
નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ-6માં પ્રવેશ માટે અરજી ફોર્મ બહાર પાડ્યું છે. ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, NVS વર્ગ-6 પ્રવેશ ફોર્મ 2023 ઓફિશિયલ વેબસાઇટ cbseitms.rcil.gov.in/nvs અને navodaya.gov.in પર ઑનલાઇન મોડમાં ઉપલબ્ધ છે. ધોરણ-6માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન અને અપ્લાય કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2023 છે. NVS દ્વારા એપ્લિકેશન સુધારણા વિન્ડો પણ ટૂંક સમયમાં ખોલવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારના ફેરફારો કરી શકાય.
પ્રવેશ માટેની પરીક્ષા 29 એપ્રિલ, 2023ના રોજ લેવામાં આવશે. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે પરિણામ જૂન 2023માં જાહેર કરવામાં આવશે. NVS Class 6માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ navodaya.gov.in પર જવું પડશે. આ દરમિયાન, માંગવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
જવાહર નવોદય વિદ્યાલય એ દરેક જિલ્લામાં હાજર રહેણાંક કો-એડ શાળાઓ છે. અહીં શિક્ષણ, બોર્ડ અને રહેવાની સુવિધાઓ મફત છે. છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ હોસ્ટેલ પણ છે. JNV શાળાઓમાં ધોરણ 8 સુધી બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવામાં આવે છે. આ પછી ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં અને સામાજિક વિજ્ઞાન હિન્દીમાં ભણાવવામાં આવે છે.
શાળાઓમાં શિક્ષણ, રહેવાનો ખર્ચ, ગણવેશ અને પાઠ્યપુસ્તકો સહિતની ઘણી સુવિધાઓ મફત છે પરંતુ 9માંથી 12માં ધોરણના વિદ્યાર્થીઓ પાસેથી દર મહિને સ્કૂલ ડેવલપમેન્ટ ફંડ માટે 600 રૂપિયા લેવામાં આવે છે.