ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, તમામ રાજકીય પક્ષો પ્રચાર થકી મતદારોની રીઝવવા મથામણ કરી રહ્યા છે. ગઈ કાલે કોંગ્રેસે બાકીના 37 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો આ તરફ ભાજપે પણ બાકી રહેલ માંજલપુર વિધાનસભા બેઠક પરથી યોગેશ પટેલને પસંદ કર્યા હોવાના અહેવાલ છે. આ અંગે યોગેશ પટેલે જણાવ્યું હતુ કે, સી આર પાટીલ અને મુખ્યપ્રધાને મને ટિકિટ આપી, આજે હું ઉમેદવારી ફોર્મ ભરવા જઈશ. ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તમામ પાર્ટીના બાકી ઉમેદવારો આજે ફોર્મ ભરવા દોડશે. આપને જણાવી દઈએ કે, બીજા તબક્કા માટે અત્યાર સુધી 719 ફોર્મ ભરાયા છે. તો બીજી તરફ પ્રથમ તબક્કાના ફોર્મ પાછા ખેંચવાનો પણ આજે છેલ્લો દિવસ છે.
ભાજપ પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો પર 89 સભા કરશે. જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની ત્રણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી, અંકલેશ્વર અને રાજકોટ પૂર્વમાં સભા કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રણ સભા કરશે. તેવો જામનગર ગ્રામ્ય, ભરૂચના ઓડપાડ અને સુરતમાં સભા કરશે. જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કુલ 4 સભા કરશે. જ્યારે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની કુલ 4 સભાઓ કરશે. તેમની ચાર સભાઓ માત્ર સુરતમાં છે.
આ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની 4 સભા છે. જેવો મોરબી, માંડવી, કચ્છ, ભાવનગરમાં તેમની સભાઓ કરશે. તેમજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કુલ 3 સભા કરશે. તેમની સભા વાંકાનેર, ભરૂચના ઝધડિયા અને સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર યોજાશે.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ વખતે ચૂંટણી રસપ્રદ એટલે પણ બની છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જયારે આજે પ્રથમ તબક્કાની બેઠકો પર માટે ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં સુરત શહેર સહિત જિલ્લાની તમામ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં સુરત શહેરની 12 અને જિલ્લાની 4 બેઠકોના ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 16 બેઠકો પર 168 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે. તેમજ સુરત શહેરની 12 બેઠકો પર 148 ઉમેદવારો ફાઇનલ થયા છે. તેમાં સૌથી વધુ ઉમેદવાર લીંબાયત બેઠક પર 44 ઉમેદવારો મેદાને છે. જ્યારે સુરત શહેરમાં સૌથી ઓછા 4 ઉમેદવારો મજુરા બેઠક પર છે. જ્યારે 155 ઓલપાડ વિધાનસભા બેઠક પર 15 ઉમેદવાર, 156 માંગરોળ બેઠક પર 5 ઉમેદવાર, 157 માંડવી બેઠક પર 7 ઉમેદવાર, 158 કામરેજ બેઠક પર 8 ઉમેદવાર, 159 સુરત પૂર્વ બેઠક પર 14 ઉમેદવાર, 160 સુરત ઉત્તર બેઠક પર 9 ઉમેદવાર, 161 વરાછા રોડ બેઠક પર 5 ઉમેદવાર, 162 કરંજ બેઠક પર 8 ઉમેદવાર, 163 લીંબાયત બેઠક પર 44 ઉમેદવાર,164 ઉધના બેઠક પર 10 ઉમેદવાર, 165 મજુરા બેઠક પર 4 ઉમેદવાર, 166 કતારગામ બેઠક પર 8 ઉમેદવાર, 167 સુરત પશ્ચિમ બેઠક પર 10 ઉમેદવાર, 168 ચોર્યાસી બેઠક પર 13 ઉમેદવાર, 169 બારડોલી બેઠક પર 5 ઉમેદવાર અને 170 મહુવા બેઠક પર 3 ઉમેદવારો મેદાનમાં છે.
