મરઘાં ઉછેર અંગે ઉત્સાહિત ખેડુતોને હવે નવી ખેતી મળી છે. ખેડુત હવે મરઘાંની ખેતીને બદલે બટેર પાલન ફાર્મિંગમાં (Bater Farming)
નસીબ અજમાવી રહ્યા છે. આ જાપાની બટેરને 70 ના દાયકામાં અમેરિકાથી ભારત લાવવામાં આવી હતી. કોરોના સમયગાળા દરમિયાન જ્યાં લોકો તમામ પ્રકારના માંસાહારી ખોરાકને ટાળતા હતા. તેઓ કોરોના સમય દરમિયાન બટેરને ખાતા હતા.
ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ ફાર્મિંગ તરફ ખેડુતોનો ટ્રેન્ડ વધવા માંડ્યો છે. ખેડુતો તેમની મહેનત પ્રમાણે સારી કમાણી કરી રહ્યા છે.
કેટલી થાય છે કમાણી
એક દિવસના બચ્ચાંની કિંમત 6 રૂપિયા હોય છે. એક અઠવાડીયાના બચ્ચા ખેડૂતો 15 રૂપિયાથી 19 રૂપિયામાં ખરીદે છે. આ 45 દિવસ બાદ 300 ગ્રામ થઇ જાય છે ત્યારે તેને ઓછામાં ઓછા 45 રૂપિયામાં વેચે છે.
ખેડુતો સરળતાથી તેમના પોતાના મકાનોમાં 200 બટેરનો ઉછેર કરી સારી કમાણી કરી શકે છે. કોરોના સમયગાળામાં જ્યાં લોકો તમામ પ્રકારના માંસાહારી ખોરાકને ટાળતા હતા. પરંતુ કોરોનાકાળ બાદ તેનો ઉપયોગ વધી ગયો છે. બટેરથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેને ખાવાથી શરીરમાં ગરમી વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તેથી તે કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારશે.
બટેર ફાર્મ સંબંધિત અગત્યની માહિતી
ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રિય કૃષિ વિશ્વ વિદ્યાલયના પક્ષી વૈજ્ઞાનિક પ્રમોદ કુમારે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બટેરની ઉછેર અને તાલીમ લઈને ખેડુતો સારી આવક મેળવી શકે છે. બટેર ફાર્મિંગ માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જેના પર ખેડુતોએ ધ્યાન આપવાની જરૂર છે.
પોષણની દ્રષ્ટિએ બટેરનું 55 ગ્રામ વજન હોય છે, જ્યારે બટેરના ઇંડાનું વજન 30 ગ્રામ હોય છે. બટેર 10 ભાગોના રૂપમાં ઇંડા મૂકે છે. તો મરઘી ફક્ત 3 ભાગમાં જ હોય છે. બટેરના ઇંડામાં ફોસ્ફરસ અને આયર્ન હોય છે અને લોકો તેની શક્તિના ગુણધર્મોને કારણે તેને વધુ પસંદ કરે છે. જંગલી મરઘીને મારવા પર હજી કાનૂની પ્રતિબંધ છે.
જાપાનની જાતિના બ્રીડ માટે સુપ્રીમ કોર્ટ તરફથી મંજૂરી આપવામાં આવી છે, હાલમાં બિહારના વૈશાલી જિલ્લામાં સો ખેડુતો તેની ખેતી કરી રહ્યા છે. એક બટેરના બચ્ચાને પુખ્ત થતા 6 થી 7 અઠવાડિયા લાગે છે. આ સાથે જ ઈંડા આપવાનું શરૂ કરી દે છે. એક વર્ષમાં બટેર 280 થી 290 ઈંડા આપે છે.
બટેરના ઇંડાની વિશેષતા એ છે કે તેમને ચોક્કસ તાપમાને રાખતા 17 દિવસની પ્રક્રિયા પછી બચ્ચાઓ બહાર આવે છે. જે સરળતાથી બીજા ખેડુતને ઉછેર માટે આપવામાં આવે છે. એક બટેર 5 અઠવાડિયામાં 300 ગ્રામ આસપાસનું થઇ જાય છે અને તે બજારમાં વેચવા યોગ્ય બને છે. તેની કિંમત 45 રૂપિયાથી 60 રૂપિયા સુધીની હોય છે.
આ પણ વાંચો : PMFBY: પાક વીમા યોજનામાં થયો મોટો ફેરફાર, ખેડુતોને સીધો ફાયદો મળશે, જાણો શું છે સમગ્ર વિગત