પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની કોંગ્રેસના અશોક ગેહલોત સાથે બંધ બારણે થયેલી મુલાકાતથી રાજકારણ ગરમાયુ

|

Oct 30, 2022 | 7:42 PM

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જોડતોડની મૌસમ ચાલી રહી છે. આ બધા વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી જય નાયારણ વ્યાસની ગુજરાત કોંગ્રેસના સિનિય ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે થયેલી મુલાકાતથી રાજકારણ ગરમાયુ છે.

પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની કોંગ્રેસના અશોક ગેહલોત સાથે બંધ બારણે થયેલી મુલાકાતથી રાજકારણ ગરમાયુ
જય નારાયણ વ્યાસ
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે એકબીજા પક્ષમાં જોડાવાની મોસમ ચાલી રહી છે. કોંગ્રેસના સિનિયર નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ સાથેની એક બેઠક ચર્ચાનો મુદ્દો બન્યો છે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે થયેલ બેઠક બુકના રેફરન્સ માટેનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે મુલાકાતના અનેક અર્થ નીકળી રહ્યા છે. ગુજરાત ભાજપના એક સમયના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રી સહિતના અલગ અલગ મંત્રી પદ શોભાવનાર જય નારાયણ વ્યાસ છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટમાં નથી.

એવા સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત સાથે અમદાવાદ સર્કિટ હાઉસમાં મુલાકાત માટે પહોંચે છે. જયનારાયણ વ્યાસે આ મુલાકાતને નોનપોલિટિકલ એજન્ડા બેઠક કહે છે. ભાજપમાંથી કોરાણે મુકાયેલ વ્યાસ બેઠક અંગે જણાવે છે કે નર્મદા અંગેના પુસ્તક લેખન પર રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.

અશોક ગેહલોતે શું સંકેત આપ્યો?

રાજનીતિમાં દરેક ચહલપહલનો એક મતલબ નીકળતો હોય છે અને ના બોલાયેલ શબ્દોના પણ અનેક અર્થ થતા હોય છે. જય નારાયણ વ્યાસની ગત 2017 વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ સતત અવગણનાની સ્થિતિ છે. આ સ્થિતિએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથેની તેમની મુલાકાત ઘણું બધું કહી જાય છે. આ અંગે અશોક ગેહલોતે પણ રાજકીય સંકેત આપતા જણાવ્યું કે અમે અવારનવાર મળતા રહીશું અને તેમના અનુભવનો લાભ લેવા ઈચ્છીએ છીએ. રાજસ્થાને નર્મદાના પાણીનો ઉપયોગ કર્યો એનાથી વ્યાસ પ્રભાવિત થયા અને મને શુભકામનાઓ આપી. આ શુભકામનાઓ પણ બીટવીન ધી લાઈન્સ ઘણું કહી જાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભાજપ બદલાઈ હોવાનું વ્યાસે કેમ કહ્યું હતું ?

થોડા સમય પહેલા જયનારાયણ વ્યાસે બાયપાસ સર્જરી કરાવી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા, ત્યારે તેમને કમલમમાંથી બેઠકમાં હજાર રહેવા માટે ફોન આવતા તેઓ નારાજ થયા હતા. તેમણે ટ્વીટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી અને જણાવ્યું કે પહેલા તમે અસ્વસ્થ હોવ તો પાર્ટીના સિનિયર નેતાઓ ખબર પૂછવા આવતા હતા. હવે ખરેખર પાર્ટી બદલાઇ ગઈ છે. વ્યાસની આજ નારાજગી અને ચૂંટણી પૂર્વે સિનિયર નેતાની વિરોધી પાર્ટીના નેતા સાથેની બંધ બારણે બેઠક પુસ્તક માટે ના જ હોઈ શકે.

Next Article