Gujarat Election 2022: આજે ગૃહપ્રધાન અમિત શાહ વતનમાં, પોતાના મતવિસ્તારથી લઈ આ કાર્યક્રમોમાં આપશે હાજરી

|

Sep 25, 2022 | 11:57 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે,તેમ રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતની જનતાની નજીક આવવા મથામણ કરી રહ્યા છે.આજે ફરી એક વાર ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે.

Gujarat Election 2022: આજે ગૃહપ્રધાન અમિત શાહ વતનમાં, પોતાના મતવિસ્તારથી લઈ આ કાર્યક્રમોમાં આપશે હાજરી
AMit Shah gujarat visit

Follow us on

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે અવાર નવાર પ્રધાનમંત્રી મોદીથી માંડીને કેન્દ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની જનતાને રીઝવવા માટે વારંવાર ગુજરાતની (Gujarat) મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Amit Shah) ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અમિત શાહ આજે ગુજરાતમાં આવશે. ગુજરાતમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે તો સાથે જ તેઓ પોતાના મત વિસ્તારમાં અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.

માણસામાં સહ પરિવાર સાથે માતાજીની આરતી કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે (Amit Shah gujarat visit) આવવાના છે. જો વિગતે વાત કરીએ તો 26 સપ્ટેમ્બરે અમિત શાહ પોતાના મત વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. સવારે 9 વાગ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણમાં હાજરી આપશે. તો બપોરે 1 વાગે બાવળા ખાતે APMCના સંમેલનમાં હાજરી આપશે. ઉપરાંત ખારીકટ ફતેવાડી કેનાલના પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનામાં સમાવેશ આભાર કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભાજપ દ્વારા હંમેશા દર્શાવવામાં આવે છે કે તે ખેડૂતો માટે કાર્યરત છે. ત્યારે ખેડૂતોના જેટલા પડતર પ્રશ્નો પૂર્ણ થયા છે, ત્યારે તેને લઈને પણ એક સંમેલન યોજવામાં આવશે. તેની સાથે જ 27 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ ગાંધીનગરના (Gandhinagar) કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવાના છે તો 27 સપ્ટેમ્બરે પોતાના વતન માણસાની મુલાકાત લેશે. તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન પોતાના વતન માણસા જતા હોય છે અને આ વર્ષે પણ તેઓ માણસમાં સહ પરિવાર સાથે માતાજીની આરતી કરશે.

Published On - 9:36 am, Sun, 25 September 22

Next Article