આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાને ભારત તરફથી મળી મદદ, પાડોશી ધર્મ નિભાવતા દેશે આપ્યું 44000 ટન યુરિયા

|

Jul 12, 2022 | 9:25 AM

શ્રીલંકા(Srilanka)એ ઓર્ગેનિક ફાર્મિંગના નામે રાસાયણિક ખાતરોના ઉપયોગને રોકવા માટે આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પગલાને તેના આર્થિક પતન માટે પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.

આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાને ભારત તરફથી મળી મદદ, પાડોશી ધર્મ નિભાવતા દેશે આપ્યું 44000 ટન યુરિયા
Sri Lanka economic crisis
Image Credit source: Twitter, Mansukh Mandaviya

Follow us on

શ્રીલંકાની ખરાબ પરિસ્થિતિમાં ભારતે પાડોશી દેશ તરીકેની ફરજ નિભાવીને તેને મદદ મોકલી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયા(Urea)ની અછતના અહેવાલો વચ્ચે, ભારતે લાઇન ઓફ ક્રેડિટ હેઠળ 44000 ક્વિન્ટલ યુરિયા ખાતર શ્રીલંકા(Srilanka)ને મોકલ્યું છે, જે કોલંબો પહોંચી ગયું છે. યુરિયા ત્યાં સરકારને સોંપવામાં આવ્યું છે. ભારત દ્વારા શ્રીલંકાને આપવામાં આવેલ યુરિયા વર્તમાન અને આગામી પાકની સીઝનમાં ખેતી કરવામાં મદદ કરશે. તેનાથી ઉત્પાદન વધશે, જે દેશને ખરાબ તબક્કામાંથી બહાર આવવામાં મદદ કરશે. જો ખેડૂતો સારી રીતે ખેતી કરી શકશે તો ઉપજ વધુ મળશે.

આપને જણાવી દઈએ કે શ્રીલંકાએ ઓર્ગેનિક ફાર્મિંગના નામે રાસાયણિક ખાતરોના ઉપયોગને રોકવા માટે આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પગલાને તેના આર્થિક પતન માટે પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. રાજ્ય અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ કહ્યું કે ભારત મુશ્કેલ સમયમાં શ્રીલંકાના લોકોની મદદ કરીને સાચો મિત્ર સાબિત થઈ રહ્યું છે. એક ટ્વીટમાં તેમણે માહિતી આપી છે કે શ્રીલંકાને સંકટમાંથી ઉગારવા માટે ભારતે લાઇન ઓફ ક્રેડિટ હેઠળ શ્રીલંકાને 44000 ટન યુરિયા આપ્યું છે.

શ્રીલંકા અત્યારે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ત્યાંનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ખતમ થઈ ગયો છે અને ખાદ્ય કટોકટી ઊભી થઈ છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ત્યાંના લોકો વિરોધ કરતા રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અહીં અછત હોવા છતાં મદદ મોકલી

અહીં જો ભારતની વાત કરીએ તો દેશમાં પણ ખાતરની સ્થિતિ સારી નથી. ખેડૂતો ખેતી માટે ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ ભારતે શ્રીલંકાને યુરિયાની મદદ કરીને સાચા મિત્ર અને સારા પાડોશી તરીકે દાખલો બેસાડ્યો છે. દેશમાં ખાતરની તાજેતરની અછતની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં રવિ પાકની જેમ ખરીફ સિઝનમાં પણ યુરિયા ડીએપી માટે સંઘર્ષ થાય છે. ઘણા રાજ્યોમાં સરહદી જિલ્લાના ખેડૂતો ખાતર ખરીદવા માટે અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. ખેડૂતો માટે એક થેલી યુરિયા અને એક થેલી ડીએપી મેળવવી મુશ્કેલ બની છે.

ખેડૂતોને ખાતર માટે સંઘર્ષ કરવો પડે છે

મધ્યપ્રદેશના ડિંડોલી જિલ્લામાં ખેડૂતોને ટોકન દ્વારા ખાતર આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોને અંકુશમાં લેવા પોલીસનો સહારો લેવો પડે છે. આવા સમયે પણ ભારતે શ્રીલંકાને મદદ મોકલી છે. શ્રીલંકામાં ઓર્ગેનિક ફાર્મિંગના નામે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે ત્યાં ખેતી બરબાદ થઈ ગઈ. આનો માર ત્યાંના લોકોને ભોગવવો પડે છે. ખેડૂતોને ખાતર માટે સંઘર્ષ કરવો પડે છે. કૃષિ પેદાશો એટલી મોંઘી થઈ ગઈ છે કે લોકો તેને ખરીદી શકતા નથી.

Next Article