Banaskantha: અલ્પેશ ઠાકોરે શરુ કરી સ્નેહ સંવાદ યાત્રા, વિધાનસભા ચૂંટણી પહેલા ઠાકોર સેનાને મજબૂત બનાવવા કવાયત

|

Apr 11, 2022 | 5:35 PM

અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) 10 એપ્રિલથી એટલે કે ગઇકાલથી બનાસકાંઠાના (Banaskantha)કાંકરેજથી સ્નેહ સંવાદ યાત્રાનો પ્રારંભ શરુ કર્યો છે. દરેક તાલુકા મથકે ઠાકોર તેમજ OBCસમાજના આગેવાનો સાથે અલ્પેશ ઠાકોરે ખાટલા બેઠક કરવાની શરુઆત કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) પહેલાં રાજકીય નેતાઓની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠનને વધુ મજબૂત કરવા અલ્પેશ ઠાકોર કામે લાગ્યા છે. ઠાકોર સમાજના આગેવાન અને ભાજપના નેતા  (BJP leader) અલ્પેશ ઠાકોરે પણ પોતાની સ્નેહ સંવાદ યાત્રા શરૂ કરી છે. બનાસકાઠામાં અલ્પેશ ઠાકોર ગામે ગામ ખાટલા બેઠક કરી યુવાનોથી લઈ વડીલોને મળી રહ્યા છે અને સમાજની મજબૂતી માટે કામ કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરની (Alpesh Thakor) સ્નેહ સંવાદ યાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો જોડાયા હતા.

અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલથી એટલે કે ગઈકાલથી બનાસકાંઠાના કાંકરેજથી સ્નેહ સંવાદ યાત્રાનો પ્રારંભ શરુ કર્યો છે. દરેક તાલુકા મથકે ઠાકોર તેમજ OBC સમાજના આગેવાનો સાથે અલ્પેશ ઠાકોરે ખાટલા બેઠક કરવાની શરુઆત કરી છે. ભૂગર્ભમાં ધકેલાયેલી ઠાકોર સેનાને વિધાનસભા ચૂંટણી પહેલા જીવંત કરવા અલ્પેશ ઠાકોરની આ સામાજીક રાજકીય યાત્રા શરૂ થઈ છે. ત્યારે આ મુદ્દે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર એકલો નથી. અલ્પેશ ઠાકોર માટે આજે પણ ઠાકોર સમાજમાં એ જ પ્રેમ છે તો બીજી તરફ ઠાકોર સેનાના આગેવાનોએ કહ્યું હતું કે ઠાકોર સેના હંમેશા અલ્પેશ ઠાકોર સાથે જ છે.

મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર એ ક્ષત્રિય સમાજમાં મોટી પકડ ધરાવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશની આ યાત્રા રાજકીય કદને વધુ મજબૂત કરવા માટેની મથામણ માનવામાં આવે છે. અત્યારે ચૂંટણી પહેલા ઠાકોર સમાજના મત એકત્ર કરવા માટે ભાજપ નેતા દ્વારા ખાટલા બેઠક થકી આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હોવાનું માની શકાય.

 

આ પણ વાંચો-કોંગ્રેસનું મિશન 2022, OBC સમાજના મુદ્દાઓ ઉઠાવવા બેઠકમાં નિર્ણય લેવાયો

આ પણ વાંચો-ગુજરાતના 6 ગામડાઓને આદર્શ ગામ બનાવવામાં આવશે : અમિત શાહ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video