફરીથી એન્ટ્રી, નાગિન બનીને ફેન્સને કરશે થ્રિલ
Adaa Khan ( File photo)
| Edited By: | Updated on: Jan 29, 2022 | 10:54 AM

ટીવીના લોકપ્રિય શો ‘નાગિન’ની સીઝન 6ની (Naagin 6) ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે ફેન્સમાં આ વખતે શોમાં કયા નવા ચહેરા જોવા મળશે તે જાણવાની ભારે ઉત્સુકતા હતી. ખબર છે કે એકતા કપૂરની (ekta kapoor) સિરિયલમાં દર વખતે શોમાં એક નવી નાગણ પોતાનો ચાર્મ ફેલાવવા આવે છે. હા, નાગીનના ચાહકોની રાહ સમાપ્ત થવાના આરે છે, કારણ કે શોની પ્રથમ કાસ્ટ જાહેર થઈ ગઈ છે. શોમાં અદા ખાન (Adaa khan) ફરીથી નાગનું રૂપ ધારણ કરતી જોવા મળશે. હવે આ શોમાં બીજા ઘણા નાગણો આવવાના છે, તેથી અન્ય કયા કલાકારો આ શોમાં જોડાવા જઈ રહ્યા છે તે જાણવું પોતાનામાં ખૂબ જ રોમાંચક છે.

અદા ખાન ફરી નાગિન બની

અદાએ પોતે જણાવ્યું કે આ વખતે તે સીઝન 6 નાગીનમાં જોવા મળશે. અદા ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. પોસ્ટમાં એક્ટ્રેસેએ તે નાગિન બનેલી એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે પોતાનો ચહેરો એક બાજુથી છુપાવ્યો હતો. કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું- ‘તે ફરી એકવાર આવી રહી છે… આ શોમાં મૌની રોયથી લઈને નિયા શર્મા, સુરભી જ્યોતિએ કામ કર્યું છે. શોમાં અદા ખાન પણ નેગેટિવ શેડમાં જોવા મળી રહી છે. પરંતુ તેની સુંદરતા બહુ છે.

અદા તેના રોલને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અદાએ એકવાર કહ્યું હતું કે ટીવી શોની દુનિયામાં કયો રોલ તેના માટે સૌથી વધુ યોગ્ય છે. ટ્વીટર પર અદા ખાનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહેતી જોવા મળી હતી કે તેને કાલી માનું પાત્ર પસંદ છે. અભિનેત્રીએ કહ્યું- ‘આ એક એવો રોલ છે જેમાં ઘણી એનર્જી લાગે છે. તે ખૂબ જ સખત મહેનતની જરૂર છે. જેમાં જુનૂન છે.

અદાએ આગળ કહ્યું – હું તેને જોઈને પાગલ થઈ જાઉં છું, મને તે કોન્સેપ્ટ ખૂબ જ ગમે છે. તમને જણાવી દઈએ કે, નાગીન શોની દરેક સીઝન ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. જોકે ફેન્સ આ શોમાં જૂની લીડ એક્ટ્રેસને પણ ખૂબ યાદ કરે છે. આ શોમાં મૌની રોયને સૌથી વધુ યાદ કરવામાં આવે છે.

આ પણ વાંચો : શું બજેટ 2022માં ચીન પર નિર્ભરતા ઘટાડવા અને આત્મનિર્ભર ભારત બનાવવા પર નિર્મલા સીતારમણ મુકશે ભાર?

આ પણ વાંચો : હાલમાં NeoCov વાયરસ મનુષ્યમાં ફેલાવાનું જોખમ નહીં, પરંતુ સાવચેત રહેવાની જરૂર, જાણો શું કહી રહ્યા છે વૈજ્ઞાનિકો?