ઓછા પાણી અને ઓછા ખર્ચે સારી ઉપજ આપશે આ પાક, ગરમ પ્રદેશમાં પણ થઈ શકે છે અળસીની ખેતી

અળસીની માગ હંમેશા બજારમાં રહે છે. આવી સ્થિતિમાં ખેડૂતો તેની ખેતીથી સારો નફો કમાઈ રહ્યા છે. અળસીની ખેતીની બીજી ખાસ વાત એ છે કે તેને ઓછા પાણીમાં સરળતાથી ઉગાડી શકાય છે.

ઓછા પાણી અને ઓછા ખર્ચે સારી ઉપજ આપશે આ પાક, ગરમ પ્રદેશમાં પણ થઈ શકે છે અળસીની ખેતી
linseed Farming
| Edited By: | Updated on: Apr 05, 2023 | 4:46 PM

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જેનો ઉપયોગ કેન્સર જેવી જીવલેણ બીમારીઓને પણ કાબૂમાં રાખવામાં આવે છે. આ સાથે અળસી પાચનમાં, બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં, પેટ સંબંધિત સમસ્યાઓ, કબજિયાત વગેરેમાં મદદ કરે છે. તેનો ઉપયોગ ખૂબ આરોગ્યપ્રદ છે, તેથી તેની માગ હંમેશા બજારમાં રહે છે. આવી સ્થિતિમાં ખેડૂતો તેની ખેતીથી સારો નફો કમાઈ રહ્યા છે. અળસીની ખેતીની બીજી ખાસ વાત એ છે કે તેને ઓછા પાણીમાં સરળતાથી ઉગાડી શકાય છે.

આ પણ વાંચો: Breaking News : ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર, નડાબેટ નજીકની આંતરાષ્ટ્રીય સીમા ઓળંગવાનો કરતો હતો પ્રયત્ન

એક મીડિયા અહેવાલમાં ખેડૂતના જણાવ્યા મુજબ રાજસ્થાનના ઝાલાવાડમાં અળસીની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. ત્યાં માટે આ એક નવી ખેતી છે, જેના માટે બજારમાં તેની કિંમત પણ ઘણી સારી મળી રહી છે. હવે ઝાલાવાડના યુવાનો પણ અળસીની ખેતીમાં રસ દાખવી રહ્યા છે.

ઓછા પાણીમાં થાય છે ખેતી

એક ખેડૂતના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 2 વર્ષથી અળસીની ખેતી કરે છે, તેઓ કહે છે કે અળસીની ખેતી માટે વધારે પાણીની જરૂર પડતી નથી. તેણે પોતાના અળસીના પાકને માત્ર એક જ વાર સિંચાઈ કરી છે અને પછી જ્યારે વરસાદ પડ્યો, ત્યાર બાદ સિંચાઈની કોઈ જરૂર પડી નથી.

ઓછા ખર્ચે સારું ઉત્પાદન

ખેડૂત કહે છે કે અળસીના પાકમાં નીંદણની જરૂર નથી, સાથે સાથે નિંદણ પણ બહુ ઓછું ઉગે છે, કારણ કે આ પહેલા ઘઉંના પાકમાં નીંદણ નિયંત્રણ માટે જે દવાનો ઉપયોગ થતો હતો તે જ દવા અળસીના પાકમાં વપરાતી હતી. યુવાન ખેડૂતો કહે છે કે જ્યારે છોડ મોટો થાય છે, ત્યારે તેઓ તેમાં યુરિયાનો છંટકાવ કરે છે અને પછી તેને માત્ર એક જ વાર સિંચાઈ કરે છે.

અળસીની ઉત્પાદન ક્ષમતા

ખેડૂતનું કહેવું છે કે આ અળસીનો પાક માત્ર 95 દિવસમાં પાક્યા પછી તૈયાર થઈ જાય છે. આ સાથે તેમની એક વીઘા જમીનમાંથી 4 ક્વિન્ટલ ઉત્પાદન મેળવ્યું છે. આ ઉપરાંત ગયા વર્ષે અળસી રૂ.6000 પ્રતિ ક્વિન્ટલ મળતી હતી, જોકે આ વખતે ભાવ થોડો ઓછો છે. તેમનું કહેવું છે કે ભારે દાંડીને કારણે પાકને વરસાદ, કરા અને વાવાઝોડાથી વધુ નુકસાન સહન કરવું પડતું નથી. ત્યારે તેઓ અન્ય યુવા ખેડૂતોને સલાહ આપે છે કે ઓછા પાણીમાં અને ઓછા ખર્ચમાં અળસીની ખેતી કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતો વધુ નફો મેળવી શકે છે.