UP Assembly Election: રાજીનામાનો સિલસિલો આજે પણ ચાલુ ! અત્યાર સુધીમાં 7 ધારાસભ્ય ભાજપ છોડી ચૂક્યા છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલ 13 ધારાસભ્યો ભાજપ છોડી શકે છે. તે જ સમયે, સ્વામી પ્રસાદ મૌર્યએ આ 13 ધારાસભ્યોની યાદી સપા પ્રમુખ અખિલેશ યાદવને સોંપી દીધી છે. મંગળવારે એનસીપીના વડા શરદ પવારે પહેલેથી જ કહ્યું હતું કે, ભાજપના 13 ધારાસભ્યો પાર્ટી છોડવાના છે.

UP Assembly Election: રાજીનામાનો સિલસિલો આજે પણ ચાલુ ! અત્યાર સુધીમાં 7 ધારાસભ્ય ભાજપ છોડી ચૂક્યા છે
Resignation continues today! So far 7 MLAs have left BJP
| Edited By: | Updated on: Jan 13, 2022 | 1:54 PM

UP Assembly Election: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી (UP Assembly Election)ની તારીખોની જાહેરાત બાદથી રાજકારણ ગરમાયું છે. સત્તારૂઢ ભાજપ (UP BJP)ને એક પછી એક ઝટકો મળી રહ્યો છે. સ્વામી પ્રસાદ મૌર્ય(Swami Prasad Maurya)ના રાજીનામા બાદ રાજીનામાની લાઈનો લાગી છે. એવી અટકળો છે કે હવે વધુ ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 13 ધારાસભ્યોની યાદી છે. જે ભાજપ છોડીને સ્વામી પ્રસાદ મૌર્યની સાથે સમાજવાદી પાર્ટીમાં જોડાશે.

એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ, કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ ચૌહાણના રાજીનામાના રૂપમાં ભાજપને બે મોટા આંચકાઓ લાગ્યા છે. 11 જાન્યુઆરીએ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય સહિત 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. 12 જાન્યુઆરીએ પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે રાજીનામું આપ્યું હતું. અત્યાર સુધીમાં ત્રણ દિવસમાં કુલ 7 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે.

શરદ પવારે પહેલેથી જ ભવિષ્યવાણી કરી હતી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલ 13 ધારાસભ્યો ભાજપ છોડી શકે છે. તે જ સમયે, સ્વામી પ્રસાદ મૌર્યએ આ 13 ધારાસભ્યોની યાદી સપા પ્રમુખ અખિલેશ યાદવને સોંપી દીધી છે. મંગળવારે એનસીપીના વડા શરદ પવારે પહેલેથી જ કહ્યું હતું કે ભાજપના 13 ધારાસભ્યો પાર્ટી છોડવાના છે.

આજે ધારાસભ્ય મુકેશ વર્માએ રાજીનામું આપી દીધું

ગુરુવારે શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ પણ રાજીનામું આપી દીધું છે. મુકેશ વર્માએ રાજીનામામાં લખ્યું છે કે, ભાજપ સરકારમાં દલિત, પછાત અને લઘુમતી સમુદાયના નેતાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. સરકારમાં ખેડૂતો, બેરોજગારો અને નાના વેપારીઓની ઉપેક્ષા કરવામાં આવી છે. વર્માએ કહ્યું છે કે, સ્વામી પ્રસાદ મૌર્ય તેમના નેતા છે, મુકેશ વર્માએ પણ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

સપાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા

આ દરમિયાન કોંગ્રેસના એક ધારાસભ્ય અને સપાના એક ધારાસભ્ય પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની અને સપા ધારાસભ્ય હરિ ઓમ યાદવ પણ ભાજપમાં જોડાયા છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય અવતાર સિંહ ભડાનાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને રાષ્ટ્રીય લોકદળમાં જોડાયા છે.મૌર્યના સમર્થક માનવામાં આવતા ત્રણ ધારાસભ્યોએ પણ તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. મંગળવારે મૌર્ય બાદ બીજેપીના તિંદવારીના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિ, તિલ્હારના ધારાસભ્ય રોશન લાલ વર્મા અને બિલ્હૌરના ધારાસભ્ય ભગવતી સાગરે પણ રાજીનામું આપી દીધું હતું.

Published On - 1:53 pm, Thu, 13 January 22