વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે તે દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ભાવનગરમાં (Bhavnagar) અકવાડા લેક ફેસ 2નું ખાતમુહૂર્ત, ટાઉનહોલ, 11 કરોડના ખર્ચે બનેલા ન્યુ એસટી ડેપો (New ST Stand), 100 કરોડના ખર્ચે બનેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર, તળાજા ખાતે તૈયાર થયેલ નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ, નવાગામે ખાતે તૈયાર થયેલ કન્ટેનર અને તેના ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ થશે. તે પૈકી એસટી બસ સ્ટેન્ડ ખૂબ જ આધુનિક બનાવવામાં આવ્યું છે
આવતીકાલે ભાવનગરમાં બસ સ્ટેશનના લોકાર્પણની સાથે સાથે વિભાગીય કચેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમૂર્હૂત કરવામાં આવશે. ભાવનગરમાં (Bhavnagar) લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi ) આવી રહ્યા છે. જેને લઈને ભાજપના (BJP) કાર્યકરો, આગેવાનો અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યું છે. પીએમના હસ્તે 29 તારીખે ભાવનગરમાં સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ વિધિ થશે. પીએમના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણની યાદીમાં 4300 કરોડના ખર્ચે તૈયાર થનાર વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટ (CNG terminal port) હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. તેમજ જવાહર મેદાન ખાતે ભવ્ય સભાને પણ સંબોધશે. વડાપ્રધાનના આગમનને લઇ અધિકારીઓ અને પદાધિકારીઓ કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાવનગરમાં તેઓ 2.5 કિલોમીટરનો લાંબો રોડ શો કરશે. વડાપ્રધાનની ભાવનગર ખાતેની સભામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 2 લાખની જનમેદની લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.