Surat : 28 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, એક વિદ્યાર્થીને 3 સેન્ટર અપાતા મુશ્કેલીમાં વધારો

|

Mar 26, 2022 | 12:34 PM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે શહેરની શાળાઓમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28મી માર્ચથી શરૂ થનારી આ પરીક્ષાઓ માટે શહેરમાં અનેક વિષયોના પ્રશ્નપત્રો આવી ગયા છે. 10 અને 12ની પરીક્ષા માટે ગાંધીનગરથી પ્રશ્નપત્રો શહેરમાં આવી ગયા છે.

Surat : 28 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, એક વિદ્યાર્થીને 3 સેન્ટર અપાતા મુશ્કેલીમાં વધારો
Tight security outside the Strong Room, surat

Follow us on

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board) ની પરીક્ષા (Board exam) ઓ 28 માર્ચથી શરૂ થઈ રહી છે. તેની સાથે જ વિદ્યાર્થીઓ (Students) અને વાલીઓની મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે. કારણ કે બોર્ડે દરેક વિદ્યાર્થીને અલગ-અલગ વિષય માટે ત્રણ પરીક્ષા કેન્દ્રો આપ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરેશાન છે. સુરતમાં (Surat) વાલીઓના જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓને ત્રણ જગ્યાએ સેન્ટર આપવાનું દબાણ છે, કારણ કે પરીક્ષા કેન્દ્રો વચ્ચે 10 થી 15 કિલોમીટરનું અંતર હોવાથી સરકાર પાસે પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવા માગ કરવામાં આવશે.

UP Governor Anandiben Patel on Surat's visit tomorrow |Gujarat |TV9GujaratiNews

વાલીમંડલના આગેવાન ઉમેશ પંચાલે આ નિયમનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, પરીક્ષા માટે કેન્દ્ર આપવામાં આવે તો તેને કેટલાય કિલોમીટર દૂર મોકલી દેવામાં આવે છે. જે ખૂબ જ અયોગ્ય છે . અમે રાજ્ય સરકાર પાસે આ નિયમમાં ફેરફારની માગ કરીશું. વાલીઓએ પણ પોતાના બાળકોને 6 વિષયની પરીક્ષા આપવા માટે અલગ-અલગ સેન્ટરો પર જવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત

વાલીઓએ પણ કહ્યું છે કે આનાથી મુશ્કેલી પડશે, બોર્ડની પરીક્ષા માટે અલગ-અલગ સેન્ટરના કારણે ઘણા વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી. વાલીઓનું કહેવું છે કે તેના કારણે વિદ્યાર્થીઓ ઉતાવળમાં રહે છે અને પેપર બગડવાનો ભય રહે છે. સરકારે આ નિયમ બદલવો જોઈએ. કેટલાક વાલીઓની ફરિયાદ છે કે ઘણા વિદ્યાર્થીઓને એવી જગ્યાએ સેન્ટર આપવામાં આવ્યું છે, જ્યાં રિક્ષા પણ નથી જતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે શહેરની શાળાઓમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28મી માર્ચથી શરૂ થનારી આ પરીક્ષાઓ માટે શહેરમાં અનેક વિષયોના પ્રશ્નપત્રો આવી ગયા છે. 10 અને 12ની પરીક્ષા માટે ગાંધીનગરથી પ્રશ્નપત્રો શહેરમાં આવી ગયા છે. આ પ્રશ્નપત્રો શહેરના 11 સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નાનપુરાની શાળામાં પણ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. 10-12ના પ્રશ્નપત્ર માટે નાનપુરાની શાળામાં સ્ટ્રોંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો-

ગાંધીનગર પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડે બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપ્યુ, આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા

આ પણ વાંચો-

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, ગુજરાતમાં હાલ હીટવેવની સંભાવના નહીં