સરકારી યોજના : સરકારની ‘આત્મા’ યોજના ખેડૂતોને આધુનિક ખેતી કરવા કરી રહી છે મદદ, જાણો સમગ્ર અરજી પ્રક્રિયા

'ATMA' યોજના ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક યોજના છે. જેની મદદથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો એકબીજાના સામસામે આવે છે. કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓમાં તાલીમ આપે છે. કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે ભારતમાં વિસ્તાર દીઠ ઉપજ ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં આધુનિક ખેતી અપનાવીને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકાય છે. જેના માટે આત્મા યોજના ખૂબ મહત્વની બની રહેશે.

સરકારી યોજના : સરકારની આત્મા યોજના ખેડૂતોને આધુનિક ખેતી કરવા કરી રહી છે મદદ, જાણો સમગ્ર અરજી પ્રક્રિયા
| Updated on: Oct 30, 2023 | 10:53 PM

સરકાર કોઈપણ યોજના શરૂ કરે તો તેની પાછળ દેશના લોકોનું વિશાળ હિત સમાયેલુ હોય છે. જેથી આ યોજના દ્વારા તેના હેઠળ આવરી લેવામાં આવતા તમામ લોકોને મદદ કરી શકાય અને તેમને મજબૂત કરી શકાય. તેને ધ્યાનમાં રાખીને સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે.

જો ખેડૂતોની વાત કરીએ તો સરકાર તેમની આવક વધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે લગભગ 45 યોજનાઓ ચલાવી રહી છે. આમાંની એક યોજના કિસાન આત્મા યોજના છે. ચાલો જાણીએ કે આ યોજના શું છે અને ભારતીય ખેડૂતો આ યોજના હેઠળ કેવી રીતે લાભ મેળવી શકે છે.

શું છે ‘આત્મા’ યોજના?

કિસાન આત્મા યોજનાનું પૂરું નામ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી છે. આ યોજના વર્ષ 2005-06માં શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ATMA’ યોજના દેશના ખેડૂતો માટે બનાવવામાં આવી છે. જેમાં જે ખેડૂતો આધુનિક ખેતીના ફાયદાઓથી પરિચિત નથી એટલે કે આ યોજના દ્વારા ખેડૂતોને આધુનિક ખેતીનો પરિચય કરાવવામાં આવે છે. આના દ્વારા ખેડૂતો આધુનિક ખેતી વિશે જાણી શકશે.

આ યોજના ખેડૂતોને ઘણા પ્રકારની મદદ પૂરી પાડે છે. જેમ કે ખેડૂતોને ખેતી કેવી રીતે કરવી તેની માહિતી મળે જેથી તેમની આવક વધે. આધુનિક ખેતી એ માત્ર સમયની જરૂરિયાત નથી પરંતુ આર્થિક દૃષ્ટિકોણથી પણ જરૂરી છે. આધુનિક ખેતી ખેડૂતોની આવક વધારવામાં મદદ કરે છે.

શું છે ‘આત્મા’ યોજનાનો ઉદ્દેશ ?

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના પાયે ખેતી કરતા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અને તેમની આવક બમણી કરવાનો છે. ‘ATMA’ યોજનાની મદદથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો એકબીજાના સામસામે આવે છે. કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓમાં તાલીમ આપે છે. કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે ભારતમાં વિસ્તાર દીઠ ઉપજ ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં આધુનિક ખેતી અપનાવીને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકાય છે. આ માટે ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવા જરૂરી છે. આત્મા યોજના આમાં મદદ કરે છે.

‘આત્મા’ યોજનાના લાભો

  • ‘આત્મા’ યોજનાની મદદથી ખેડૂતોને સમયાંતરે આધુનિક ખેતીની તાલીમ આપવામાં આવે છે.
  • આધુનિક ખેતી અપનાવીને ખેડૂતો તેમની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
  • ખેડૂતોને આ યોજનાનો લાભ લાંબા સમય સુધી મળે છે.
  • આ યોજનામાં જોડાવાથી ખેડૂતો ખેતીમાં સફળતા મેળવી શકે છે.
  • આ યોજનાની મદદથી ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી વિશે માહિતી મળે છે.

આ પણ વાંચો : Govt Scheme : સરકારની આ યોજના દરેક લોકો માટે આશીર્વાદ સમાન, આ રીતે કરી શકો છો અરજી

આત્મા યોજના માટે અરજી પ્રક્રિયા

આ યોજના હેઠળ ગ્રામ્ય સ્તરે ખેડૂતરસ જુથ ની રચના કરવામાં આવે છે. આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર મારફત રજીસ્ટ્રેશન થયા બાદ આ રજિસ્ટર્ડ ખેડૂત ગ્રૂપના સભ્યો મારફતે જ યોજનાકીય પ્રવુતિઓ હાથ ધરવાની હોય છે. એક ગ્રૂપમાં 11 થી 25 ખેડૂતો હોય છે. ગ્રૂપ દીઠ રૂપિયા 250 નોંધણી ફી હોય છે. દરેક સભ્ય દીઠ રૂપિયા 10 ફી લઈને નોંધણી કરી શકાય છે.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો