UP Assembly Election: મુખ્યમંત્રી યોગીએ મોહદ્દીપુર ગુરુદ્વારમાં ટેકવ્યું માથું, ઘર-ઘરે જઇને માગ્યા વોટ

|

Feb 05, 2022 | 5:10 PM

યોગીએ વાતચીતમાં કહ્યું હતું કે, અગાઉની સરકાર માત્ર પોતાનો વિકાસ કરી રહી હતી. હવે રાજ્યની સાથે દેશનો પણ વિકાસ થઈ રહ્યો છે. યુપીએ દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે.

UP Assembly Election: મુખ્યમંત્રી યોગીએ મોહદ્દીપુર ગુરુદ્વારમાં ટેકવ્યું માથું, ઘર-ઘરે જઇને માગ્યા વોટ
Yogi Adityanath (File photo)

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election) ગોરખપુર (Gorakhpur) શહેર વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર મુખ્યમંત્ર યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પૂજા કરવા માટે મોહદ્દીપુર પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પછી સીએમ યોગીએ મોહદ્દીપુર ગુરુદ્વારામાં માથું ટેકવીને શીખ સમાજ પાસેથી સમર્થન માંગ્યું હતું. સીએમ યોગીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વર્ષ 2017થી યુપીની તસ્વીર બદલાઈ ગઈ છે. પહેલા ઉદ્યોગપતિઓ યુપીમાંથી સ્થળાંતર કરતા હતા. હવે યુપીમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. અહીં લોકો સુરક્ષિત અનુભવી રહ્યા છે. અમારી સરકાર દરેક વિભાગ પર વિશેષ ધ્યાન આપી રહી છે.

યોગીએ વાતચીતમાં કહ્યું હતું કે, અગાઉની સરકાર માત્ર પોતાનો વિકાસ કરી રહી હતી. હવે રાજ્યની સાથે દેશનો પણ વિકાસ થઈ રહ્યો છે. યુપીએ દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. આ દરમિયાન સીએમ યોગીએ મતદારોને કહ્યું કે ખાવામાં બેદરકારી થઈ શકે છે પરંતુ મતદાનમાં કોઈ બેદરકારી ન હોવી જોઈએ.

મુખ્યમંત્રી યોગીએ શીખ સમાજના ડૉ. હરીશ કુમાર અરોરા, હરમીત સિંહ, પૂનમ ભાટિયા અને દીપક કક્કરનું સમર્થન માંગ્યું છે. બીજી તરફ મોહદ્દીપુર ગુરુદ્વારા કમિટીના સેક્રેટરી મનમોહન સિંહ લાડે, દીપ કક્કર, કન્હૈયા ભાટિયા, ડૉ. હરીશ અરોરા અને હરિવંશ છટવાલ ઘરે-ઘરે જઈને ભાજપ માટે સમર્થન માંગી રહ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ નેતાઓ પણ હાજર રહ્યા

મુખ્યમંત્રી યોગીએ શુક્રવારે ગોરખપુર શહેર વિધાનસભા સીટ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ ખાસ દિવસે ગૃહ મંત્રી, અમિત શાહ પણ હાજર રહ્યા હતા. તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પણ હાજર રહ્યા હતા.

આવતીકાલે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવી શકે છે

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 58 બેઠકો માટે 10 ફેબ્રુઆરીએ મતદાન છે. આ પહેલા ભાજપ 6 ફેબ્રુઆરી એટલે કે રવિવારના રોજ રાજ્યની જનતાની સામે પોતાનો સંકલ્પ પત્ર રજૂ કરશે. પાર્ટીના આ સંકલ્પ પત્રના કેન્દ્રમાં ગરીબો, ખેડૂતો અને મહિલાઓ હશે. આ ઉપરાંત નવી રોજગારી સર્જન પર પણ ધ્યાન આપવામાં આવશે.

પાર્ટી કેટલાક મહત્વપૂર્ણ વચનો પણ આપી શકે છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રને ઉપલબ્ધ વીજળીને લઈને પણ કંઈક જાહેરાત કરી શકે છે. શુક્રવારે ગોરખપુર સદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે સ્પષ્ટ કર્યું કે પાર્ટીનો ઠરાવ પત્ર 6 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.

 

આ પણ વાંચો  : કોરોનાથી રાહતના સંકેત, ICMRનો દાવો- માર્ચ સુધી ખત્મ થઈ શકે છે ત્રીજી લહેર

આ પણ વાંચો : Winter Olympics 2022: વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત, બેઈજિંગ સમર અને વિન્ટર ઓલિમ્પિક બંનેનું આયોજન કરનાર વિશ્વનું પ્રથમ શહેર બન્યું

Next Article