PM Kisan Yojna : લાભાર્થીઓ માટે સારા સમાચાર, સસ્તા દરે મળશે કૃષિ લોન, આ રીતે કરો અરજી

|

Aug 16, 2021 | 2:27 PM

કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે બેન્કો દ્વારા લોન આપવામાં આવે છે. ખેડૂતોને પાકની વાવણી પહેલા ઓછા વ્યાજ પર આ લોન મળે છે.

PM Kisan Yojna : લાભાર્થીઓ માટે સારા સમાચાર, સસ્તા દરે મળશે કૃષિ લોન, આ રીતે કરો અરજી
Farmers

Follow us on

દેશના ખેડૂતોને આર્થિક રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. દેશના કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. તાજેતરમાં, નવમાં હપ્તાની રકમ યોજના હેઠળ દેશના ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે, પીએમ કિસાન યોજના હેઠળ સરકાર તેના લાભાર્થીઓને પોષણક્ષમ દરે લોન પણ આપે છે.

નોંધનીય છે કે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ, પીએમ કિસાન સમ્માન યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બંને જોડાયેલી છે. આ કિસાન ક્રેડિટ કાર્ડથી સરકાર ખેડૂતોને સસ્તા દરે લોન આપી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ આનો લાભ લઈ શકે છે.

ઓછા વ્યાજ દરે મળે છે લોન
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે બેન્કો દ્વારા લોન આપવામાં આવે છે. ખેડૂતોને પાકની વાવણી પહેલા ઓછા વ્યાજ પર આ લોન મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ સિવાય ખેડૂતોને ચાર ટકાના વ્યાજ પર ટૂંકા ગાળા માટે પાંચ અને ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ લોનની રકમ પર સરકાર દ્વારા બે ટકાની સબસિડી આપવામાં આવે છે. જો કે આ લોન ચાર ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે, પરંતુ જો તે સમયસર ચૂકવવામાં ન આવે તો ખેડૂતને ચાર ટકાના બદલે સાત ટકા વ્યાજ ચૂકવવું પડે છે.

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બનાવવું
કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારા દસ્તાવેજો લઈ નજીકની બેંકમાં જાઓ અને મેનેજરને મળો અને તમારા માટે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની માંગ કરો. જો ખેડૂતો કોઈ પણ ગ્રામીણ બેંકમાં જાય છે અને તેમના કિસાન ક્રેડિટ કાર્ડ બનાવે છે, તો તેમાં સરકાર દ્વારા પ્રોત્સાહનો આપવામાં આવે છે. જેનો લાભ માત્ર ખેડૂતોને મળશે.

પછી તમને બેંક મેનેજર વકીલ પાસે મોકલશે અને તમારી પાસેથી કેટલીક મહત્વની માહિતી લેશે. તે પછી તમે બેંકમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી ફોર્મ ભરશો. અરજી સબમિટ કર્યા પછી કેટલાક કાગળ હશે, જે પછી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવશે. પછી તમે આ કાર્ડથી લોન લઈ શકો છો. જોકે, લોનની રકમ અરજદાર પાસે કેટલી જમીન છે તેના પર નિર્ભર છે. કારણ કે જમીન પ્રમાણે જ લોન આપવામાં આવશે.

 

આ પણ વાંચો : Afghanistan Crisis : અરાજકતા વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ, મોતના આંકડામાં સતત વધારો

આ પણ વાંચો :એક એકરમાં આ વૃક્ષના 120 છોડનું વાવેતર કરો અને 12 વર્ષમાં કરોડપતિ બનો ! જાણો કેવી રીતે

Next Article