અમદાવાદમાં દરિયાપુર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. જેમાં ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર કૌશીક જેન સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદ મુજબ કૌશિક જૈન ચૂંટણી પ્રચારમાં હોમગાર્ડ જવાનોને સિવિલ ડ્રેસમાં રાખે છે. તેમજ હોમગાર્ડને ધાકધમકી આપી પ્રચારમાં હાજર રાખવામાં આવે છે. ભાજપાના ઉમેદવાર દ્વારા રાઇફલ ક્લબનો પ્રચાર માટે દુર ઉપયોગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાયફલ ક્લબ ખાતે હોમગાર્ડ કૌશિક જૈન તથા 1500 માણસોના જમણવાર સાથે મિટિંગ રાખવામાં આવી હતી. ક્લબના સીસીટીવી ચેક કરી યોગ્ય કાર્યવાહી કરવા ગ્યાસુદ્દીન શેખે માંગ કરી છે. તેમજ ભાજપાના ઉમેદવારના કાર્યાલયે ચાલતા રસોડાના ખર્ચનો હિસાબ લેવા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે કાર્યાલયની ચોવિસ કલાક વિડિયોગ્રાફી કરવા ગ્યાસુદ્દીન શેખે માંગ કરી છે.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ વખતે ચૂંટણી રસપ્રદ એટલે પણ બની છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જયારે આજે પ્રથમ તબક્કાની બેઠકો પર માટે ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં આજે છેલ્લી ઘડીએ ભાજપ-કોંગ્રેસ સહિત અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમજ શુક્રવારથી પ્રથમ તબક્કાની બેઠક માટે રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારનો પ્રારંભ કરશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પ્રચાર જોર શોર થી કરી રહ્યા છે. તેવા સમયે સુરતના ચોર્યાસી બેઠક વિસ્તારમાં આવતા ગોડાદરા વિસ્તારની અંદર કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ બુલડોઝર લઈ અને ગોડાદરા વિસ્તારની અંદર પ્રચાર કરવા માટે નીકળ્યા હતા અને આવતીકાલે સુરતની અંદર યુપીના મુખ્યમંત્રી યોગી આદિનાથ આવી રહ્યા છે તેમની સભામાં લોકોને આમંત્રણ પણ આ બુલડોઝરમાં બેસીને લોકોને અપીલ કરી હતી
ગાંધીનગરની દહેગામ બેઠક પર આ વખતે ચતુષ્કોણીય જંગ જામશે. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ટિકિટ ન મળ્યા બાદ અપક્ષ ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ સામે પડકાર ઉભો કર્યો છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કામિનીબા રાઠોડે તેમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે દહેગામની મામલતદાર કચેરીએ પહોંચી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી.બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણે પણ તેમના અસંખ્ય ટેકેદારોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું. આમ દહેગામ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત અપક્ષમાંથી ઉમેદવારી કરનારા કામિનીબા રાઠોડ એમ કુલ 4 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
ગુજરાતમાં ભાજપે ઉમેદવારી તમામ બેઠકો પર ઉમેદવારી પત્રો ભર્યા છે અને હવે પ્રચાર પર નજર છે. જેમાં પ્રથમ તબક્કાની બેઠક પર શુક્રવારથી પ્રચાર ઝુંબેશ પુરજોશમાં હાથ ધરાશે. આ અંગે જણાવતા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પીએમ મોદીનો ચહેરો અમારી માટે બ્રહ્માસ્ત્ર છે. તેમજ પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય નેતાઓ અને ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે.જેમાં શુક્રવારે ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. તેમજ પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકો પર જનસભા યોજવામાં આવશે. જેમાં કેન્દ્રિય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાના અમલ માટે પોલીસને સતર્ક કરવામાં આવી છે. તેમજ રાજ્યના બોર્ડર ધરાવતા જિલ્લાઓમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પોલીસ તપાસ દરમ્યાન રાજસ્થાન ગુજરાતની અમીરગઢ બોર્ડર પરથી રોકડ સાથે શખ્સ ઝડપાયો છે. તેમજ રાજસ્થાનથી આવતા શખ્સ પાસે 3.46 લાખની રોકડ ઝડપાઇ છે. તેમજ આ રોકડનો ખુલાસો ન થતા રોકડ જિલ્લા તિજોરીને સોંપાઈ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 21મી નવેમ્બરના રોજ રાજકોટ ખાતે આવશે. જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરમાં જનસભા અને સંબોધન કરશે આ અંગે તૈયારીઓની સમીક્ષા કરવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર રાજકોટ આવી પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવા શહેર પોલીસે શરૂ કરી છે. જેમાં ગુનેગાર વિરુદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરાઈ છે. જેમાં પોલીસે એક જ દિવસમાં 50થી વધુ અસામાજિક તત્વોને પકડ્યા છે. પોલીસે પકડેલા આ આરોપીઓ અમદાવાદ શહેરના કુખ્યાત ગુનેગારો છે.તેઓ ગુના કરવાની કુટેવથી પોલીસે તડીપાર કરવામાં આવ્યા હતા છતાં પણ બિન્દાસ વિસ્તારમાં ફરી રહ્યા હતા જેને લઈ શહેર પોલીસે તડીપાર ડ્રાઈવની ઝુંબેશ હાથ ધરી.જેમાં શહેરમાં એક રાત્રીમાં 50 થી વધુ ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ પકડાયેલા આરોપીઓ મારમારી, હત્યા,હત્યાના પ્રયાસ ,ઘરફોડ ચોરી,લૂંટ સહિતના ગંભીર ગુનામાં 3 થી વધુ ગુના આચર્યા હોય તેવા વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ આરંભી દીધો છે. જેમાં શુક્રવારે ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. તેમજ પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકો પર જનસભા યોજવામાં આવશે. જેમાં કેન્દ્રિય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે.
