11,040 કરોડ રૂપિયાનું ‘ઓઇલ પામ મિશન’ દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવશેઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર

|

Dec 28, 2021 | 4:34 PM

કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે સર્વાંગી પ્રયાસો કરી રહી છે. કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવું એ મોદી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

11,040 કરોડ રૂપિયાનું ઓઇલ પામ મિશન દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવશેઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર
National Mission on Edible Oils – Oil Palm

Follow us on

હૈદરાબાદમાં (Hyderabad) મંગળવારે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની (Narendra Singh Tomar) અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ખાદ્ય તેલ-ઓઈલ પામ મિશન (National Mission on Edible Oils – Oil Palm) બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે સર્વાંગી પ્રયાસો કરી રહી છે. કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવું એ મોદી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જેના કારણે વિશ્વમાં ભારતની તાકાત વધુ વધશે.

ઓઈલ પામ મિશન ખાદ્યતેલોની આયાત નિર્ભરતા ઘટાડશે અને દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવશે, જેના માટે કેન્દ્ર સરકાર દરેક પગલા પર રાજ્યોની સાથે ઉભી છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમરના જણાવ્યા અનુસાર દેશમાં કૃષિ ક્ષેત્રે જાગૃતિ ઘણી વધી રહી છે. જ્યારથી પીએમ મોદીએ (PM Narendra Modi) કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવી જોઈએ, ત્યારથી દરેક વ્યક્તિ, સરકાર, સંસ્થાઓ તેમા લાગેલી છે. રાજ્ય સરકારો તેમની સૌથી સફળ ભૂમિકા નિભાવી રહી છે.

10 હજાર FPO બનાવવાનું શરૂ કર્યું
કૃષિ મંત્રીએ કહ્યું કે આપણે અનાજમાં સરપ્લસ દેશ છીએ, બાકીની કૃષિ પેદાશોમાં પણ ભારત નંબર વન કે બીજા ક્રમે છે, તે આપણા ખેડૂતોની મહેનત, સરકારોની કૃષિલક્ષી નીતિઓ, વૈજ્ઞાનિકોનું સંશોધન અને વધતી જાગૃતિનું પરિણામ છે. દેશમાં 86 ટકા નાના ખેડૂતો છે, તેમની તાકાત વધારવા માટે 6,850 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 10 હજાર FPO શરૂ કરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ખેડૂતોને વાજબી ભાવ આપવા, તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા અને તમામ સુવિધાઓ સરળતાથી પૂરી પાડવા માટે એક લાખ કરોડ રૂપિયાના ભંડોળ સાથે કૃષિ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકાર ઈચ્છે છે કે ખેડૂતોની આવક વધવાની સાથે ખેતીનો ખર્ચ ઘટવો જોઈએ અને કૃષિ ઈનપુટ્સની આયાત કરવાને બદલે તે આત્મનિર્ભર બને.

અન્ય રાજ્યોમાં તેલ પામનું મોટું ઉત્પાદન
કેન્દ્રીય મંત્રી તોમરના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર રાજ્યોની સાથે અન્ય રાજ્યોમાં પણ પુષ્કળ તેલ પામનું ઉત્પાદન થઈ શકે છે, જેથી કોઈને આયાત પર નિર્ભર ન રહેવું પડે. આ યોજનાથી દેશમાં વધારાની સાડા છ લાખ હેક્ટર ઓઇલ પામ પ્લાન્ટેશન હેઠળ આવશે. ઓઇલ પામનો વિસ્તાર વર્ષ 2025-26 સુધીમાં 10 લાખ હેક્ટર અને 2029-30 સુધીમાં 16.71 લાખ હેક્ટર સુધી વધી જશે.

3.25 લાખ હેક્ટર ઓઇલ પામના વાવેતરનો લક્ષ્યાંક
ક્રૂડ પામ ઓઇલનું ઉત્પાદન 2025-26માં વધીને 11.20 લાખ ટન અને 2029-30માં 28.11 લાખ ટન થવાની ધારણા છે. હૈદરાબાદમાં યોજાનારી બીજી બિઝનેસ સમિટમાં ભારતના બાકીના રાજ્યોને આવરી લેવામાં આવશે કે જ્યાં ઓઇલ પામની ખેતીની નોંધપાત્ર સંભાવના છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ઓડિશા, ગોવા, ગુજરાત અને છત્તીસગઢ માટે 3.25 લાખ હેક્ટર ઓઇલ પામ પ્લાન્ટેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : Banana Farming : ખેડૂતોની મુશ્કેલી વધી, કેળાના ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો, શું ઓમિક્રોનની અસર છે ?

આ પણ વાંચો : Poplar Tree Farming: આ વૃક્ષની છે ખુબ જ ડિમાન્ડ, એક હેક્ટરમાં ખેતીથી થશે 7 લાખ સુધીની કમાણી !

Next Article