e Shram Card Benefits: શું ખેડૂતોનું પણ બની શકે છે ઈ-શ્રમ કાર્ડ, જાણો શું કહે છે નિયમ?

|

Jan 27, 2022 | 8:05 AM

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતોનો પ્રશ્ન એ છે કે શું તેઓ પણ ઈ-શ્રમ કાર્ડ મેળવી શકશે? આજે અમે તમને જણાવીશું કે કયા લોકો ઈ-શ્રમ કાર્ડ મેળવી શકે છે અને કયા ખેડૂતો આ કાર્ડ બનાવવા માટે પાત્ર છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

e Shram Card Benefits: શું ખેડૂતોનું પણ બની શકે છે ઈ-શ્રમ કાર્ડ, જાણો શું કહે છે નિયમ?
Symbolic Image

Follow us on

e-Shram Card: આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ (e Shram Card) મેળવી રહ્યા છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો અને કામદારો માટે ઈ-શ્રમ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ડ બનાવવાથી તેમને ઘણા ફાયદા થાય છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, ઈ-શ્રમ કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. આ સિવાય સરકારી રેકોર્ડમાં આવવાથી તેમની રોજગાર મળવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઈ-શ્રમ કાર્ડ દ્વારા કામદારો સરકારની વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ લઈ શકે છે.

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો (Farmers)નો પ્રશ્ન એ છે કે શું તેઓ પણ ઈ-શ્રમ કાર્ડ મેળવી શકશે? આજે અમે તમને જણાવીશું કે કયા લોકો ઈ-શ્રમ કાર્ડ મેળવી શકે છે અને કયા ખેડૂતો આ કાર્ડ બનાવવા માટે પાત્ર છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

ઈ-શ્રમ કાર્ડ કોણ મેળવી શકે છે

અસંગઠિત ક્ષેત્રનો કોઈપણ કાર્યકર જે EPFO ​​અને ESIC ના સભ્ય નથી. તે પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. આ કામદારોને તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ લોકો લેબર પોર્ટલ પર જઈને સરળતાથી ઈ-શ્રમ કાર્ડ મેળવી શકે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાંધકામ કામદારો, સ્થળાંતર મજૂરો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય કોઈપણ કામદાર તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે.

ખેડૂતો પણ ઈ-શ્રમ કાર્ડ બનાવી શકશે

ઈ-શ્રમ પોર્ટલ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ ખેતમજૂર અને જમીન વિહોણા ખેડૂત પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. ત્યારે જે ખેડૂતોની પોતાની જમીન છે તેમના માટે ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવશે નહીં. એટલે કે માત્ર ખેતમજૂર અને જમીન વિહોણા ખેડૂત આ કાર્ડ બનાવડાવી શકે છે.

આ પણ વાંચો: Reliance Jio 5G સ્પીડ ટેસ્ટની માહિતી થઈ લીક, 4Gની સરખામણીએ હશે આટલી ગણી ડાઉનલોડ સ્પીડ

આ પણ વાંચો: UP Election: જયંત ચૌધરીએ થોડા કલાકોમાં જ અમિત શાહની ઓફર ફગાવી દીધી, સમજો પશ્ચિમ યુપીમાં ભાજપ માટે જાટ વોટ કેમ મહત્વપૂર્ણ છે?

 

Published On - 8:05 am, Thu, 27 January 22

Next Article