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પહેલા તેમણે શક્તિ પ્રદર્શન કર્યું.. ખુલ્લી જીપમાં સીએમ પટેલ સાથે ભવ્ય રોડ શો યોજ્યો.. અલ્પેશે આજે દિવસની શરૂઆત પંચેશ્વર મંદિરમાં દર્શનથી કરી હતી. આ દરમિયાન તેમણે સભા પણ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે પક્ષમાં નાની-મોટી નારાજગી હશે પરંતુ ઘીના ઠામમાં ઘી ઢળશે.
રાધનપુર વિધાનસભા બેઠક પરથી લવિંગજી ઠાકોરે ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકનપત્ર આજે અંતિમ દિવસે ભર્યું છે. ઉલ્લેખનીય છે કે રાધનપુર બેઠક પરથી લવિંગજી ઠાકોરે જ આજ બેઠક પરથી પ્રબળ દાવેદાર અલ્પેશ ઠાકોર સામે સ્થાનિક ઉમેદવાર મામલે સખત વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ ભાજપે પણ અલ્પેશ ઠાકોર અન્ય બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યો હતો અને ભાજપે અંતિમ દિવસે જ રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લવિંગજી ઠાકોરના જ નામની જાહેરાત કરી હતી. જે બાદ આજે લવિંગજી ઠાકોરે સ્થાનિક ભાજપના નેતાઓની સાથે રહીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
Gujarat Election 2022 LIVE : મહેસાણાની સભામાં પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે આગવા અંદાજમાં જોરદાર કટાક્ષ કર્યા હતા.પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે કહ્યું કે મારા સમયમાં તમામ ખાડા-ટેકરા આવ્યા જેને મેં સફળતાથી પાર કર્યા છે, પરંતુ હવે કોઈને કશું પણ નડવાનું નથી. મહેસાણામાં અનેક વિકાસ કાર્યો થયા છે અને હવે વિકાસની ગાડી વધુ ઝડપથી સડસડાટ આગળ વધી શકશે.
Gujarat Election 2022 LIVE : વડોદરાની માંજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે ફોર્મ ભર્યુ હતું. જીતુ સુખડિયા, રાજેન્દ્ર ત્રિવેદી સહિતના નેતાઓ યોગેશ પટેલ સાથે જોડાયા હતા અને યોગેશ પટેલ રેલી કાઢીને કલેક્ટર કચેરી સુધી પહોચ્યા હતા ત્યાર બાદ તેમણે ફોર્મ ભર્યું હતું અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Gujarat Election 2022 LIVE :પાદરામાં ભાજપથી નારાજ નેતા દિનેશ પટેલે જંગી રેલી અને સભા યોજી અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. દિનેશ પટેલ સાથે તેમના પુત્ર દક્ષેશ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. પાદરામાં મામા પાર્ટી પ્લોટ ખાતેથી વિશાળ રેલી યોજી પાદરા મામલતદાર કચેરી ખાતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.પાદરાના વિવિધ વિસ્તારોમાં નીકળેલી રેલીમાં દિનેશ પટેલનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાદરા ભાજપમાં ટિકિટ ન મળતા દિનેશ પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દિનેશ પટેલની રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દિનેશ પટેલે ભાજપ અને કોંગ્રેસને ચેલેન્જ કરતા જંગી મતોથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Gujarat Election 2022 LIVE : રાજકોટની દક્ષિણ બેઠક પર બે પાટીદાર ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા પાછલા ત્રણ દિવસથી વહેલી સવારથી જ પગપાળા પ્રચારમાં જોડાઈ જાય છે. રમેશ ટીલાળા ઘરે-ઘરે જઈ મતદારોને મળી ભાજપને મત આપવા અપીલ કરી રહ્યાં છે. રમેશ ટીલાળાની સાથે ભાજપના કાઉન્સિલરો અને હોદ્દેદારો પણ જોડાય છે. ભાજપ ઉમેદવાર રમેશ ટીલાળાને લોકોનો સારો આવકાર મળી રહ્યો છે. રાજકોટ દક્ષિણના પાટીદાર ફેક્ટર મુદ્દે રમેશ ટીલાળાએ કહ્યું કે ભાજપ અને પાટીદારો એક સિક્કાની બે બાજુ સમાન છે.
