આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે Children’s Day, જાણો શું છે તેનું મહત્વ

|

Nov 14, 2022 | 9:03 AM

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં આજે દેશભરમાં Children's Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો.

આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે Children’s Day, જાણો શું છે તેનું મહત્વ
Happy Childrens Day

Follow us on

દેશભરમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ દેશની વિવિધ શાળાઓમાં Children’s Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુનો જન્મ થયો હતો. તેમનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. બાળ દિવસ બાળકોના અધિકારો, સંભાળ અને શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

પૂર્વ વડાપ્રધાન Pandit Jawaharlal Nehruને ‘ચાચા નેહરુ’ કહેવામાં આવતા હતા. કારણ કે તેઓ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓ બાળકોને દેશની ભાવિ સંપત્તિ માનતા હતા. તેઓ માનતા હતા કે દેશના બાળકો માટે શિક્ષણ સૌથી મહત્વની બાબત છે. આ જ કારણ છે કે આઝાદી પછી દેશની બાગડોર સંભાળતી વખતે તેમણે ઘણી જાણીતી સંસ્થાઓનું નિર્માણ કરવાનો આગ્રહ રાખ્યો હતો.

IIT, IIM જેવી સંસ્થાઓ બનાવવા પર આપ્યું ભાર

જવાહરલાલ નેહરુએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (NIT) જેવી અગ્રણી સંસ્થાઓ પર આગ્રહ રાખ્યો હતો. પૂર્વ PMએ કહ્યું હતું કે, ‘આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે. અમે તેમને જે રીતે ઉછેરશું તે દેશનું ભવિષ્ય નક્કી કરશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અગાઉ બાળ દિવસ 20 નવેમ્બરે આવતો હતો

14 નવેમ્બરને ભારતમાં ‘બાળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1956થી જ શરૂ થયો હતો. વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્ર હેઠળ, 20 નવેમ્બરને Universal Childrens Day તરીકે ઉજવવામાં આવે છે. જોકે, 1964માં પંડિત નેહરુનું અવસાન થયું ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે, તેમની જન્મજયંતિના દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

ભારતીય સંસદે, એક ઠરાવ પસાર કરતી વખતે, દેશના પ્રથમ વડા પ્રધાનની જન્મજયંતિને બાળ દિવસ તરીકે નિયુક્ત કરી. આ જ કારણ છે કે ત્યારથી લઈને આજ સુધી દેશમાં 14 નવેમ્બરને Bal Diwas તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ સમયે, ઘણી જગ્યાએ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. બાળકો આ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે.

Next Article