ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં વધુ એક રોડ શોમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં શાહીબાગથી સરસપુર સુધીનો રોડ શો આયોજિત કરશે. પ્રાથમિક માહિતી અનુસાર તેઓ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ભદ્રકાળી માતાના મંદિરે પણ દર્શન કરવા જઈ શકે છે. આજે સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ રોડ શો આયોજિત શરૂ કરવામાં આવશે. રોડ શો માટે શાહીબાગથી સરસપુર સુધી બેરિકેડિંગ કરવામાં આવશે. પ્રધાનમંત્રીના આ રોડ શોમાં શાહીબાગ, ઘેવર કોમપ્લેક્ષ , દિલ્હી દરવાજા, દિલ્હી ચકલા , ખમાસા, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, સારંગપુર સહિતના વિસ્તારને આવરી લેવાશે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરસપુર પહોંચશે. આ દરમિયાન તેઓ અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શને પણ જઈ શકે છે.
આજના પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો સૌથી પહેલા ઉત્તર ગુજરામાં પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. બનાસકાંઠાના કાંકરેજમાં 12.15 કલાકે જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ પીએમ મોદી પાટણ પહોંચશે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધૂંઆધાર પ્રચાર કરશે. પીએમ મોદી બપોરે 2-45 કલાકે આણંદના સોજીત્રામાં પહોંચશે અને જનસભાને સંબોધન કરશે તો સાંજે 6 વાગે અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે તે અગાઉ તેઓ 4 વાગે રોડ શોમાં જોડાશે.
Yesterday was special.
Words cannot describe the love and affection I received from people.
Sharing highlights from Ahmedabad. pic.twitter.com/87Vtgbloa4
— Narendra Modi (@narendramodi) December 2, 2022
ધન્યવાદ અમદાવાદ…..!!
આપના અપાર સ્નેહ અને ઉત્સાહથી હું અભિભૂત થયો છું. આ પ્રચંડ જન સમર્થન અમને લોકકલ્યાણ અર્થે વધુ પરિશ્રમ કરવા માટે પ્રેરણા આપે છે.
ખૂબ ખૂબ આભાર…!! pic.twitter.com/wrUr4gBntE
— Narendra Modi (@narendramodi) December 1, 2022
ગત સાંજે પીએમ મોદીએ અમદાવાદ શહેર મેગા રોડ શો યોજયો હતો. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો હતો અને ભવ્યાતિ ભવ્ય પ્રચાર અને મેરેથોન રોડ-શો થકી અમદાવાદની તમામ બેઠકો અંકે કરવાનો છેલ્લી ઘડીનો માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીના જંગી રોડ-શોમાં જનનેતાને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું.
Published On - 12:53 pm, Fri, 2 December 22