Gujarat Election 2022 : ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી ફરી આવશે ગુજરાત, માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા

|

Oct 26, 2022 | 11:07 AM

માનગઢ હિલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બોર્ડર પર સ્થિત છે. અહીં 17 નવેમ્બર 1913ના રોજ 1507 જેટલા આદિવાસી સૂરમાઓએ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વહોરી હતી.

Gujarat Election 2022 : ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી ફરી આવશે ગુજરાત, માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા
PM Modi Gujarat Visit

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વચ્ચે PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેશે. PM મોદી આ વખતે આદિવાસી સમાજની અસ્મિતા અને આસ્થા સાથે જોડાયેલા સ્થળ માનગઢની (mangadh hill)  મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. રાજ્યકક્ષાના પ્રધાન કુબેર ડીંડોરે PMના કાર્યક્રમને લઇને માહિતી આપી છે. મહત્વપૂર્ણ છે કે માનગઢ હીલ પર આદિવાસી સમાજ સુધારક ગોવિંદ ગુરુની (Govind guru)  ધૂણી આવેલી છે.

આદિવાસી સમાજના લોકોમાં માનગઢ હીલ એક વિશેષ સ્થાન

માનગઢ હિલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બોર્ડર પર સ્થિત છે. અહીં 17 નવેમ્બર 1913ના રોજ 1507 જેટલા આદિવાસી સૂરમાઓએ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વહોરી હતી. આ હત્યાકાંડને જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ મોટો માનવામાં આવે છે. આદિવાસી સમાજના લોકોમાં માનગઢ હીલ એક વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે ચૂંટણી સમયે તેનું રાજકીય મહત્વ પણ ઘણું વધી જાય છે.

 આ મહિનાના અંતમાં માદરે વતન આવશે વડાપ્રધાન

30 ઓક્ટોબરે PM મોદી વડોદરાની સંભવિત મુલાકાત લે તેવી શક્યતા છે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 5 હજાર ઉદ્યોગપતિઓ સાથે PM મોદીના સંવાદનું તંત્ર દ્વારા આયોજન કરાઇ રહ્યું છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આ સાથે વીજ પુરવઠાને લઇને કોઇ સમસ્યા ન સર્જાઇ તે માટે હંગામી ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર પણ ઉભું કરવામાં આવ્યું છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં માદરે વતન આવશે. કાર્યક્રમની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી દિવાળી પછી 31 મી ઓક્ટોબરના રોજ સવારે નર્મદાના કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ રુપે ઉજવવામાં આવે છે.

Published On - 11:04 am, Wed, 26 October 22

Next Article