સારા સમાચાર ! કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન જાહેર, દેશમાં ઘટશે ચોખાનો ભાવ!

|

Jan 29, 2023 | 9:02 AM

ઘઉંના ભાવ વધારાથી જનતા ચિંતિત છે. હવે કેન્દ્ર સરકારે દેશના લોકોને રાહત આપી છે. રાજ્ય સરકાર FCI પાસેથી 34 રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખા ખરીદી શકશે. તેનાથી ચોખા સસ્તા થશે.

સારા સમાચાર ! કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન જાહેર, દેશમાં ઘટશે ચોખાનો ભાવ!
Image Credit source: File Photo

Follow us on

Rice Price: કેન્દ્ર સરકાર ઘઉંના ભાવને અંકુશમાં લેવા માટે સતત પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે ભાવ નિયંત્રણમાં રાખવા માટે ઘઉંની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ટૂંક સમયમાં ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો થશે. આગામી દિવસોમાં ચોખાની અછત પણ સર્જાઈ શકે છે. કેન્દ્ર સરકારે આ અંગે તમામ રાજ્ય સરકારોને સૂચનાઓ આપી છે.

34 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા ખરીદી શકે

કેન્દ્ર સરકારે ચોખાની ખરીદીને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તમામ રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કે રાજ્ય સરકારો ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) પાસેથી 3400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ચોખા ખરીદી શકે છે. રાજ્યોને 34 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા મળશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યમાં ગરીબોના વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓના સંચાલન માટે FCI પાસેથી સમાન દરે ચોખા ખરીદી શકાય છે.

વિવિધ જાતના ચોખાના ભાવ નક્કિ કર્યા

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા 2023માં ચોખાની ખરીદી માટે જાહેર કરવામાં આવી છે. જેમાં ચોખાની વિવિધ જાતોના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આ દર પ્રમાણે FCI રાજ્ય સરકારોને ચોખાનું વેચાણ કરશે. પરંતુ કયા રાજ્યને ક્યારે અને કેટલા ચોખા આપવામાં આવશે તે હજુ નક્કી થયું નથી. એફસીઆઈને આ માટે સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે, એટલે કે એફસીઆઈ કોઈપણ રાજ્યને વહેચી શકે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ઈ-ઓક્શનની જરૂર રહેશે નહીં

સામાન્ય રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર પારદર્શિતા માટે હરાજીથી માલની ખરીદી કરે છે. પરંતુ માલની ખરીદી માટે કોઈ ટેન્ડર કે ઈ-ઓકશન ફરજીયાત કરવામાં આવી નથી. FCI તરફથી રાજ્યોને અપાતા ચોખામાં ફોર્ટિફાઇડ ચોખાનો પણ સમાવેશ થાય છે. આ ચોખાના ઉપયોગથી રાજ્યોમાં સરકારી યોજનાઓનું સંચાલન થઈ શકે છે.

ઇથેનોલ બનાવવા માટે ચોખા ખરીદે

દેશની કંપનીઓ બાયો ફ્યુઅલ પોલિસી હેઠળ ઇથેનોલ બનાવવા માટે ચોખા ખરીદે છે. નવી ગાઈડલાઈનમાં સૂચના આપવામાં આવી છે કે આ પ્રક્રિયા હેઠળ કંપનીઓ ઈ-ઓક્શન દ્વારા જ ચોખાની ખરીદી કરી શકશે. જેમાં ચોખાની કિંમત 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જો રાજ્ય સરકારો EPFCI પાસેથી ફોર્ટિફાઇડ ચોખા ખરીદે છે, તો તેમણે પ્રતિ ક્વિન્ટલ વધારાના 73 રૂપિયા ચૂકવવા પડશે.

માર્ગદર્શિકામાં સ્પષ્ટતા કરવામાં આવી

દેશમાં ચાલી રહેલી ડાંગરની ખરીદી પર કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે. ગાઈડલાઈન મુજબ જે રાજ્યોમાં ઘાનની ખરીદી વધુ છે, ત્યાં ખાનગી કંપનીઓ ચોખા ખરીદી શકતી નથી. આ નિયમ હેઠળ માત્ર ઇથેનોલ બનાવતી કંપનીઓને જ છૂટ મળી છે. જે રાજ્યોમાં ડાંગરની ખરીદી ઓછી છે અથવા ડાંગરની ખરીદી લક્ષ્યાંક કરતાં ઘણી પાછળ છે, ત્યાં ખાનગી કંપનીઓ ચોખા ખરીદશે. ચોખા ખરીદવા માટે ઈ-ઓક્શન કરવું પડશે. તેની પરવાનગી ખાદ્ય મંત્રાલય પાસેથી મેળવવામાં આવશે.

Next Article