હવે ખેડૂતો ફળો અને શાકભાજીની ખેતી છોડીને ફૂલોની ખેતી કરી શકે છે. ખેડૂતો માટે ફૂલોની ખેતી વધુ નફાકારક છે. સૂર્યમુખીની ખેતી કરીને ખેડૂતો સારો નફો મેળવી શકે છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તમિલનાડુ અને બિહારમાં તેની મોટા પાયે ખેતી કરવામાં આવે છે. મહત્વનુ છે કે ગુજરાતના ખેડૂતો પણ આ પ્રકારની ખેતી કરી શકે છે.
ફૂલની ખેતી માટે અનેક એવી બાબતો છે જેને ધ્યાન રાખવી જરૂરી છે. સૂર્યમુખીની ખેતી માટે માત્ર સુધારેલી જાતોના બીજ પસંદ કરવા જોઈએ, જેથી વધુ બીજ અને તેલનું ઉત્પાદન કરી શકાય. આંતરરાષ્ટ્રીય સ્તરે, સૂર્યમુખીની જાતોને સંયુક્ત અને સંકરના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. સૂર્યમુખી 100 થી 120 દિવસમાં તૈયાર થઈ જાય છે.
આ પણ વાંચો : ખેડૂતોએ જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
સૂર્યમુખીની ખેતી તેલ માટે કરવામાં આવે છે, પરંતુ ઘણી કંપનીઓ તેમાંથી બ્યુટી પ્રોડક્ટ્સ પણ બનાવે છે. તેનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે પણ થાય છે. તેની સુધારેલી ખેતી ખેડૂતોને લાભ આપી શકે છે કારણ કે તેની માગ દર વર્ષે સતત રહે છે. આવી સ્થિતિમાં ખેડૂતો સૂર્યમુખીની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે.