
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દરેક પરીક્ષામાં એકાઉન્ટન્સી પરીક્ષાની આન્સરશીટમાં પ્રિન્ટેડ ટેબલ આપતું હતું, પરંતુ હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટેબલ ઉપલબ્ધ કરવામાં આવશે નહીં. આ નિયમ આ વર્ષથી જ લાગુ થશે. એટલે કે હવે વિદ્યાર્થીઓને અન્ય વિષયોની જેમ આન્સરશીટ આપવામાં આવશે.
આ પણ વાંચો : CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ શિષ્યવૃત્તિ માટે રજીસ્ટ્રેશન શરૂ, 10 ધોરણ પાસ વિદ્યાર્થીનીઓ કરી શકે છે અરજી
જેમાં કોઈપણ પ્રકારનું ટેબલ બનાવવામાં આવશે નહીં. આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને આ વાત ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને આ વર્ષની ધોરણ 12ની કોમર્સની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી ધોરણ 12માની એકાઉન્ટન્સી પરીક્ષામાં આપવામાં આવતી આન્સર સીટ પણ અન્ય વિષયોની આન્સર સીટ જેવી જ હશે. વિદ્યાર્થીઓને નિયમો અનુસાર પરીક્ષામાં બેસવાની સલાહ આપવામાં આવે છે.
ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ www.cbse.gov.in પર ચેક કરી શકે છે. જો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 2024માં યોજાનારી બોર્ડની પરીક્ષાની ડેટશીટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી. અને નોટિફિકેશન ચેક કરતા રહેવું.
CBSE બોર્ડે હાલમાં જ ધોરણ 9 અને ધોરણ 11મા માટે રજીસ્ટ્રેશન ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખને લંબાવી છે. આનો અર્થ એ થયો કે હવે શાળાના હેડ્સ 25 ઓક્ટોબર, 2023 સુધી લેટ ફી વિના આ ડેટા સબમિટ કરી શકશે. શાળાઓને લેટ ફી ટાળવા માટે સમયસર બોર્ડ સાથે માહિતી શેર કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ પછી બીજો મોકો આપવામાં આવશે નહીં.