Kusum Yojana: સરકાર હવે સિંચાઈ માટે પણ આપશે પૈસા, ડીઝલનો ખર્ચ અને વીજળીના બિલની થશે બચત

કેન્દ્ર સરકાર (Central Government) હંમેશા ખેડૂતોની મદદ માટે તત્પર હોય છે. ગરીબ અને સીમંત ખેડૂતો (Farmers) માટે અનેક યોજના ચલાવી રહી છે. કૃષિ ક્ષેત્રે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને ખેતી (Farming) કરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ઘણીવાર ખેડૂતોને ખેતરમાં પાકને પિયત કરવામાં […]

Kusum Yojana:  સરકાર હવે સિંચાઈ માટે પણ આપશે પૈસા, ડીઝલનો ખર્ચ  અને વીજળીના બિલની થશે બચત
Kusum Yojana (File photo)
| Edited By: | Updated on: Dec 22, 2021 | 7:34 AM

કેન્દ્ર સરકાર (Central Government) હંમેશા ખેડૂતોની મદદ માટે તત્પર હોય છે. ગરીબ અને સીમંત ખેડૂતો (Farmers) માટે અનેક યોજના ચલાવી રહી છે. કૃષિ ક્ષેત્રે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને ખેતી (Farming) કરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ઘણીવાર ખેડૂતોને ખેતરમાં પાકને પિયત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે, કારણ કે ક્યારેક વધુ વરસાદને કારણે પાક બગડી જાય છે, તો ક્યારેક ઓછા વરસાદને કારણે પાક સુકાઈ જાય છે.

ખેડૂતોની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ‘કુસુમ યોજના’ (Kusum Yojana)ની શરૂઆત કરી છે. આ યોજનાની મદદથી ખેડૂતો તેમની જમીન પર સોલાર પેનલ લગાવીને ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ માટે કરી શકે છે.

કુસુમ યોજનાના લાભો (Benefits of Kusum Yojana)
આ યોજના હેઠળ ખેડૂત પોતાની જમીનમાં સૌર ઉર્જાનાં સાધનો અને સોલાર પંપ લગાવીને ખેતરમાં સરળતાથી સિંચાઈ કરી શકે છે. ‘પ્રધાનમંત્રી-કુસુમ યોજના’ દ્વારા કેન્દ્ર સરકાર પહેલાથી જ ખેડૂતોના ડીઝલ પંપને સોલર પંપમાં રૂપાંતરિત કરવા અને નવા સોલર પંપ સ્થાપિત કરવા પર કામ કરી રહી છે.

હવે સરકાર એગ્રીકલ્ચર ફીડરનું સોલારાઇઝેશન (Solarization of Agricultural Feeders) કરવા જઈ રહી છે. જેની મદદથી વીજળીની બચત સાથે ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પૂરતી વીજળી પણ મળશે.

આ અંગે માહિતી આપતા રિન્યુએબલ એનર્જી મંત્રાલયના સંયુક્ત સચિવ અમિતેશ કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે આનાથી માત્ર ખેડૂતોને જ ફાયદો થશે નહીં, અને તેની સાથે રાજ્ય સરકારોની સબસિડીના નાણાંની પણ બચત થશે.

કુસુમ યોજનામાંથી કમાણી કેવી રીતે કરવી
આ યોજનાની મદદથી ખેડૂતો તેમની જમીન પર સોલાર પેનલ લગાવી શકશે. તેમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ખેતીમાં ઉપયોગ કરવાની સાથે ખેડૂતોની જમીન પર ઉત્પન્ન થતી વીજળી તેનાથી દેશના ગામડાઓમાં પણ 24 કલાક વીજળીનો પુરવઠો શક્ય બની શકશે. આ ઉપરાંત ખેડૂતો વધારાની વીજળી ઉત્પન્ન કરીને તેને ગ્રીડમાં મોકલીને તેને કમાણીનું માધ્યમ પણ બનાવી શકે છે.

કુસુમ યોજના 90 ટકા ખર્ચ સરકાર અને બેન્ક ઉઠાવશે
આ સ્કીમ દ્વારા સોલાર પ્લાન્ટ લગાવવા માટે તમારે માત્ર 10 ટકા પૈસા ચૂકવવા પડશે. બાકીનો 90 ટકા ખર્ચ સરકાર અને બેંક બંને ઉઠાવશે.

આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી પર સોલાર પેનલ આપવામાં આવે છે. આમાં રાજ્ય સરકારો સોલાર પેનલ પર 60 ટકા સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. તો તે જ સમયે બેંક દ્વારા 30 ટકા સબસિડી આપવામાં આવે છે.

આ પણ વાંચો : Omicron Variant : ઓમિક્રોનના કારણે યુરોપમાં આવશે વાયરસનું ‘તોફાન’, WHOએ ચેતવણી આપી કહ્યું કે, વેરિઅન્ટના ફેલાય નહીં તે માટે પગલા લો

આ પણ વાંચો : Israel Omicron Death: ઓમિક્રોનની ઝપેટમાં આવ્યું ઇઝરાયલ, નવા વેરિઅન્ટથી 60 વર્ષીય વ્યક્તિએ દમ તોડયો