Gujarat Election 2022 LIVE : બનાસકાંઠાની ધાનેરા વિધાનસભા બેઠક પર બનાસ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન માવજી દેસાઈએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી. ભાજપમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપી અપક્ષમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર હિમાંશુ પટેલે ફોર્મ ભર્યું છે. નામાંકન પહેલા હિમાંશુ પટેલે રોડ- શો યોજ્યો હતો.આપને જણાવી દઈએ કે, ગાંધીનગર દક્ષિણ પર અલ્પેશ ઠાકોર અને હિમાંશુ પટેલ વચ્ચે જંગ જામશે. ફોર્મ ભર્યા બાદ હિમાંશુ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
ઝઘડિયા બેઠક ઉપર પિતા પુત્રો વચ્ચેનો વિવાદ આખરે ઉકેલાયો છે. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી છે.
ગઈકાલે નાના પુત્રદિલીપ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી હતી.એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઉમેદવારી કરી હતી. મહત્વનું છે કે BTP અધ્યક્ષ મહેશ વસાવાએ છોટુ વસાવાની ટિકિટ કાપી જાતે ઉમેદવારી કરી હતી. છોટુ વસાવા અને દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હવે પરિવારમાંથી માત્ર છોટુ વસાવા ઉમેદવાર છે.
ગાંધીનગર દક્ષિણ બેઠકની સભામાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણે લોકોના મન અને ભરોસો જીતવાનો છે. આપણે કોઈને પણ હરાવવા નિકળ્યા નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારે સતત વિકાસના કાર્યો કરીને લોકો સુધી સુધી તેના ફળ પહોંચાડ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મતદારોને ખાત્રી આપતા કહ્યું કે તમારા દિલની વાત હું સમજી જાઉ અને ઝડપથી વિકાસ કાર્યો પૂર્ણ થાય તેવા પ્રયાસ કરીશ.
વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વડોદરાના હનુમાન મંદિરથી દર્શન કરીને મધુ શ્રીવાસ્તવ સમર્થકો સાથે વાઘોડિયા પહોંચ્યા. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયામાં રેલી કાઢીને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરશે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપે ટિકિટ કાપીને મારૂ અપમાન કર્યું છે. મારા સમર્થકો અને કાર્યકરોના કહેવાથી હું અપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતર્યો છું.
અમદાવાદની નરોડા બેઠક પર NCPએ ઉમેદવાર બદલ્યા છે. એનસીપીના ઉમેદવાર નિકુલસિંહ તોમરના બદલે હવે મેઘરાજ ડોડવાણી ઉમેદવારી ફોર્મ ભરશે. જ્યારે નિકુલસિંહ તોમર પોતાનું ફોર્મ પાછું ખેંચશે. મહત્વનું છે કે નરોડા બેઠક પર કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન થયેલું છે. નિકુલસિંહ અગાઉ કૉંગ્રેસના મેન્ડેટ પર કોર્પોરેશનની ચૂંટણી જીતી ચૂક્યા છે.
ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના સ્થાને મુકેશ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ત્યારે મુકેશ પટેલે જંગી બહુમતિથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુકેશ પટેલ 30 વર્ષ પહેલા ઓફિસ બોય તરીકે કામ કરતા હતા. જે બાદ તેમણે ભાજપમાં સામેલ થઇને અનેક મહત્વના પદો પર જવાબદારી સંભાળી અને હવે તેમને મહેસાણા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. મુકેશ પટેલે જણાવ્યું કે ભાજપમાં કોઇ પણ સંનિષ્ઠ કાર્યકરને ટિકિટ મળી શકે છે. ભાજપમાં ચા વેચનારા પણ વડાપ્રધાન પદ સુધી પહોંચી શકે છે તો એક પટાવાળાથી કારકિર્દી શરૂ કરનારા કાર્યકરને પણ તક મળી શકે છે.
