
મધ્યપ્રદેશ (Madhya Pradesh) બાદ અન્ય રાજ્યએ જાહેરાત કરી છે કે અહીં મેડિકલ અને એન્જિનિયરિંગનો (Medical and Engineering) અભ્યાસ હિન્દીમાં થશે. આ રાજ્ય ઉત્તર પ્રદેશ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Chief Minister Yogi Adityanath) જાહેરાત કરી હતી કે, ઉત્તર પ્રદેશમાં મેડિકલ અને એન્જિનિયરિંગના કેટલાક પુસ્તકોનું હિન્દીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આવતા શૈક્ષણિક વર્ષથી, આ કાર્યક્રમોના વિષયો યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી હિન્દીમાં પણ અભ્યાસ કરી શકાય.
હિન્દીમાં મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રોગ્રામના અભ્યાસની જાહેરાત આવા સમયે કરવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશ સરકારે તાજેતરમાં જ આવું કર્યું હતું. જો કે, આ નિર્ણય બાદ હિન્દીમાં એમબીબીએસના અભ્યાસને લઈને મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. જ્યાં અમલકર્તાઓ કહે છે કે, તેનાથી ગ્રામીણ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને ફાયદો થશે. બીજી બાજુ, હિન્દીમાં ઉચ્ચ શિક્ષણ અંગે, તેના વિરોધીઓનું કહેવું છે કે, આના કારણે વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકશે નહીં.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક ટ્વિટ દ્વારા હિન્દીમાં મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસ વિશે માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘ઉત્તર પ્રદેશમાં મેડિકલ અને એન્જિનિયરિંગની કેટલીક પુસ્તકોનું હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યું છે. આગામી વર્ષોથી, રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ હિન્દીમાં ભણાવવા માટે આ વિષયોના અભ્યાસક્રમો ઉપલબ્ધ થશે.
उत्तर प्रदेश में मेडिकल और इंजीनियरिंग की कुछ पुस्तकों का हिंदी में अनुवाद कर दिया गया है।
आगामी वर्ष से प्रदेश के विश्वविद्यालयों और महाविद्यालयों में इन विषयों के पाठ्यक्रम हिंदी में भी पढ़ने के लिए मिलेंगे।
— Yogi Adityanath (@myogiadityanath) October 15, 2022
તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે હિન્દી ભાષામાં તબીબી શિક્ષણ પ્રદાન કરવાના મધ્યપ્રદેશ સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગ રૂપે એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે ત્રણ વિષયના હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું. તેને ઈતિહાસના મહત્વના દિવસ તરીકે ગણાવતા ગૃહમંત્રીએ કહ્યું કે, મધ્યપ્રદેશ હિન્દીમાં એમબીબીએસ (બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી) કોર્સ શરૂ કરનારો દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે મેડિકલ બાયોકેમિસ્ટ્રી, એનાટોમી અને મેડિકલ ફિઝિયોલોજી વિષયો પરના હિન્દીમાં પુસ્તકોનું અનાવરણ કરતાં તેમણે કહ્યું કે, આ દિવસ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.