VADODARA : વેપારીના અપહરણ બાદ 7 લાખની લૂંટ, 50 લાખની ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી આપી

|

Aug 11, 2021 | 11:00 AM

આ લૂંટારૂ ટોળકીએ કરજણમાં દુકાન બતાવવાના નામે વેપારીને લઇ જઇ રસ્તામાં માર મારી 7 લાખ રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ ટોળકીએ વેપારી પાસે 50 લાખની ખંડણીની માંગણી કરી હતી.

VADODARA : વધુ એક વાર ખંડણીખોરોનો આતંક સામે આવ્યો છે.વડોદરામાં મોબાઇલ એસેસરીઝનો વેપાર કરતા વેપારીને એક ટોળકીએ લૂંટી ખંડણીની માંગણી કરી હતી. આ લૂંટારૂ ટોળકીએ કરજણમાં દુકાન બતાવવાના નામે વેપારીને લઇ જઇ રસ્તામાં માર મારી 7 લાખ રૂપિયા પડાવ્યા હતા. અને ત્યારબાદ ટોળકીએ વેપારી પાસે 50 લાખની ખંડણીની માંગણી કરી હતી. ખંડણી દરમિયાન ટોળકીએ જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાઇ ગયેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ ટોળકી વલસાડ પોલીસના હાથે ઝડપાઇ જતાં વેપારીએ હાલ પોલીસ ફરિયાદ કરી છે અને ટોળકીના અન્ય આરોપીને ઝડપવા પોલીસે તપાસ આદરી છે.

આ પણ વાંચો : NARMADA : નર્મદા ડેમની જળસપાટીમાં 2 સેંટીમીટરનો ઘટાડો, હાલ ડેમની જળ સપાટી 116.43 મીટર

આ પણ વાંચો : VADODARA : ડોકટરોની હડતાળનો આંશિક અંત, આજથી ઈમરજન્સી, ICU ,કોવીડ સેવાઓ શરૂ

Next Video