Rice Price: કેન્દ્ર સરકાર ઘઉંના ભાવને અંકુશમાં લેવા માટે સતત પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે ભાવ નિયંત્રણમાં રાખવા માટે ઘઉંની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ટૂંક સમયમાં ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો થશે. આગામી દિવસોમાં ચોખાની અછત પણ સર્જાઈ શકે છે. કેન્દ્ર સરકારે આ અંગે તમામ રાજ્ય સરકારોને સૂચનાઓ આપી છે.
કેન્દ્ર સરકારે ચોખાની ખરીદીને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તમામ રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કે રાજ્ય સરકારો ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) પાસેથી 3400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ચોખા ખરીદી શકે છે. રાજ્યોને 34 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા મળશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યમાં ગરીબોના વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓના સંચાલન માટે FCI પાસેથી સમાન દરે ચોખા ખરીદી શકાય છે.
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા 2023માં ચોખાની ખરીદી માટે જાહેર કરવામાં આવી છે. જેમાં ચોખાની વિવિધ જાતોના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આ દર પ્રમાણે FCI રાજ્ય સરકારોને ચોખાનું વેચાણ કરશે. પરંતુ કયા રાજ્યને ક્યારે અને કેટલા ચોખા આપવામાં આવશે તે હજુ નક્કી થયું નથી. એફસીઆઈને આ માટે સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે, એટલે કે એફસીઆઈ કોઈપણ રાજ્યને વહેચી શકે છે.
સામાન્ય રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર પારદર્શિતા માટે હરાજીથી માલની ખરીદી કરે છે. પરંતુ માલની ખરીદી માટે કોઈ ટેન્ડર કે ઈ-ઓકશન ફરજીયાત કરવામાં આવી નથી. FCI તરફથી રાજ્યોને અપાતા ચોખામાં ફોર્ટિફાઇડ ચોખાનો પણ સમાવેશ થાય છે. આ ચોખાના ઉપયોગથી રાજ્યોમાં સરકારી યોજનાઓનું સંચાલન થઈ શકે છે.
દેશની કંપનીઓ બાયો ફ્યુઅલ પોલિસી હેઠળ ઇથેનોલ બનાવવા માટે ચોખા ખરીદે છે. નવી ગાઈડલાઈનમાં સૂચના આપવામાં આવી છે કે આ પ્રક્રિયા હેઠળ કંપનીઓ ઈ-ઓક્શન દ્વારા જ ચોખાની ખરીદી કરી શકશે. જેમાં ચોખાની કિંમત 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જો રાજ્ય સરકારો EPFCI પાસેથી ફોર્ટિફાઇડ ચોખા ખરીદે છે, તો તેમણે પ્રતિ ક્વિન્ટલ વધારાના 73 રૂપિયા ચૂકવવા પડશે.
દેશમાં ચાલી રહેલી ડાંગરની ખરીદી પર કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે. ગાઈડલાઈન મુજબ જે રાજ્યોમાં ઘાનની ખરીદી વધુ છે, ત્યાં ખાનગી કંપનીઓ ચોખા ખરીદી શકતી નથી. આ નિયમ હેઠળ માત્ર ઇથેનોલ બનાવતી કંપનીઓને જ છૂટ મળી છે. જે રાજ્યોમાં ડાંગરની ખરીદી ઓછી છે અથવા ડાંગરની ખરીદી લક્ષ્યાંક કરતાં ઘણી પાછળ છે, ત્યાં ખાનગી કંપનીઓ ચોખા ખરીદશે. ચોખા ખરીદવા માટે ઈ-ઓક્શન કરવું પડશે. તેની પરવાનગી ખાદ્ય મંત્રાલય પાસેથી મેળવવામાં આવશે.