AAP માંથી ઉમેદવારી પરત ખેંચનાર કંચન જરીવાલાએ હવે પોલીસ સુરક્ષા માગી છે. સુરત પૂર્વ બેઠક પરથી ફોર્મ પરત ખેંચ્યા બાદ જીવનું જોખમ હોવાનો જરીવાલાને ભય છે. આપને જણાવી દઈએ કે, જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માગ કરી છે.
કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો મારી નાખે તેવો ભય વ્યકત કર્યો છે.
વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપે આખરે યોગેશ પટેલને જ ટિકિટ આપી. યોગેશ પટેલે દાવો કર્યો છે કે સી.આર પાટીલ અને મુખ્યપ્રધાને તેમની ટિકિટ જાહેર કરી છે. ટિકિટ મળ્યાની આજે સવારે જ જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આજે તેઓ પાર્ટીના કાર્યકરો અને મિત્રો સાથે મળીને ઉમેદવારી ફોર્મ ભરવા જશે. તો વધુમાં તેમણે કહ્યું કે માંજલપુરમાં તેમનો કોઈ વિરોધ નહોતો. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વડોદરાની તમામ બેઠકોના ઉમેદવારો કરતા વધારે મતોથી જીતશે.
ધોળકાના કોંગ્રેસ ઉમેદવાર તરીકે અશ્વિન રાઠોડનું નામ જાહેર થતા જ ભડકો થયો. કોંગ્રેસના ધોળકા તાલુકના પ્રમુખ નરેશ વાઘેલા અને કોળી આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. નરેશ વાઘેલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારી રઘુ શર્માએ રૂપિયા લઈને ટિકિટ વેચી હોવાનો આક્ષેપ કર્યો છે. ધોળકા બેઠકથી જશુભાઈ સોલંકીને ટિકિટ ન મળતા કોંગ્રેસના આગેવાનોએ રોષે ભરાયા છે.
રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને વિવિધ પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી સાર્થક ત્યારે બને છે જ્યારે મતદારો યોગ્ય રીતે મતદાન કરવા જાય. કારણ કે લોકશાહીના ઉત્સવમાં એક એક વોટ કિંમતી હોય છે, ત્યારે અમદાવાદના મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડૉ.ધવલ પટેલના હસ્તે સિગ્નેચર કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ભાજપનું કોકડું માંજલપુર બેઠક માટે ગૂંચવાયું હતું. જોકે ભાજપે આ બેઠક માટે કોઈ જોખમ ન લેતા જૂના અને પીઢ ઉમેદવાર યોગે પટેલ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે. યોગેશ પટેલે Tv9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હું આજે માંજલપુર બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈશ. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, હું આજે ઉમેદવારી પત્ર ભરવા જવાનો છું. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારી ટીકીટ જાહેર કરી છે. યોગેશ પટેલના નામની જાહેરાતને તેમના સમર્થકોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે હાલમાં રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ હોવાના કારણે તમામ ચેકપોસ્ટો પર ચેકિંગની પ્રક્રિયા કડક કરવામાં આવી છે. આ દરમિયાન જામનગરમાં પણ ચૂંટણી સમયે લાખો રૂપિયાની હેરાફેરી ઝડપાઈ છે. શહેરના વ્હોરાના હજીરા પાસેથી લાખોની રોકડ સાથે કારને આંતરી લેવાઈ, જામનગર ઉત્તર બેઠક પર ચૂંટણી પંચ ટીમની કાર્યવાહી કરી છે અને ખાનગી કંપનીના કર્મીની કારમાં અંદાજે 25 લાખની રોકડ હોવાની આશંકા છે. ત્યારે હાલમાં ચૂંટણી પંચના ઓબ્ઝર્વર સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રોકડની ખરાઈ અંગે આવક વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કોંગ્રેસે ગઈકાલે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જોકે ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ પંચમહાલ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઉમેદવારની જાહેરાતને પગલે અસંતોષી વ્યક્તિઓ દ્વારા આ પથ્થરમારો કરાયો હોવાની આશંકા છે. અસંતોષી ઈસમો દ્વારા પથ્થર મારીને બાલ્કનીમાં રહેલા કાચ તોડી નાખવામાં આવ્યા હતા. તો આ ઘટનાને લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 700 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેમાં 70,000 સૈનિકો સામેલ થશે. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને અન્ય CAPFની 150 થી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે.
Published On - 8:15 am, Thu, 17 November 22