PM Kisan Yojana: 31 મે પહેલા કરી લો આ કામ, નહીંતર સન્માન નિધિનો નહીં આવે 11 મો હપ્તો

|

May 25, 2022 | 8:20 AM

PM Kisan Yojana Latest Update: આ યોજના દ્વારા કરોડો ખેડૂતો (Farmers)ના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ દર ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયા કરીને મોકલવામાં આવે છે.

PM Kisan Yojana: 31 મે પહેલા કરી લો આ કામ, નહીંતર સન્માન નિધિનો નહીં આવે 11 મો હપ્તો
Farmers
Image Credit source: File Photo

Follow us on

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana)ની ગણતરી કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાં થાય છે. આ યોજના દ્વારા કરોડો ખેડૂતો (Farmers) ના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ દર ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયા કરીને મોકલવામાં આવે છે. આપને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના (PM Kisan 11th Installment) ના પહેલા હપ્તાના પૈસા 1 એપ્રિલથી જુલાઈ વચ્ચે મોકલવામાં આવે છે. બીજો હપ્તો ઓગસ્ટ અને નવેમ્બર વચ્ચે આવે છે, જ્યારે ત્રીજો હપ્તો સરકાર દ્વારા ડિસેમ્બર અને માર્ચ વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે.

જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 10 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ખેડૂતો હવે 11મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, PM કિસાન યોજનાનો 11મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં મોકલી શકાય છે.

હપ્તા માટે E-KYC જરૂરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. ઇ-કેવાયસી ન કરાવવાના કિસ્સામાં, ખેડૂત બે હજાર રૂપિયાના હપ્તાથી વંચિત રહી શકે છે. ખેડૂતો બે રીતે ઈ-કેવાયસી કરાવી શકે છે. એક આધાર કાર્ડ અને OTP દ્વારા અને બીજું નજીકના CSC કેન્દ્ર પર બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા. તાજેતરમાં, સરકારે ઇ-કેવાયસી માટેની સમયમર્યાદા 31 મે, 2022 સુધી લંબાવી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ રીતે ઈ-કેવાયસી કરાવો

સૌ પ્રથમ PM કિસાન યોજના વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
હવે અહીં તમે ફાર્મર કોર્નર જોશો, જ્યાં EKYC ટેબ પર ક્લિક કરો.
હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે આધાર નંબર નાખવો પડશે અને સર્ચ ટેબ પર ક્લિક કરવું પડશે.
હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરના નંબર પર OTP મોકલવામાં આવશે.
સબમિટ OTP પર ક્લિક કરો. આધાર રજિસ્ટર્ડ મોબાઇલ OTP દાખલ કરો અને તમારું eKYC થઈ જશે.

જણાવી દઈએ કે 31મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મો હપ્તો રિલીઝ કરી શકે છે. પરંતુ તે પહેલા અનેક ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. હકીકતમાં આ યોજનાનો લાભ લેનાર અયોગ્ય ખેડૂતોના નાણાં પરત કરવા માટે કૃષિ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ આવી જ કાર્યવાહી ચાલી રહી છે. ખેડૂતોને નિયત સમયમાં મળેલી રકમ પરત કરવા જણાવાયું છે.

Next Article