Gujarat Election 2022 : શરદ પવાર ગુજરાતમાં NCP માટે ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે પીએમ મોદી સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે . તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સામેલ થવાના છે. તેવા સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનું નેતૃત્વ કરશે

Gujarat Election 2022 : શરદ પવાર ગુજરાતમાં NCP માટે ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે
NCP Chief Sharad Pawar
Image Credit source: File Image
| Edited By: | Updated on: Nov 15, 2022 | 3:46 PM

Gujarat Election 2022 :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે પીએમ મોદી સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે . તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સામેલ થવાના છે. તેવા સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનું નેતૃત્વ કરશે. NCPએ સોમવારે આ જાહેરાત કરી હતી. એનસીપીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ, મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલ, વરિષ્ઠ નેતાઓ અજિત પવાર, સુપ્રિયા સુલે, છગન ભુજબળ અને પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટો સહિત 31 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી હતી.

એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. એનસીપી  કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ત્રણ બેઠકો – ઉમરેઠ, નરોડાઅને દેવગઢ બારિયા ચૂંટણી લડશે. જેમાં 2017ની ગુજરાત ચૂંટણીમાં, કાંધલ જાડેજા એકમાત્ર NCP ઉમેદવાર હતા, જે પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે.

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે : અમિત શાહ

આ દરમ્યાન , કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું હતું કે આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી બહુમતી જીતશે તો ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે. શાહના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહ રાજ્યમાં સતત સાતમી વખત સત્તા પર છે. શાહે એક ન્યૂઝને ચેનલને જણાવ્યું હતું કે “જો ગુજરાતમાં ભાજપને બહુમતી મળે છે, તો ભૂપેન્દ્ર પટેલ આગામી મુખ્ય પ્રધાન હશે.”

ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીની જગ્યાએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા મતવિસ્તારમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તેમને એ જ બેઠક પરથી ફરીથી ટિકિટ આપવામાં આવી છે.

અગાઉ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ ‘જાહેર સર્વે’ હાથ ધર્યા બાદ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.કોંગ્રેસે ચૂંટણી માટે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે.ગુજરાતની કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Published On - 3:45 pm, Tue, 15 November 22