AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસની નજીક ! આ બેઠકો માટે કરી શકે છે ગઠબંધન

|

Sep 13, 2022 | 7:52 AM

ગઠબંધનને લઈને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, ચૂંટણીલક્ષી જોડાણ અને ગઠબંધનના જે પણ નિર્ણય હશે તે અમારા પ્રભારી અને હાઈકમાન્ડ લેશે.

AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસની નજીક ! આ બેઠકો માટે કરી શકે છે ગઠબંધન
Chhotu Vasava

Follow us on

AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસ (Congress Party) સાથે ગઠબંધન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ ઝઘડિયા અને ડેડિયાપાડા ગુજરાત વિધાનસભા બેઠકને (Gujarat Assembly Seat)  લઈ BTP સાથે ગઠબંધન કરી શકે છે. અગાઉ કોંગ્રેસના (Congress) મીડિયા ઈનચાર્જ પવન ખેરા અને છોટુ વસાવાની (Chhotu Vasava)મુલાકાત થઈ હતી. આ દરમિયાન બે બેઠક પર સંમતિ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, ચૂંટણીલક્ષી જોડાણ અને ગઠબંધનના જે પણ નિર્ણય હશે તે અમારા પ્રભારી અને હાઈકમાન્ડ લેશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

BTP અને AAPના ગઠબંધનનું ‘બાળમરણ’

દિલ્હીના સીએમ અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાત પ્રવાસ દરમિયાન જ તેમને મોટો ઝટકો મળ્યો છે. ગઈ કાલે છોટુ વસાવાએ BTP અને આપનું (Aam Admi Party) ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી છે, ત્યારે આ સમાચાર આમ આદમી પાર્ટી માટે ખૂબ જ નુકસાનકારક રહી શકે છે. એક તરફ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ગુજરાતના મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ BTP સાથેનું ગઠબંધન તૂટતા તેમને આદિવાસી વિસ્તારમાં મોટો ફટકો પડવાની સંભાવના છે.

છોટુ વસાવાના AAP પર ગંભીર આરોપ

વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી બહુમુલ્ય ધરાવતા નર્મદા જિલ્લામાંથી (Narmada) આમ આદમી પાર્ટીને મોટુ નુકસાન પહોંચાડતા સમાચાર સામે આવ્યા છે. BTP અને AAPના રાજકીય ગઠબંધનમાં ભંગાણ પડ્યું છે. છોટુ વસાવાએ BTP અને AAPનું રાજકીય ગઠબંધન તૂટવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું કે, AAPના ટોપી વાળા લોકો દેખાતા નથી અને AAPના નેતાઓ BTPનું માનતા નથી એટલે આ ગઠબંધન તોડવાની ફરજ પડી છે. આ સાથે તેમને AAP પર ગંભીર આરોપ કરતા જણાવ્યુ કે AAP અને ભાજપ એક જ છે અને તેઓ ભેગા મળીને આદિવાસીની સંપત્તિ લૂંટી રહ્યા છે.

Next Article