Karnataka Elections: કોંગ્રેસે બજરંગબલીનું અપમાન કર્યું, ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યામાં રામ મંદિરનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કોંગ્રેસે ભગવાન રામને ઘણા વર્ષો સુધી તાળાબંધી કરીને રાખ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કરીને ભગવાન રામના ભક્તોનું સપનું સાકાર કર્યું.

Karnataka Elections: કોંગ્રેસે બજરંગબલીનું અપમાન કર્યું, ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Amit Shah slams on congress
| Edited By: | Updated on: May 06, 2023 | 5:40 PM

કર્ણાટક ચૂંટણી માટે જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન શનિવારે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અથાનીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી, જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. બજરંગબલીના મુદ્દે વિપક્ષી પાર્ટી પર સીધા નિશાન સાધ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યામાં રામ મંદિરનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કોંગ્રેસે ભગવાન રામને ઘણા વર્ષો સુધી તાળાબંધી કરીને રાખ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કરીને ભગવાન રામના ભક્તોનું સપનું સાકાર કર્યું.

આ પણ વાંચો: The Kerala Story: વિવેક અગ્નિહોત્રીએ ‘ધ કેરળ સ્ટોરી’ની ટીમને આપી ચેતવણી, કહ્યું- હવે નફરત મળશે અને..

કોંગ્રેસે બજરંગબલીનું અપમાન કર્યું

અમિત શાહનું કહેવું છે કે, કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં બજરંગબલીનું અપમાન કર્યું છે. આ સિવાય તેમના એક મોટા નેતાનું કહેવું છે કે, બજરંગબલીની જન્મ તારીખ શું છે, શું તમારી પાસે પ્રમાણપત્ર છે? રાહુલ ગાંધીના વચનોમાં કોઈ વિશ્વાસ કરતું નથી કારણ કે, તેમને ત્રિપુરા, આસામ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય જનતા પાર્ટી છે, જેણે PFI પર પ્રતિબંધ મૂક્યો હતો. અમારી પાર્ટીએ જનતાને રાશન, પાણીની સુવિધા અને આરોગ્ય સુવિધાઓ આપી છે. ડબલ એન્જિનની સરકારે સામાન્ય માણસના હિતમાં કામ કર્યું છે.

રાહુલ ગાંધીએ સાવરકરનું અપમાન કર્યું

અમિત શાહે રાહુલ ગાંધીને સાવરકર વાળી ટપ્પણી પર જાટકણી કાઢી હતી. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ સતત સાવરકરનું અપમાન કરી રહી છે. તે ઈતિહાસ નથી જાણતા. રાહુલ ગાંધી ભલે દસ જન્મોલે પણ તોઈ તે સાવરકરના બલિદાનનો દસમો ભાગ પણ જાણી શકશે નહીં. શાહે દાવો કર્યો છે કે, તેમની પાર્ટી 13 મેના રોજ બહુમત સાબિત કરવા જઈ રહી છે.

કોંગ્રેસ પોતાના હિતો પૂરા કરવામાં વ્યસ્ત છે – અમિત શાહ

અમિત શાહે સામાન્ય લોકોને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા માટે તેમને મત આપવા વિનંતી કરી છે. તેમની પાર્ટી ઉત્તર કર્ણાટકને રાજ્યનો સૌથી વિકસિત ભાગ બનાવવાનો પૂરો પ્રયાસ કરશે. શાહે કહ્યું અહીં કોંગ્રેસે હંમેશા ખેડૂતોને અન્યાય કર્યો છે. જ્યારે પણ તેઓ સત્તામાં આવ્યા ત્યારે તેમણે ખેડૂતો પર લાકડીઓ અને ગોળીઓ ચલાવી હતી. આ પાર્ટીએ ક્યારેય વિકાસ વિશે વિચાર્યું નથી પરંતુ પોતાના સ્વાર્થ પૂરા કરવામાં વ્યસ્ત છે, પરંતુ આજે અમારી ડબલ એન્જિન સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે 10,000 રૂપિયા મોકલી રહી છે.

ખેડૂતોના ખાતામાં દર વર્ષે 10,000 રૂપિયા મોકલ્યા

ભાજપના નેતાઓએ સામાન્ય લોકોને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા માટે મત આપવા વિનંતી કરી હતી. તેમની પાર્ટી ઉત્તર કર્ણાટકને રાજ્યનો સૌથી વિકસિત ભાગ બનાવવાનો પૂરો પ્રયાસ કરશે.અહીં કોંગ્રેસે હંમેશા ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. જ્યારે પણ તેઓ સત્તામાં આવ્યા ત્યારે તેમણે ખેડૂતો પર લાકડીઓ અને ગોળીઓ ચલાવી હતી. કોંગ્રેસે પાર્ટીએ ક્યારેય વિકાસ વિશે વિચાર્યું નથી પરંતુ પોતાના સ્વાર્થ પૂરા કરવામાં વ્યસ્ત છે, પરંતુ આજે અમારી ડબલ એન્જિન સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે 10,000 રૂપિયા મોકલી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો..