UP Election 2022: નવા વર્ષનો પ્રથમ રાજકીય સુપર સન્ડે, મેરઠમાં પીએમ મોદીની રેલી, અખિલેશ અને કેજરીવાલ લખનૌમાં રેલી કરશે

|

Jan 02, 2022 | 12:38 PM

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સ્વતંત્રતા સંગ્રામની ભૂમિ ઉત્તર પ્રદેશના મેરઠની મુલાકાતે છે, તેઓ અહીં એક મોટી જનસભાને સંબોધશે.

UP Election 2022: નવા વર્ષનો પ્રથમ રાજકીય સુપર સન્ડે, મેરઠમાં પીએમ મોદીની રેલી, અખિલેશ અને કેજરીવાલ લખનૌમાં રેલી કરશે
Uttar Pradesh Assembly Election

Follow us on

નવા વર્ષનો પહેલો રવિવાર યુપીના (Uttar Pradesh) રાજકારણ માટે સુપર સન્ડે બની રહ્યો છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણીને (Assembly Election) લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એકવાર સ્વતંત્રતા સંગ્રામની ભૂમિ ઉત્તર પ્રદેશના મેરઠની મુલાકાતે છે, તેઓ અહીં એક મોટી જનસભાને સંબોધશે.

આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ આજે યુપીના પ્રવાસે છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ (Akhilesh Yadav) આજે રાજ્યની રાજધાની લખનૌમાં વિજય યાત્રા કાઢશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરઠમાં

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો (Major Dhyan Chand Sports University) શિલાન્યાસ કરશે. પીએમ મોદી સરધનાના સલવા ખાતે સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે અને ત્યારબાદ તેઓ એક મોટી રેલીને પણ સંબોધિત કરશે. જાણકારી અનુસાર પીએમ મોદી શિલાન્યાસ કરતા પહેલા ઔઘડનાથ મંદિર અને શહીદ મડકમાં 1857ના અમર શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અખિલેશ યાદવની રાજધાની લખનઉમાં વિજય યાત્રા

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ 2 જાન્યુઆરી, રવિવારથી રથયાત્રા નિકાળશે. જેમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે નજીક માહુરકાલા ગામમાં સ્થાપિત ભગવાન પરશુરામની મૂર્તિનું અનાવરણ કરશે. સપાની પહેલ બાદ જ ગામમાં બે વીઘા જમીનમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ પહેલા અખિલેશ યાદવે પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આવી યાત્રા કાઢી હતી.

અરવિંદ કેજરીવાલ લખનૌમાં રેલી કરશે

ઉત્તર પ્રદેશના પડોશી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ રવિવારે ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે. આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે બપોરે લખનૌના સ્મૃતિ ઉપવન મેદાનમાં એક રેલીને સંબોધિત કરશે. પાર્ટીએ કહ્યું કે કેજરીવાલની આ રેલી માટે AAP નેતાઓએ સમગ્ર ઉત્તર પ્રદેશનો પ્રવાસ કર્યો છે અને 300 યુનિટ મફત વીજળી, 10 લાખ નોકરીઓ અને બેરોજગારી ભથ્થા જેવા વચનો પર લોકો પાસેથી સમર્થન પત્રો લીધા છે.

અગાઉ આ રેલી 28 નવેમ્બરે યોજાવાની હતી, જે પાર્ટીના જણાવ્યા અનુસાર TET પરીક્ષાને કારણે રદ કરવામાં આવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે જો આમ આદમી પાર્ટી (AAP) ઉત્તર પ્રદેશમાં સત્તા પર આવશે તો બધાને 300 યુનિટ મફત વીજળી આપશે.

 

આ પણ વાંચો : Corona Update: કોરોનાના કેસમાં સતત વધારો, 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા અને 284 લોકોના મોત

આ પણ વાંચો : Delhi Air Pollution: નવા વર્ષ પર ફરી દિલ્હીની હવા બગડી, આગામી 3 દિવસમાં મળી શકે છે રાહત

Next Article