ખેડૂતોને શેરડીમાંથી વધુ કમાણી માટે જરૂરી છે સિલિકોન, વૈજ્ઞાનિકોએ આપી આ ખાસ સલાહ

|

Jan 04, 2022 | 7:07 AM

હવે શેરડીના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે કારણ કે રાહુરી કૃષિ યુનિવર્સિટી દ્વારા શેરડીનું ઉત્પાદન વધારવા માટે આપવામાં આવેલા સૂચનો હવે ખેડૂતોને ઉપયોગી થશે. પોષક સિલિકોનથી શેરડીના ઉત્પાદનમાં વધારો થવાની ધારણા છે.

ખેડૂતોને શેરડીમાંથી વધુ કમાણી માટે જરૂરી છે સિલિકોન, વૈજ્ઞાનિકોએ આપી આ ખાસ સલાહ
Sugarcane Farming (Symbolic Image)

Follow us on

શેરડીની ખેતી (Sugarcane Farming) કરતી વખતે ઉત્પાદન વધશે કે નહીં તેની ચિંતા ખેડૂતોમાં રહે છે. ઉત્પાદન વધારવા માટે ખેડૂતો અનેક વિકલ્પો અપનાવે છે કારણ કે ખેડૂતોની અર્થવ્યવસ્થા પાક પર નિર્ભર છે. યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા સૂચનો હવે ખેડૂતો (Farmers)ને ઉપયોગી થશે.

પોષક સિલિકોન (Silicon) શેરડીના ઉત્પાદનમાં (Sugarcane Production) વધારો કરે તેવી અપેક્ષા છે. સિલિકોન એક પોષક તત્ત્વ છે જે અન્ય પાકો કરતાં શેરડી માટે વધુ ઉપયોગી છે. આ અવશોષિત સિલિકોન છોડ સિલિકિક એસિડના રૂપે ભળી જાય છે. અને તેને પ્રવાહી સમૂહમાં શોષી લે છે અને તેને પાંદડાઓમાં સંગ્રહિત કરે છે. શેરડીના પાક વિશે વાત કરીએ તો, આ પાક વીઘાદીઠ લગભગ 110 કિલો સિલિકોન શોષી લે છે.

સિલિકોન શેરડીના ફાયદા

પાકની સારીથી વૃદ્ધિ માટે ઉપયોગી, છોડના પાંદડાની કોષ દિવાલ પર સિલિકા જેલના રૂપમાં સિલિકોન જમા થાય છે, આ પાંદડા પર જાડુ પડ બનાવે છે. જેથી તે જમીન પર પડવાની શક્યતા ઓછી છે. જેમ જેમ પાંદડા સીધા વધે છે તેમાં એકબીજાના પડછાયો પાંદડા પર પડતો નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ બધું પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં મદદ કરે છે અને પાકની ઊંચાઈ, શેરડીની જાડાઈ વધે છે અને પાક સારી રીતે ઉગે છે, એટલું જ નહીં, તેને સંગ્રહિત કરવા અને તેજ સ્વરૂપમાં રાખવા માટે સિલિકોનનો ઉપયોગ કરવામાં આવે છે.

જમીનની ફળદ્રુપતા

જમીન પાકની વૃદ્ધિ, પોષક તત્ત્વોનો પુરવઠો, હવા અને પાણીનું યોગ્ય સંતુલન પ્રદાન કરે છે. સિલિકોન ખાતરોનો પુરવઠો જમીનના સ્વાસ્થ્ય પર સાનુકૂળ અસર કરે છે. જમીન હ્યુમસથી સમૃદ્ધ બને છે અને મૂળના વિકાસમાં મદદ કરે છે. શેરડીની પાણી રાખવાની ક્ષમતામાં વધારો કરે છે હવા અને પાણીનું યોગ્ય સંતુલન જાળવવામાં મદદ કરે છે.

બેક્ટેરિયાના કાર્યને સરળ બનાવે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે કે માટી અને કાર્બનિક કાર્બનનું સ્તર વધી રહ્યું છે. તે ઊંચા તાપમાને જમીનમાંથી બાષ્પીભવન ઘટાડવામાં પણ મદદ કરે છે.

હકીકતમાં સિલિકોનથી શું થાય છે

સિલિકોનના આ બધા ઉપયોગોને કારણે, પરંપરાગત તેમજ છોડના અવશેષો અને રાસાયણિક ઘટકોનો ઉપયોગ સિલિકોન સપ્લાય કરવા માટે થાય છે. રાસાયણિક સ્ત્રોતોમાં કેલ્શિયમ સિલિકેટ અને મેગ્નેશિયમ સિલિકેટનો સમાવેશ થાય છે.

મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાલય, રાહુરી કૃષિ વિદ્યાલય દ્વારા ભલામણ મુજબ, મધ્યમ કાળી જમીનમાં શેરડીનું વાવેતર અને શેરડીના ઉત્પાદનમાં વધારો કરવા માટે, વાવેતર સમયે કેલ્શિયમ સિલિકેટ વીઘાદીઠ લગભગ 132 કિલો એકવાર આપી શકાય છે.

આ પણ વાંચો: Viral Video: દારૂ પી ટલ્લી થઈ વાંદરાએ જબરા ખેલ કર્યા, લોકો બોલ્યા દમ મારો દમ મુમેન્ટ

આ પણ વાંચો: TV Buying Tips: જો તમે સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 8 વાતનું રાખો ખાસ ધ્યાન

Published On - 11:24 am, Mon, 3 January 22

Next Article