Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રસે મેનિફેસ્ટોમાં જાહેર કર્યા આ ખેડૂતલક્ષી વાયદાઓ

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે

Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રસે મેનિફેસ્ટોમાં જાહેર કર્યા આ ખેડૂતલક્ષી વાયદાઓ
Gujarat Congress Manifesto
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:01 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે જ આ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી,જૂની પેંશન યોજના, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી સહિતના તમામ વાયદાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસનું ‘જન ઘોષણાપત્ર’ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ખેડૂતલક્ષી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ખેડૂતની રૂ. 3 લાખ સુધીની લોન માફ થશે અને વીજ બીલ માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ખેડૂતલક્ષી વાયદાઓ

  1.  ખેડૂતની રૂ. 3 લાખ સુધીની લોન માફ થશે, વીજ બીલ માફ કરાશે
  2. નિષ્ણાતો અને હિતધારકોના પ્રતિનિધિત્વ સાથે કૃષિ આયોગની રચના
  3.  જમીન સંપાદન માટે યુપીએ સરકારના જમીન સંપાદન અધિનિયમ 2013નું અમલીકરણ
  4.  સરકારની પાક વીમા કંપની દ્વારા નવી પાક વીમા યોજનાનો અમલ
  5.  સૌરાષ્ટ્ર, કચ્છ ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યા ઉકેલવા ટાસ્ક ફોર્સ
  6.  પાક વીમા યોજના પાક ધરાવનાર ખેડૂત/ભાગીદારને આવરી લેશે.
  7.  ખેડૂતોને દિવસમાં દસ કલાક વીજળી
  8.  ડુંગરાળ અને ઉપરના વિસ્તારો માટે ચેકડેમ અને લિફ્ટ ઈરીગેશનની યોજના
  9.  MSP માત્ર ટેકાના ભાવ પરની ખરીદી માટે જ લાગુ થશે
  10.    જમીનની નવી વૈજ્ઞાનિક માપણી, જૂનું મીટરીંગ રદ કરવામાં આવશે

Published On - 5:56 pm, Sat, 12 November 22