CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ શિષ્યવૃત્તિ માટે રજીસ્ટ્રેશન શરૂ, 10 ધોરણ પાસ વિદ્યાર્થીનીઓ કરી શકે છે અરજી

જાહેર કરાયેલ સૂચનાના આધારે વિદ્યાર્થીનીઓ 18 ઓક્ટોબર 2023 સુધી શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. નિયત તારીખ પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં. વિદ્યાર્થીનીઓએ અહીં નોંધવું પડશે કે બોર્ડ કોઈપણ પ્રકારની ઓફલાઇન અરજી અથવા દસ્તાવેજોની હાર્ડ કોપી સ્વીકારશે નહીં.

CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ શિષ્યવૃત્તિ માટે રજીસ્ટ્રેશન શરૂ, 10 ધોરણ પાસ વિદ્યાર્થીનીઓ કરી શકે છે અરજી
Scholarship 2023
| Edited By: | Updated on: Sep 21, 2023 | 8:26 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આપવામાં આવતી સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપની (Scholarship 2023) રાહ જોઈ રહેલી વિદ્યાર્થીનીઓ માટે સારા સમાચાર છે. સીબીએસઈએ સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટેની અરજી સંબંધિત સૂચના બહાર પાડી છે. આ શિષ્યવૃત્તિમાં રસ ધરાવતી વિદ્યાર્થીનીઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને અરજી કરી શકે છે. સત્તાવાર વેબસાઇટ પર નોંધણીની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર છે.

CBSE Scholarship ના લાભો

જાહેર કરાયેલ સૂચનાના આધારે વિદ્યાર્થીનીઓ 18 ઓક્ટોબર 2023 સુધી શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. નિયત તારીખ પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં. વિદ્યાર્થીનીઓએ અહીં નોંધવું પડશે કે બોર્ડ કોઈપણ પ્રકારની ઓફલાઇન અરજી અથવા દસ્તાવેજોની હાર્ડ કોપી સ્વીકારશે નહીં. પસંદ કરાયેલા વિદ્યાર્થીનીઓને દર મહિને રૂ. 500 અને દર વર્ષે રૂ. 6000 મળે છે. આ રીતે બે વર્ષમાં 12,000 રૂપિયા મળશે.

આ રીતે કરો અરજી

નામ પરથી જ જાણી શકાય છે કે તે ફક્ત તે જ વિદ્યાર્થીનીઓ માટે છે જે તેના માતા-પિતાના એકમાત્ર સંતાન છે. આ શિષ્યવૃત્તિ માટે ફક્ત તે જ ઉમેદવારોએ અરજી કરવી જોઈએ જેમણે CBSEમાંથી 10મું ધોરણ પાસ કર્યું છે. ધોરણ 10માં 60 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ. તે વિદ્યાર્થીનીઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે.

શિષ્યવૃત્તિનો હેતુ

CBSEએ આ સ્કીમ થોડા વર્ષો પહેલા જ શરૂ કરી હતી. આ યોજના લાગુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યાઓને પ્રોત્સાહન આપવાનો છે. શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીનીઓના ખાતામાં મોકલવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો વધુ લાભ મેળવવા માંગતા હોય તો તેઓ આવતા વર્ષે પણ અરજી કરી શકે છે.

આ પણ વાંચો : નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 અને 11 માં પ્રવેશ માટેની અરજી શરૂ, આ તારીખ સુધી કરી શકાશે અરજી

આ યોજના હેઠળ બોર્ડ કન્યા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપે છે. CBSE એ તેની જાહેર કરેલી સૂચનામાં સ્પષ્ટ કર્યું છે કે, વર્ષ 2023 માટે શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની સાથે વર્ષ 2022 માટે શિષ્યવૃત્તિને રિન્યૂ પણ કરી શકે છે.

શિક્ષણના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો